અંકલેશ્વર: શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર ગામમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનો પ્રારંભ !

કચ્છ જિલ્લાના લખમશી સોની, શાંતાબેન સોની અને રિગ્નેશ સોની તેમજ જીગ્નેશ સોની પરિવાર દ્વારા હાંસોટના રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર ગામ ખાતે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે

New Update
  • હાંસોટના વમલેશ્વર ગામ ખાતે આયોજન

  • શ્રીમદ્ ભાગવત સપ્તાહનો પ્રારંભ

  • કરછના પરિવાર દ્વારા આયોજન કરાયું

  • ભાવિક ભક્તો કરી રહ્યા છે કથાનું રસપાન

  • તા.29 નવેમ્બર સુધી ચાલશે કથા

ભરૂચના હાંસોટના શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર ખાતે કચ્છના સોની પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો છે.
કચ્છ જિલ્લાના લખમશી સોની, શાંતાબેન સોની અને રિગ્નેશ સોની તેમજ જીગ્નેશ સોની પરિવાર દ્વારા હાંસોટના રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર ગામ ખાતે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર વિકાસ મંડળ અને વમળનાથ મહાદેવ મંદિરના સહયોગથી  23થી 29મી નવેમ્બર સુધી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વમલેશ્વર ગામ ખાતે કથાનો પ્રારંભ થયો છે.કથાકાર અજયપ્રસાદ ગોર દ્વારા અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે જેનો ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે કથા દરમિયાન રાત્રિના સમયે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
Read the Next Article

ભરૂચ: વાલિયાના સોડગામની સીમમાં દીપડો નજરે પડ્યો, ગ્રામજનોમાં ભયનો માહોલ

વાલિયા ગામની સીમ બાદ વાલિયા તાલુકાના સોડગામ ગામની સીમમાં છેલ્લા ત્રણ દિવસથી દીપડાના આંટા ફેરાને લઈ ખેડૂતો ખેતી કરવામાં ભયભિત બન્યા છે.....

New Update
Sodgam
ભરૂચના વાલિયા તાલુકાના સોડગામ ગામની સીમમાં છેલ્લા ત્રણ દિવસથી દીપડાના આંટા ફેરા કરતો વિડીયો વાયરલ થતા ખેડૂતોમાં ભયનો માહોલ ભરૂચના વાલિયા ગામની સીમ બાદ વાલિયા તાલુકાના સોડગામ ગામની સીમમાં છેલ્લા ત્રણ દિવસથી દીપડાના આંટા ફેરાને લઈ ખેડૂતો ખેતી કરવામાં ભયભિત બન્યા છે.આ દીપડો ધર્મેન્દ્રસિંહ ચંદુભાઈ પ્રજાપતિના ખેતરમાં આંટા ફેરા કરતો વિડીયો આજરોજ સામે આવ્યો છે.ત્યારે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવી દીપડાને પકડવામાં આવે તે જરૂરી છે.