New Update
-
અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ
-
સુરવાડી નજીકના ગાયત્રી નગરમાં ત્રાટકયા
-
બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન
-
રૂ.4.87 લાખના માલમત્તાની ચોરી
-
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
અંકલેશ્વરના સુરવાડી બ્રીજ પાસેના ગાયત્રી નગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ૬૦.૯૦ ગ્રામ સોનાના ઘરેણા મળી કુલ ૪.૮૭ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વરના સુરવાડી બ્રીજ પાસેના ગાયત્રી નગરમાં રહેતા પારુલબેન શૈલેશ સોલંકીના પરિવારને મકાન બંધ કરી બહાર રહેલ બુટમાં ચાવી મુકવાનું ભારે પડ્યું છે.ગત તારીખ-૮મી ફેબ્રુઆરીના રોજ પારુલબેન તેઓના ભાભી સાથે અંદાડા ગામે સબંધીને ત્યાં ગયા હતા.જયારે તેઓના બે પુત્રો પૈકી એક પુત્ર મકાનનું તાળું મારી ચાવી બહાર રહેલ બુટમાં ચાવી સંતાડી કોલેજ ગયો હતો તે દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા અને બુટમાં સંતાડેલ ચાવી વડે મકાનના મુખ્ય દરવાજાનું તાળું ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ ૬૦.૯૦ ગ્રામ સોનાના ઘરેણા મળી કુલ ૪.૮૭ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરી અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Latest Stories