અંકલેશ્વર: સુરવાડી ટી બ્રિજ પર વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ સળિયા દેખાવા લાગ્યા, તંત્રએ થીંગડા માર્યા બાદ પણ પરિસ્થિતિ યથાવત

અંકલેશ્વરના સુરવાડી ફાટક પર 2021માં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયેલા બ્રિજના સળિયા દેખાવા લાગ્યા છે.

New Update
  • ટી બ્રિજ પર ખાડા પડવાની શરૂઆત

  • સુરવાડી ટી બ્રિજનો રસ્તો જર્જરીત હાલતમાં

  • બ્રિજ પર સળિયા દેખાવા લાગ્યા

  • વાહન ચાલકોમાં અકસ્માતની દહેશત

  • તંત્ર દ્વારા થીંગડા માર્યા બાદ પણ કોઈ સુધારો નહીં

અંકલેશ્વરના સુરવાડી ટી બ્રિજ પર વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ સળિયા દેખાવા લાગતા વાહનચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે,ત્યારે તંત્ર દ્વારા બ્રિજના માર્ગ પર થીંગડા મારવાની કામગીરી કરવામાં આવી હતી,પરંતુ પુનઃ ખાડામાં સળિયા દેખાવા લાગ્યા હતા.

અંકલેશ્વરના સુરવાડી ફાટક પર 2021માં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયેલા બ્રિજના સળિયા દેખાવા લાગ્યા છે. અંદાજે 104.80 કરોડના ખર્ચે નિર્માણ પામેલા બ્રિજ પર એક વર્ષમાં જ ખાડા દેખાવા માંડ્યા હતા.જેના પગલે તંત્ર દ્વારા વારંવાર ડામરના થીંગડા મારવા પડી રહ્યા છે.4 મહિના પૂર્વે પણ માર્ચ માસમાં સળિયા દેખાવાના  અહેવાલ પ્રકાશિત થતા જ ત્યાં સિમેન્ટના થીંગડા મારી દેવામાં આવ્યા હતા.જે ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં પુનઃ નીકળી જતા હવે તો પહેલા કરતા વધુ સળિયા બહાર આવી ગયા છે,અને આખે આખી સળિયાની જાળી બહાર આવી ગઈ છે.ત્યારે તંત્ર દ્વારા ફરી એકવાર સિમેન્ટનું લીપણ કરીને થીંગડા મારવાની કામગીરી કરવામાં આવી હતી.જોકે આ સમારકામ વરસાદના જોર સામે વધુ ટક્યું નહોતું,અને પુનઃ બ્રિજના માર્ગ પર સળિયા દેખાવા લાગતા વાહનચાલકો અકસ્માતનો ભય વ્યક્ત કરી રહ્યા છે.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.