અંકલેશ્વર: સુરવાડી નજીકના ગાયત્રી નગરના બંધ મકાનમાંથી રૂ.4.87 લાખના માલમત્તાની ચોરી, ઘર બંધ કરી ચાવી બુટમાં મૂકી હતી !

અંકલેશ્વરના સુરવાડી બ્રીજ પાસેના ગાયત્રી નગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ૬૦.૯૦ ગ્રામ સોનાના ઘરેણા મળી કુલ ૪.૮૭ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

New Update
  • અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ

  • સુરવાડી નજીકના ગાયત્રી નગરમાં ત્રાટકયા

  • બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન

  • રૂ.4.87 લાખના માલમત્તાની ચોરી

  • પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

Advertisment
અંકલેશ્વરના સુરવાડી બ્રીજ પાસેના ગાયત્રી નગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ૬૦.૯૦ ગ્રામ સોનાના ઘરેણા મળી કુલ ૪.૮૭ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વરના સુરવાડી બ્રીજ પાસેના ગાયત્રી નગરમાં રહેતા પારુલબેન શૈલેશ સોલંકીના પરિવારને મકાન બંધ કરી બહાર રહેલ બુટમાં ચાવી મુકવાનું ભારે પડ્યું છે.ગત તારીખ-૮મી ફેબ્રુઆરીના રોજ પારુલબેન તેઓના ભાભી સાથે અંદાડા ગામે સબંધીને ત્યાં ગયા હતા.જયારે તેઓના બે પુત્રો પૈકી એક પુત્ર મકાનનું તાળું મારી ચાવી બહાર રહેલ બુટમાં ચાવી સંતાડી કોલેજ ગયો હતો તે દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા અને બુટમાં સંતાડેલ ચાવી વડે મકાનના મુખ્ય દરવાજાનું તાળું ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ ૬૦.૯૦ ગ્રામ સોનાના ઘરેણા મળી કુલ ૪.૮૭ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરી અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Advertisment
Read the Next Article

ભરૂચ ટ્રક અને સરકારી જીપ વચ્ચે અકસ્માત, જંબુસરના પ્રાંત અધિકારીનો ચમત્કારિક બચાવ

ભરૂચ જિલ્લાના આમોદ ચાર રસ્તા નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જંબુસરના પ્રાંત અધિકારી ડો. એસ.એમ. ગાંગુલીની સરકારી જીપને ટ્રક ચાલકે

New Update
accident આમોદ

ભરૂચ જિલ્લાના આમોદ ચાર રસ્તા નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જંબુસરના પ્રાંત અધિકારી ડો. એસ.એમ. ગાંગુલીની સરકારી જીપને ટ્રક ચાલકે અચાનક ટક્કર મારતા ઘટનાની તીવ્રતા વધી હતી. આ અકસ્માત દરમિયાન ગાંગુલી સાહેબનો ચમત્કારિક બચાવ થયો હતો.

Advertisment

પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રક ચાલકે જીપને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતાં તેની વાહન પરનો કાબૂ ગુમાવી બેઠો અને સીધી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે નજીકના વિસ્તારમાં ટ્રાફિક જામ જેવી સ્થિતિ ઊભી થઇ હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ દોડી આવી હતી અને ઘટના સ્થળ પર કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસ ટ્રાફિકને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો, અકસ્માત અંગે આગળની તપાસ હાથ ધરાઈ છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ, જો જીપ થોડી સેકન્ડ પણ આગળ વધી ગઈ હોત, તો મોટો વિઘાટ સર્જાઈ શક્યો હોત. સદભાગ્યે કોઈ જાનહાનિ ટળી છે.

Advertisment