અંકલેશ્વર : ત્રણ રસ્તા નજીક લારીધારકો પુનઃ ગોઠવાતા પાલિકાની કાર્યાવહી, સ્થળ પર તંબુ બાંધી કાયમી કર્મચારીની નિયુક્તિ કરી...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ નજીક આવેલ શાકમાર્કેટ ખાતે તાજેતરમાં જ પાલિકા દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા હતા. જે બાદ પુનઃ દબાણ ન થાય તે માટે પાલિકા

New Update

ત્રણ રસ્તા શાક માર્કેટ ખાતે પુન: લારીઓ ગોઠવાય

Advertisment

લારી ધારકો સામે નગરપાલિકાએ બોલાવી તવાય

લારી ધારકોએ પાલિકાકર્મીઓ સાથે કરી માથાકૂટ

પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો

પાલિકા દ્વારા સ્થળ પર કાયમી કર્મચારીની નિયુક્તિ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ નજીક આવેલ શાકમાર્કેટ ખાતે તાજેતરમાં જ પાલિકા દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા હતા. જે બાદ પુનઃ દબાણ ન થાય તે માટે પાલિકા દ્વારા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. જોકે, આજરોજ પુનઃ લારી ધારકો અને ટોપલા ધારકો દ્વારા ટ્રાફિકને અડચણરૂપ દબાણ કરતા પાલિકાના સ્થળ પર રહેલ કર્મચારીઓ દ્વારા અટકાવવામાં આવ્યા હતા.
Advertisment
આ દરમ્યાન લારી ધારકો અને પથારાવાળાઓએ પાલિકા કર્મીઓ સાથે માથાકૂટ કરી હતી. જે અંગે અંકલેશ્વર નગરપાલિકા ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં પોલીસની હાજરીમાં પાલિકા કર્મીઓએ શાકભાજી વિક્રેતાઓના ટોપલા ઉઠાવતા ખેંચતાણ થતા એક તબક્કે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જોકે, પાલિકા દ્વારા તમામ દબાણો બળપૂર્વક દૂર કરી દેવામાં આવ્યા હતા. જે બાદ પાલિકા દ્વારા સ્થળ પર તંબુ ઉભો કરી કર્મચારીઓની કાયમી નિયુક્તિ કરી દેવામાં આવી હતી. એટલું જ નહીં, મુખ્ય માર્ગ તેમજ પાર્કિગ વિસ્તારમાં અન્યોને અડચણરૂપ દબાણો ન થાય તેની તકેદારી શરુ કરી હતી.
Advertisment
Latest Stories