અંકલેશ્વર: લોકો વ્યાજના ખપ્પરમાં ન હોમાય એ માટે પોલીસ દ્વારા લોન ધિરાણ કેમ્પનું કરાયુ આયોજન

લોકો વ્યાજના ખપ્પરમાં ન હોમાય તે માટે ભરૂચ પોલીસ દ્વારા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે લોન ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોને સસ્તા દરે લોન આપવામાં આવી હતી

New Update
  • ભરૂચ પોલીસનો સરાહનીય અભિગમ

  • લોકો વ્યાજના ખપ્પરમાં ન હોમાય એ માટેનો પ્રયાસ

  • અંકલેશ્વરમાં લોન ધિરાણ કેમ્પનું કરાયુ આયોજન

  • પોલીસ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

  • સરકારની 2 મુખ્ય યોજનાઓનો લાભ અપાયો

લોકો વ્યાજના ખપ્પરમાં ન હોમાય તે માટે ભરૂચ પોલીસ દ્વારા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે લોન ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોને સસ્તા દરે લોન આપવામાં આવી હતી
આર્થિક ભીંસમાં મુકાયેલા લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી કેટલાક શાહુકારો તેમની પાસેથી મન ફાવે તેવું વ્યાજ લઇ તેમને દેવાના ડુંગર તળે દબાવી દેતા હોય છે. બે પાંચ ટકાની સામે દસ થી વીસ ટકા વ્યાજ વસુલી આ ધીરદારો લેણદારની માલ મિલકત પચાવી પાડી તેમને આત્મહત્યા કરવા મજબૂર બનાવી દેતા હોય છે ત્યારે ભરૂચ પોલીસે સમસ્યાનો હલ કાઢવા એક પહેલ કરી છે.
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચનાથી અક્લેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર પી.જી. ચાવડાએ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં લોન ધિરાણ કેમ્પનું આયોજન કરાયું હતું. સરકારની ૨ મુખ્ય યોજનાઓ પીએમ સ્વનિધિ અને જનધન યોજના દ્વારા ઓછા વ્યાજ અને ઓછા જોખમે ધિરાણ કઈ રીતે મળી શકે તેની અલગ અલગ બેન્કોના પ્રતિનિધિઓને સાથે રાખી સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત મજબૂરીનો લાભ ઉઠાવી ભેજાબાજો સાયબર ક્રાઈમનો ભોગ ન બનાવે તે માટે પી આઈ પી.જી. ચાવડા દ્વારા વિશેષ સમજ આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં જરૂરીયાતમંદોએ આ કેમ્પનો લાભ લીધો હતો.
Read the Next Article

અંકલેશ્વર: SOGએ શાંતિનગરમાંથી ચોરીના 90 ગેસ સિલિન્ડર સાથે આરોપીની કરી ધરપકડ, રૂ.1.26 લાખનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ એસ.ઓ.જીએ અંકલેશ્વર થી રાજપીપળા રોડ ઉપર શાંતિનગર ખાતે પતરાના શેડમાં શંકાસ્પદ ગેસ સિલિન્ડર સાથે એક ઇસમને 1.26 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો

New Update
  • ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની કાર્યવાહી

  • અંકલેશ્વરના શાંતિનગરમાં પાડ્યા દરોડા

  • ચોરીના 90 ગેસ સિલિન્ડર મળી આવ્યા

  • રૂ.1.26 લાખનો મુદ્દામાલ જપ્ત

  • આરોપીની ધરપકડ

ભરૂચ એસ.ઓ.જીએ અંકલેશ્વર થી રાજપીપળા રોડ ઉપર શાંતિનગર ખાતે પતરાના શેડમાં શંકાસ્પદ ગેસ સિલિન્ડર સાથે એક ઇસમને 1.26 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો
ભરૂચ એસ.ઓ.જીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરથી રાજપીપળા રોડ ઉપર શાંતિનગર ખાતે એક ઇસમ પતરાના શેડમાં ગેરકાયદેસર ગેસ સિલિન્ડર મૂકી રાખે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસ એ સ્થળ પરથી નાના મોટા ગેસના સિલિન્ડર મળી 90 નંગ સિલિન્ડર મળી આવ્યા હતા પોલીસે એક ઇસમની પૂછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે શંકાસ્પદ  ગેસ સિલિન્ડર મળી કુલ 1.26 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને શાંતિ નગર-1ની સામે આવેલ શિવ રેસિડેન્સીમાં રહેતો સુખલાલ શંકરલાલ રાયકાને ઝડપી પાડ્યો હતો.