અંકલેશ્વર: GIDCમાં નોટિફાઇડ એરીયા ઓથોરિટીની ડમ્પીંગ સાઈટમાં ભીષણ આગ, 11 ફાયર ટેન્ડરોએ આગ પર મેળવ્યો કાબુ

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ નોટિફાઇડ એરીયા ઓથોરિટીની ડમ્પીંગ સાઈટમાં મોડી રાત્રીએ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.

New Update
  • અંકલેશ્વરમાં ફરીએકવાર આગનો બનાવ

  • જીઆઈડીસીમાં લાગી આગ

  • નોટીફાઇડ એરીયા ઓથો.ની ડમ્પીંગ સાઈટમાં આગ

  • આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

  • 11 ફાયર ટેન્ડરોએ આગ પર મેળવ્યો કાબુ

Advertisment
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ નોટિફાઇડ એરીયા ઓથોરિટીની ડમ્પીંગ સાઈટમાં મોડી રાત્રીએ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બેઇલ કંપનીની બાજુમાં નોટિફાઇડ એરીયા ઓથોરીટીની ડમ્પીંગ સાઈટ આવેલી છે.ડમ્પીંગ સાઇટમાં ડોમેસ્ટિક વેસ્ટનો
 મોટો જથ્થો પડેલો હતો જેમાં ગતરોજ મોડીરાત્રીના સમયે અચાનક જ આગ ફાટી નીકળી હતી.જોતજોતામાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું. જેના પગલે ધુમાડાના ગોટેગોટા અને અગન જ્વાળા દૂર દૂર સુધી નજરે પડી હતી.
આ અંગેની જાણ થતા જ અંકલેશ્વર તેમજ પાનોલી ડી.પી.એમ.સી.ના 11 જેટલા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા હતા.લગભગ બેથી અઢી કલાકની જહેમત બાદ હાગ પર કાબુ મેળવાયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ ભરૂચ નગર સેવા સદનની કાસદ ગામ નજીક આવેલ હંગામી ડમ્પિંગ સાઈટમાં પણ આગ ફાટી નીકળી હતી ત્યારે ભરૂચ જિલ્લામાં બે દિવસમાં બે સ્થળોએ ડમ્પિંગ સાઈટમાં આગ લાગવાના બનાવો બન્યા છે.
Advertisment
Read the Next Article

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા કવિ સંમેલન યોજાશે

અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે તારીખ 1લી જૂન રવિવારના રોજ રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં કવિરસનો થાળ પીરસવામાં આવશે.

New Update
gana music lover group

અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે તારીખ 1લી જૂન રવિવારના રોજ રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરમાં સામાજિક કાર્યક્રમો માટે પ્રયત્નશીલ ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા દિપ કેમના વિનોદ જાગાણીના આર્થિક સહયોગથી આગામી તારીખ 1લી જૂન રવિવારે રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisment

Kavi sammelan

આ પ્રસંગે ગુજરાતી સાહિત્યના મુંબઈના કવિઓ હિતેન આનંદપુરા,મુકેશ જોષી,સુરેશ ઝવેરી,જ્હોની શાહ,અર્ચના શાહ,તેમજ ભરૂચના કિરણ જોગીદાસ,હેમાંગ જોષી દ્વારા કવિરસનો થાળ પીરસવામાં આવશે.

Advertisment