નર્મદા : સિસોદ્રા ગામમાં સાર્વજનિક ટ્રસ્ટની મિલકતો અને રેતીની લીઝ વેચવાના મોટા ષડયંત્ર સામે સવાલ..!

નર્મદા જિલ્લાના સિસોદ્રામાં સાર્વજનિક ટ્રસ્ટની મિલકતો અને રેતીની લીઝ ખાનગી લોકોને વેચી મારવાનું મોટું ષડયંત્ર બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

New Update
  • સિસોદ્રા ગામમાં સાર્વજનિક ટ્રસ્ટ સામે વિવાદ વકર્યો

  • ટ્રસ્ટની મિલકતો-રેતીની લીઝ વેચવાનું મોટું ષડયંત્ર

  • ખાનગી લોકોને વેચવાનું મોટું ષડયંત્ર બહાર આવ્યું

  • સમગ્ર મામલે વહીવટી તંત્રમાં લેખિત ફરિયાદ કરાય

  • મારા પર થયેલા આક્ષેપ પાયાવીહોણા : ટ્રસ્ટના પ્રમુખ

નર્મદા જિલ્લાના સિસોદ્રામાં સાર્વજનિક ટ્રસ્ટની મિલકતો અને રેતીની લીઝ ખાનગી લોકોને વેચી મારવાનું મોટું ષડયંત્ર બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

નર્મદા જિલ્લાના સિસોદ્રામાં છેલ્લા ઘણા સમયથી સાર્વજનિક ટ્રસ્ટની મિલકતો અને રેતીની લીઝનો વિવાદ વકર્યો હતો. જે ગ્રામજનો અને જૂના ટ્રસ્ટી પરમહંસ સુખાનંદજી સેવા ટ્રસ્ટના નીચલદાશ મહંત લીઝ અન્યને આપી દેતા વિવાદ સર્જાયો છે. ગ્રામજનો અને ટ્રસ્ટીઓના મતે ટ્રસ્ટના નામની નર્મદા નદીના પટ્ટાની રેતીની ગામે લીઝ વેપારીઓને ઉપયોગ કરવા આપી પોતે આર્થિક લાભ લઈ રહ્યા હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ કરવામાં આવી છે. ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીઓએ જિલ્લા કલેક્ટરખાણ-ખનિજ વિભાગ તેમજ જિલ્લા પોલીસવડાને લેખિતમાં ફરિયાદ આપી છે.

આ સાથેજ્યાં સુધી આ ફરિયાદનો નિકાલ ન આવે ત્યાં સુધી ગ્રામજનોએ રેતી લીઝ બંધ રાખવ અંગે ચીમકી ઉચ્ચારી છે. ટ્રસ્ટના પ્રમુખ નીચલદાશ મહંતનું કહેવું છે કેજે મારા પર આક્ષેપ કર્યા છેતે પાયાવીહોણા છેઅને જે લોકો મારા પર આક્ષેપ કરી રહ્યા છે જેમાં જુના ટ્રસ્ટીઓમાં 3 લોકોના મરણ થઈ ગયા છેઅને 2 લોકોને સસ્પેન્ડ કર્યા છે. એટલે જે લીઝ આપી છેએ મારા ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવા આપી છે.

Read the Next Article

ભરૂચ: જંબુસર BRC ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો, 250 વિધ્યાર્થીઓએ લીધો લાભ

વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે

New Update
  • ભરૂચના જંબુસરમાં કરવામાં આવ્યું આયોજન

  • બી.આર.સી.ભવન ખાતે આયોજન

  • દિવ્યાંગ બાળકો માટે કેમ્પ યોજાયો

  • 250 બાળકોએ લીધો લાભ

  • સાધન સહાયનું કરાયુ વિતરણ

ભરૂચના જંબુસર બી આર સી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો હતો જેનો 250 જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટરની કચેરી ભરૂચ દ્વારા એલિમ્કોના સહયોગથી દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ બી.આર.સી ભવન જંબુસર ખાતે જિલ્લા આઈ.ઇ. ડી કોઓર્ડીનેટર ચૈતાલી પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.
જેમાં ૨૫૦ બાળકોએ ભાગ લીધો હતો. વર્ષ 2025_26 ના બાલવાટિકાથી ધોરણ 12માં અભ્યાસ કરતા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.કેમ્પમાં બીઆરસી કો-ઓર્ડીનેટર અશ્વિન પઢીયાર, આસિફભાઇ,આઇડી સ્ટાફ,સ્પેશિયલ એજ્યુકેટર તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.