અંકલેશ્વર: નેશનલ હાઇવે પર ટ્રક-ટેન્કર વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, ટેન્કરમાંથી એસિડ લીક થતા દોડધામ

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું તો આ તરફ ટેન્કરમાંથી એસિડ લીક થતા દોડધામ મચી જવા પામી હતી

New Update
  • અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર અકસ્માત

  • આમલાખાડી ઓવરબ્રિજ નજીક અકસ્માત

  • ટ્રક અને ટેન્કર વચ્ચે થઈ ટક્કર

  • અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

  • ટેન્કરમાંથી એસિડ લીક થતા દોડધામ

Advertisment

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું તો આ તરફ ટેન્કરમાંથી એસિડ લીક થતા દોડધામ મચી જવા પામી હતી

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે અંકલેશ્વર અને પાનોલી વચ્ચે આમલાખડી ઓવરબ્રિજ નજીક આજે વહેલી સવારે ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટેન્કરમાંથી એસિડ લીક થતાં દોડધામ મચી જવા પામી હતી.આ અંગેની જાણ વિભાગને કરાતા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. અકસ્માતના પગલે નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisment
Read the Next Article

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા કવિ સંમેલન યોજાશે

અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે તારીખ 1લી જૂન રવિવારના રોજ રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં કવિરસનો થાળ પીરસવામાં આવશે.

New Update
gana music lover group

અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે તારીખ 1લી જૂન રવિવારના રોજ રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરમાં સામાજિક કાર્યક્રમો માટે પ્રયત્નશીલ ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા દિપ કેમના વિનોદ જાગાણીના આર્થિક સહયોગથી આગામી તારીખ 1લી જૂન રવિવારે રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisment

Kavi sammelan

આ પ્રસંગે ગુજરાતી સાહિત્યના મુંબઈના કવિઓ હિતેન આનંદપુરા,મુકેશ જોષી,સુરેશ ઝવેરી,જ્હોની શાહ,અર્ચના શાહ,તેમજ ભરૂચના કિરણ જોગીદાસ,હેમાંગ જોષી દ્વારા કવિરસનો થાળ પીરસવામાં આવશે.

Advertisment