અંકલેશ્વર: તસ્કરોએ ભગવાનના મંદિરને પણ ન છોડ્યું, અંદાડામાં માતાજીના મગુટ અને છત્રની ચોરી

અંદાડા ગામની મારુતિ નગર સોસાયટીમાં આવેલ કોટેશ્વર મહાદેવ મંદિરને તસ્કરો નિશાન બનાવ્યું હતું.તસ્કરો મંદિરમાં પ્રવેશ કરી માતાજીના મુગટ અને છત્ર મળી કુલ ૧ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા

New Update
  • અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ

  • અંદાડામાં આવેલ મંદિરને બનાવ્યું નિશાન

  • મંદિરમાંથી માતાજીના મુગટ અને છત્રની ચોરી

  • રૂ.1 લાખથી વધુના માલમત્તાની ચોરી

  • બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી 

અંકલેશ્વરના અંદાડા ગામની મારુતિ નગર સોસાયટીમાં આવેલ  મંદિરને તસ્કરોએ નિશાન બનાવી માતાજીના મુગટ અને છત્ર મળી કુલ ૧ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા 
અંકલેશ્વર પંથકમાં શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ગતરોજ મોડી રાતે અંકલેશ્વરના અંદાડા ગામની મારુતિ નગર સોસાયટીમાં આવેલ કોટેશ્વર મહાદેવ મંદિરને તસ્કરો નિશાન બનાવ્યું હતું.તસ્કરો મંદિરમાં પ્રવેશ કરી માતાજીના મુગટ અને છત્ર મળી કુલ ૧ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
આજે સવારે શ્રદ્ધાળુઓ દર્શન પૂજન અર્થે મંદિરે પહોંચતા ચોરી અંગેની જાણ થઈ હતી જેના પગલે લોકો ભેગા થઈ ગયા હતા.ચોરી અંગે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ચોરીની ઘટનાઓ અટકાવવા માટે પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવે તેવી રહીશોએ માંગ કરી હતી. 
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.