અંકલેશ્વર: નેશનલ હાઇવે પર ટ્રક-ટેન્કર વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, ટેન્કરમાંથી એસિડ લીક થતા દોડધામ

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું તો આ તરફ ટેન્કરમાંથી એસિડ લીક થતા દોડધામ મચી જવા પામી હતી

New Update
  • અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર અકસ્માત

  • આમલાખાડી ઓવરબ્રિજ નજીક અકસ્માત

  • ટ્રક અને ટેન્કર વચ્ચે થઈ ટક્કર

  • અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

  • ટેન્કરમાંથી એસિડ લીક થતા દોડધામ

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું તો આ તરફ ટેન્કરમાંથી એસિડ લીક થતા દોડધામ મચી જવા પામી હતી

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે અંકલેશ્વર અને પાનોલી વચ્ચે આમલાખડી ઓવરબ્રિજ નજીક આજે વહેલી સવારે ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટેન્કરમાંથી એસિડ લીક થતાં દોડધામ મચી જવા પામી હતી.આ અંગેની જાણ વિભાગને કરાતા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. અકસ્માતના પગલે નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ: ભારે વાહનો માટે બંધ આમોદ નજીક ઢાઢર નદી પરના બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરાયુ, રિપોર્ટ આવ્યા બાદ લેવાશે નિર્ણય

પાદરા તાલુકાનાં ગંભીરાબ્રીજની દુઘટર્ના બાદ તંત્ર સફાળું જાગ્યુ હતું અને ગૂજરાતભરમાં આવેલાં જુના અને ખખડધજ બ્રીજની ચકાસણી કરવામાં આવી રહી છે

New Update
Dhadhar River Bridge
ભરૂચના આમોદ જંબુસરનો જોડતા ઢાઢર નદી પરના બ્રિજનું માર્ગ મકાન વિભાગ દ્વારા લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.પાદરા તાલુકાનાં ગંભીરાબ્રીજની દુઘટર્ના બાદ તંત્ર સફાળું જાગ્યુ હતું અને ગૂજરાતભરમાં આવેલાં જુના અને ખખડધજ બ્રીજની ચકાસણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી હતી. આ અગાઉ ભરૂચ જિલ્લા કલેકટર દ્વારા ઢાઢર બ્રીજની ભયજનક સ્થિતિના પગલે  ભારદારી વાહનો માટે પ્રતિબંધનો હુકમ કરવામાં આવ્યો હતો.
અંદાજિત એક મહિનાથી ભારદારી વાહનો માટે બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા એન.ડી. ટી. ટેસ્ટ અને બ્રિજના સ્લેબમાંથી કોર લેડલ ટેસ્ટ માટે બ્રિજના પિલ્લરમાં તેમજ કેપમાંથી મહાકાય ક્રેનની મદદથી કોર લેડલ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેના પગલે બ્રિજના  સ્ટ્રક્ચરની મજબૂતી કેવી છે અને એના પરથી ભારદારી વાહનો પસાર થઈ શકશે કે કેમ તે અંગેનો રિપોર્ટ આવ્યા બાદ તંત્ર દ્વારા અગાઉના નિર્ણયો લેવાશે.