અંકલેશ્વર: લ્યો હવે સુરવાડી ઓવરબ્રિજના માર્ગ પર સળીયા દેખાવા લાગ્યા !

અંકલેશ્વરથી ભરૂચને જોડતા ગડખોલ ઓવરબ્રિજ પર મોટા ખાડા પડતા સળિયા પણ બહાર નજરે પડી રહ્યા છે ત્યારે માર્ગનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

New Update

અંકલેશ્વરથી ભરૂચને જોડતા ગડખોલ ઓવરબ્રિજ પર મોટા ખાડા પડતા સળિયા પણ બહાર નજરે પડી રહ્યા છે ત્યારે માર્ગનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Advertisment

અંકલેશ્વરમાં ચોમાસામાં વરસેલા ભારે વરસાદના કારણે વિવિધ માર્ગો બીમાર બન્યા છે તો અનેક ઓવરબ્રિજ પર પણ ખાડા પડી ગયા છે.અંકલેશ્વરના ઓ.એન.જી.સી. ઓવરબ્રીજ બાદ હવે ગડખોલ ઓવરબ્રિજ પર પણ મસમોટા ખાડા નજરે પડી રહ્યા છે અંકલેશ્વરથી ભરૂચને જોડતા સુરવાડી ટી બ્રિજ પર મોટા ખાડા પડ્યા છે અને તેમાંથી સળિયા પણ બહાર આવી ગયા છે જેના કારણે અકસ્માતનો ભય વાહન ચાલકો સેવી રહ્યા છે. આ બ્રિજ પરથી સેંકડો વાહનચાલકો રોજના પસાર થાય છે ત્યારે  બ્રિજનો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.આ બ્રિજનું વર્ષ 2021માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સુરવાડી રેલવે ફાટક પર સર્જાતી ટ્રાફિકજામની પરિસ્થિતિના નિવારણ માટે આ બ્રિજનું નિર્માણ કરાયું હતું ત્યારે બ્રિજ પર મોટા ખાડા પડતા તેનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે તે અત્યંત જરૂરી છે

Advertisment
Read the Next Article

ભરૂચ : હલદરવા ગામ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું...

વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ તથા અંદાજિત રૂ. 59 લાખના ખર્ચે નિર્માણ પામનાર વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું

New Update
  • હલદરવા ગામ ખાતે વિકાસ કાર્યોનો ધમધમાટ

  • વિવિધ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરાયું

  • ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

  • વિકાસ કામોથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ

  • જનપ્રતિનિધિઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા

Advertisment

ભરૂચ તાલુકાના હલદરવા ગામ ખાતે વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં આવતા હલદરવા ગામ ખાતે અંદાજિત રૂ. 1.33 કરોડના ખર્ચે નિર્માણ પામેલ વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ તથા અંદાજિત રૂ. 59 લાખના ખર્ચે નિર્માણ પામનાર વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલહલદરવા સરપંચ હસમુખ પરમારડે. સરપંચ રાજુ પટેલજિલ્લા ભાજપ મહિલા મોરચાના મંત્રી દિવ્યા પટેલગામના તલાટી નિમિષા બારોટચૂંટાયેલ જનપ્રતિનિધિઓસંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. 

Advertisment