અંકલેશ્વર: હાંસોટના સાહોલથી ઇલાવ ગામને જોડતા માર્ગનું રૂ.2.48 કરોડના ખર્ચે નવીનીકરણ, ગ્રામજનોને થશે રાહત

રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત સાહોલથી ઈલાવને જોડતા માર્ગના નવીનીકરણ માટે રૂપિયા 2 કરોડ 48 લાખ ફાળવવામાં આવ્યા

New Update
  • હાંસોટ તાલુકામાં વિકાસના કામોનો ધમધમાટ

  • સાહોલ-ઇલાવને જોડતા માર્ગનું નવીનીકરણ

  • રૂ.2.48 કરોડનો કરવામાં આવશે ખર્ચ

  • માર્ગ બિસ્માર બનતા ગ્રામજનોએ ધારસભ્ય ઇશ્વરસિંહ પટેલને કરી હતી રજુઆત

  • એક લેન બંધ કરી માર્ગના નવીનીકરણની કામગીરી

Advertisment
ભરૂચના હાંસોટ તાલુકાના સાહોલથી ઇલાવ ગામને જોડતા માર્ગનું રૂપિયા 2.48 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. ભરૂચના હાંસોટ તાલુકાના સાહોલ ગામથી ઈલાવ ગામને જોડતો મહત્વનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં થઈ જતા ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા. 
આ અંગે તેઓએ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને રજૂઆત કરતા તેઓ દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત સાહોલથી ઈલાવને જોડતા માર્ગના નવીનીકરણ માટે રૂપિયા 2 કરોડ 48 લાખ ફાળવવામાં આવ્યા હતા ત્યારે હાલ આ માર્ગના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે. 2.5 કિલોમીટર જેટલા ડામર રોડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
માર્ગના નિર્માણ કાર્ય  દરમિયાન વાહનચાલકોને અગવડતા ન પડે તે માટે એક તરફની લેન ચાલુ રાખવામાં આવી છે જેના પરથી કાર અને બાઈક સહિતના નાના વાહનો પસાર થઈ શકશે. જ્યારે મોટા  વાહનો માટે માર્ગ બંધ રાખવામાં આવ્યો છે જેઓએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે આ માર્ગનું નવીનીકરણ થતાં ગ્રામજનોને અવર જવરમાં રાહત રહેશે.
Advertisment
Latest Stories