અંકલેશ્વર: નગરપાલિકાનું રૂ.86.86 કરોડનું પૂરાંતવાળુ બજેટ મંજુર, વિપક્ષનો વોક આઉટ

અંકલેશ્વર નગર સેવાસદનની બજેટ લક્ષ્મી સામાન્ય સભાનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રૂપિયા ૮૩.૮૬ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું

New Update
  • અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા મળી

  • બજેટલક્ષી સામાન્ય સભાનું કરાયુ આયોજન

  • રૂ.86.86 કરોડનું પુરાંતવાળુ બજેટ મંજુર

  • વિકાસના વિવિધ કામોને મંજૂરી

  • વિરોધ સાથે વિપક્ષે કર્યો વોક આઉટ

અંકલેશ્વર નગર સેવાસદનની બજેટ લક્ષ્મી સામાન્ય સભાનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રૂપિયા ૮૩.૮૬ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર નગર સેવાસિડનના સભાખંડમાં નગરપાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત ની અધ્યક્ષતામાં બજેટ લક્ષી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેવન્યુ તથા ગ્રાન્ટ - કેપિટલ ઉપજ સહિત રૂ. ૮૬.૮૬ કરોડ અને કુલ ખર્ચ રેવન્યુ તથા કેપિટલ ગ્રાન્ટ રૂ. ૭૪.૨૩ કરોડની જોગવાઈ સાથે બંધ સિલક રૂ. ૧૨.૬૩ કરોડની પુરાંત વાળુ બજેટ મંજૂર કરાયું હતું.આ સામાન્ય સભાના પ્રારંભમાં જ વિપક્ષના નેતાએ શાસક પક્ષ દ્વારા મોટા દિવા:સ્વપ્ન સમાન બજેટ રજુ કરે છે પણ પોણા ભાગનું પણ કામ ન થતું હોવાના આક્ષેપ કરતા સામાન્ય સભા તોફાની બની હતી અને વિપક્ષના સભ્યોએ વોક આઉટ કર્યો હતો.વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે શાસક પક્ષ બજેટ ઉપરની ચર્ચાથી દુર ભાગવા અન્ય બેતુકા મુદ્દાઓ ઉછાળી મુંગેરીલાલ કે હસીન સ્વપને જેવુ બજેટ નગરના પ્રજાજનો થોપી બેસાડવા માંગે છે.
આ બોર્ડ મિટિંગ દરમ્યાન શાસક પક્ષે કુલ ૧૫ જેટલા અન્ય વિકાસ સંબંધી કામોના ઠરાવો બહુમતીના જોરે મંજુર કર્યા હતા.આગામી વર્ષ દરમ્યાન અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રોડ,ડ્રેનેજ,બ્યુટીફીકેશન,સ્વચ્છતા તેમજ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાની નેમ રાખવામાં આવી છે જે તમામ વિકાસ કામો માટેનો રોડ મેપ આ બજેટમાં લક્ષ્યાંક રાખ્યો છે.
Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગનો સપાટો, 7 દિવસમાં ખનીજ માફિયાઓના 8 વાહનો મળી રૂ.1.90 કરોડનો.મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન

New Update
MixCollage-16-Jun-2025-09-09-PM-1828

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભુસ્તરશાસ્ત્રી  સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડેશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનોને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.