અંકલેશ્વર : નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા બાળકો માટે વિઘ્નહર્તાની ભક્તિ સાથે રમતનો રસથાળ પીરસાયો

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવની સાથે સાથે બાળકોમાં રહેલી પ્રતિભાને ઉજાગર કરવાના હેતુસર વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
  • નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવનું આયોજન

  • સતત 27 વર્ષેથી કરવામાં આવે છે ગણેશ સ્થાપના

  • ભક્તિની સાથે સાંસ્કૃતિક વારસાને જાળવી રાખ્યો

  • સેવાકીય પ્રવૃત્તિ સાથે ધાર્મિક ઉત્સવોની ઉજવણી

  • ગણેશોત્સવ સાથે રમતોત્સવનું કરાયું આયોજન 

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવની સાથે સાથે બાળકોમાં રહેલી પ્રતિભાને ઉજાગર કરવાના હેતુસર વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા કુદરતી આફત હોય કેધાર્મિક પ્રસંગની ઉજવણી હંમેશા દેશની સંસ્કૃતિને અનુરૂપ અને અન્યો માટે નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા પ્રેરણારૂપ પ્રસંગોની ઉજવણી કરવામાં આવે છે. નવરાત્રીની ગરિમા જળવાયએ રીતે ગરબાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છેત્યારે હાલમાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા 27મા ગણેશોત્સવની ઉજવણી આગવી રીતે કરવામાં આવી રહી છે. જેમાં ગણેશ ચોથ નિમિત્તે ઉપસ્થિત મહાનુભાવોએ શ્રીજીની આરતી કરવાનો લ્હાવો લીધો હતો.

આ ઉપરાંત ભક્તિની સાથે 3 વર્ષથી લઈને 15 વર્ષ સુધીના બાળકો માટે રમતોત્સવ પણ ઉજવવામાં આવી રહ્યો છે. આ રમતોમાં ઉત્સાહભેર બાળકો ભાગ લઇ રહ્યા છેઅને પોતાની પ્રતિભાને ખીલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમાં લીંબુ ચમચીલંગડી દોડમણકા પરોવાસિક્કા શોધબોટલ બેલેન્સસ્લો સાઇકલફેન્સી ડ્રેસ શોત્રિપગી દોડમ્યુઝિકલ ચેરદેડકા કુદ જેવી રમતોમાં ભાગ લેતા બાળકોને પ્રોત્સાહન રૂપે ભેટ આપવામાં આવે છેઅને બાળકો પોતાની કારકિર્દીમાં આગળ વધે તેવી ગણપતિજીને પ્રાર્થના કરવામાં આવે છે. ગણેશોત્સવ તેમજ રમતોત્સવને  સફળ બનાવવા માટે નવદુર્ગા મિત્ર મંડળના હોદ્દેદારો,સભ્યો તેમજ નવ યુવાનો દ્વારા  ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

Latest Stories