અંકલેશ્વર: પ્રજાસતાક પર્વની પરોઢે પ્રભાત ફેરી નિકળી, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા

દેશના 76 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં પ્રભાતફેરીનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશભક્તિના રંગ જોવા મળ્યા હતા.

New Update
  • આજે દેશના 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

  • અંકલેશ્વરમાં લોકોમાં ગજબનો ઉત્સાહ

  • વહેલી સવારે પ્રભાત ફેરીનું કરાયુ આયોજન

  • વિવિધ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા

  • સામાજિક સંસ્થાઓના આગેવાનો પણ જોડાયા

દેશના 76 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં પ્રભાતફેરીનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશભક્તિના રંગ જોવા મળ્યા હતા.

દેશના 76માં પ્રજાસત્તાક પર્વની ઠેર ઠેર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વરમાં પણ દેશભક્તિના રંગ જોવા મળ્યા હતા.અંકલેશ્વરમાં આજે વહેલી સવારના સમયે પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું.અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં નીકળેલી પ્રભાત ફેરીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.લોકોને દેશભક્તિના પર્વમાં જોડાવા આ પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રભાત શેરીમાં વિવિધ શાળાના બાળકો તેમજ સામાજિક સંસ્થાના આગેવાનો જોડાયા હતા

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.