ભરૂચ : શહેરના મુખ્ય માર્ગો પર સર્જાયુ ખાડાનું સામ્રાજ્ય,શ્રવણ ચોકડીથી એબીસી સર્કલ રસ્તાની બિસ્માર હાલતથી જનતા પરેશાન

ભરૂચમાં વરસાદની મોસમ સાથે જ જાહેર રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય સર્જાયું છે,શ્રવણ ચોકડીથી એબીસી સર્કલ અને નંદેલાવ ઓવરબ્રિજનો માર્ગ પણ અત્યંત બિસ્માર બનતા લોકોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

New Update
  • વરસાદમાં રસ્તાની ખસ્તા હાલત

  • જાહેર માર્ગો પર સર્જાયુ ખાડાનું સામ્રાજ્ય

  • નંદેલાવ ઓવરબ્રિજનો માર્ગ પણ બન્યો બિસ્માર

  • રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા ચર્ચાતો પ્રશ્ન?

  • ખાડાના પગલે વાહનચાલકોમાં અકસ્માતનો ભય

ભરૂચમાં વરસાદની મોસમ સાથે જ જાહેર રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય સર્જાયું છે,શ્રવણ ચોકડીથી એબીસી સર્કલ અને નંદેલાવ ઓવરબ્રિજનો માર્ગ પણ અત્યંત બિસ્માર બનતા લોકોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

ભરૂચ શહેરના મુખ્ય માર્ગો જેવા કે શ્રવણ ચોકડીથી એબીસી સર્કલ સુધીના માર્ગ પર મોટા ખાડા અને ઉંડા ભુવા સર્જાયા છે.જેના કારણે વાહનચાલકોને પોતાના જીવના જોખમે મુસાફરી કરવી પડી રહી છે.રાત્રીના સમયે ભારે વરસાદ પડે ત્યારે પાણી ભરાઈ જતા રસ્તાઓ અદ્રશ્ય બની જાય છે. જેના કારણે વાહનચાલકો માટે દિશા નક્કી કરવી મુશ્કેલ બની જાય છે. શાળાની નજીક પાણી ભરાતા કેટલીક વાર વાહનો ખાડામાં ફસાઈ જતા હોવાની ઘટના પણ સામે આવી છે.

જ્યારે બીજી ગંભીર સ્થિતિ નંદેલાવ ઓવરબ્રિજની છેજ્યાં દર વર્ષે વરસાદ શરૂ થતાની સાથે જ રસ્તાની ઉપરની સપાટી ખરાબ થઇ જાય છે અને ખાડા પડે છે. ખાડામાં વાહન ખાબકતા નુકસાનની સાથે મેન્ટેનન્સ વધી જાય છે,અને અકસ્માતનો ભય પણ ઉભો થાય છે.સ્થાનિક નાગરિકો અને વાહનચાલકો દ્વારા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરાયો છે. તેમની માંગ છે કે ચોમાસાની દરેક ઋતુમાં કરોડો રૂપિયાના ખર્ચે જે ખાડા પુરવાના કામો થાય છેએ કાગળ પર પૂરતા ન રહે અને સ્થળ પર અસરકારક રીતે કામગીરી દેખાય તે જરૂરી છે.

દર વર્ષે આવા જ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. ટ્રાફિક જામ થઈ જાય છે અને 10 મિનિટનો રસ્તો ક્યારેક 1 કલાકનો બની જાય છે. તંત્રએ સ્થાયી ઉકેલ લાવવો જોઈએએવી રજૂઆત નાગરિકો તરફથી કરવામાં આવી છે.શ્રવણ ચોકડીથી એબીસી સર્કલ અને નંદેલાવ ઓવરબ્રિજનો માર્ગ દહેજ જીઆઈડીસી અને મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વેને જોડતો મહત્વનો માર્ગ હોવાથી પણ તાત્કાલિક પગલાં લેવા નાગરિકો માંગ કરી રહ્યા છે.

Read the Next Article

ભરૂચ : જિલ્લા જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીની 14 વર્ષ બાદ વહેલી મુક્તિથી પરિવારજનોમાં ખુશી

 ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી.

New Update

આજીવન કેળના કેદીની મુક્તિ

14 વર્ષ બાદ જેલમાંથી મળી મુક્તિ

જેલ અધિક્ષક દ્વારા કરવામાં આવી કાર્યવાહી

સારા વર્તનથી જેલમાંથી મળી મુક્તિ

પરિવારજનોમાં સર્જાયા લાગણીસભર દ્રશ્યો

ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી. તેમણે અત્યાર સુધી 14 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યા હતા અને સમગ્ર અવધિ દરમિયાન તેમનું વર્તન ઉત્તમ રહ્યું હતું.

જેલ અધિક્ષકે જણાવ્યું હતું કેભારતીય ન્યાય સંહિતા (B.N.S.S.)ની કલમ-473 મુજબ પાત્રતા ધરાવતા કેદીની વહેલી મુક્તિ માટે જેલ અધિક્ષક વી.એમ.ચાવડાએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સંબંધિત અધિકારીઓ અને જેલ સલાહકાર સમિતિ પાસેથી હકારાત્મક અભિપ્રાય મેળવી સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી. રાજ્ય સરકારે બાકી રહેલી સજા માફ કરી તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.જેલ બહાર આવતા જ નવીન  પટેલને મળવા તેમના પરિવારજનો અને સ્નેહીજનો હાજર રહ્યા હતા. લાંબા વિરામ પછી મળતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા અને ખુશીની લહેર જોવા મળી હતી.જેલ અધિક્ષકે તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવીને વિદાય આપી હતી.