અંકલેશ્વર: લક્ષમણ નગરમાં ચાલતા ગેસ રિફીલિંગના મોટા કૌભાંડનો SOGએ કર્યો પર્દાફાશ, ગેસના 18 સિલિન્ડર ઝડપાયા

ભરૂચ એસઓજીએ અંકલેશ્વરના લક્ષ્મણ નગરમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગનું કૌભાંડ ઝડપી પાડી એક ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

New Update
  • ભરૂચ SOGની અંકલેશ્વરમાં કાર્યવાહી

  • ગેસ રિફીલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું

  • સારંગપુરના લક્ષમણ નગરમાં પાડવામાં આવ્યા દરોડા

  • ગેસના 18 સિલિન્ડર ઝડપાયા

  • એક આરોપીની પોલીસે કરી ધરપકડ

ભરૂચ એસઓજીએ અંકલેશ્વરના લક્ષ્મણ નગરમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગનું કૌભાંડ ઝડપી પાડી એક ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
ભરૂચ એસઓજી અને અન્ય પોલીસ મથકો દ્વારા અવારનવાર ગેરકાયદેસર ગેસ રિફીલિંગનું કૌભાંડ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.છતાં ગેરકાયદેસર ગેસ રિફીલિંગ અટકવાનું નામ નથી લેતું તેવામાં ભરૂચ એસ.ઓ.જીનો સ્ટાફ એટીએસની ચાર્ટરની કામગીરીમાં અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના સારંગપુર ગામના લક્ષ્મણ નગરમાં શાક માર્કેટ પાસે સુર્યા મેન્સવે નામની દુકાનમાં ગેરકાયદેસર ગેસ રિફીલિંગ ચાલે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી નાની મોટી બોટલ મળી ૧૮ નંગ ગેસ સિલિન્ડરની બોટલો અને વજન કાંટો તેમજ રિફીલિંગ પાઈપ મળી ૨૧ હજારથી વધુનો મુદ્દામાલ કબેજ કર્યો હતો અને લક્ષ્મણ નગર મહાકાળી મંદિરની બાજુમાં રહેતો રોશનલાલ ઉર્ફે મારવાડી મીઠાલાલ ખત્રીને ઝડપી પાડ્યો હતો 
અત્રે ઉલ્લેખનીય છે કે એસ.ઓ.જી સહીતની ટીમો દ્વારા સતત દરોડા છતાં ગેસ રીફીલીંગ અટકતું નથી. પોલીસે જે જગ્યાએ દરોડા પાડી કૌભાંડ ઝડપ્યું હતું ત્યાં જ આજે સવારે ફરી ગેસ રીલીફિંગ કરી આપવામાં આવતું હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. તેવામાં પોલીસ વિભાગે ગેરકાયદેસર ગેસ રીફીલીંગને પગલે મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા આવી પ્રવૃતિઓ કાયમી ડામી દેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
Read the Next Article

ભરૂચ : આમોદ નેશનલ હાઇવે નં.64 પર આર.ટી.ઓ.ની તપાસથી ટ્રક ચાલકોમાં ફફડાટ

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી

New Update
guj amod

90,000 રૂપિયાનો દંડ વસુલાયો, ઓવરલોડ અને બિનકાયદેસર વાહનો પર કાર્યવાહી

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આર.ટી.ઓ.ઇન્સ્પેક્ટર એમ.પી. ડાયમાની આગેવાની હેઠળ આ તપાસ દરમિયાન કુલ રૂ. 90,000 જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ માર્ગ પરથી દિવસ-રાત ભારે વાહનો પસાર થાય છે, જેમાં ખાસ કરીને નમક (મીઠું), રેતી અને હઝાર્ડ વેસ્ટ ભરેલ ટ્રકોનો સમાવેશ થાય છે. ઓવરલોડ અને સુરક્ષા નિયમોની અવગણનાથી અકસ્માતોની સંભાવના વધતી હોવાથી આર.ટી.ઓ. દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.તપાસની માહિતી વાયુવેગે ફેલાતા કેટલાય ટ્રક ચાલકોએ પોતાની ઓવરલોડ વાહનો રસ્તા કિનારે ઊભા રાખી દિધા હોવાની વિગતો સામે આવી છે. રાત્રિના સમયે દહેજ તરફ જતા મીઠું ભરેલ ટ્રકો અને હઝાર્ડ વેસ્ટવાળા વાહનો ગંભીર જોખમ ઊભું કરે છે, કારણ કે કેટલાક વાહનોમાંથી પ્રવાહી રોડ પર સરકે છે, જેને લીધે અકસ્માતોની ઘટનાઓ સર્જાઈ છે.તદુપરાંત, કરજણથી વહેલી સવારે પસાર થતી રેતી ભરેલી ટ્રકોમાં યોગ્ય કવરિંગ ન હોવાને કારણે રેતી ઉડીને પાછળ આવતા બાઈક સવારોને આંખમાં વળગી જાય છે. રાત્રી દરમિયાન કેટલીક ટ્રકોની લાઈટો પણ બંધ હોવાના કારણે માર્ગ પર અકસ્માતનો ભય વધ્યો છે.