અંકલેશ્વર : પ્રકૃતિના શૃગાર રસમાં ક્યાંક પડી મોટી ખોટ..!, રંગબેરંગી પતંગિયાઓની પ્રજાતિ બની દુર્લભ...

પતંગિયાઓની પ્રજાતિની લુપ્તતા પાછળ કેવળ દુષિત થયેલ આબોહવા અને કૃષિમાં જંતુનાશક દવાઓના છંટકાવનો અતિરેક જવાબદાર પરિબળ તરીકે ઉભરીને આવી રહ્યું છે.

New Update

બાળપણમાં જેને પકડવા શૈશવ ભાગતું તે પતંગીયા ઓજલ થયા

ગ્લોબલ વોર્મીંગ-વિજ્ઞાનિકતાની આડઅસરનો ભોગ બન્યા નિર્દોષ

ફૂલો પરના પરાગરજને આરોગતા પતંગિયાઓ ક્યાં ગુમ થઇ ગયા

કલા શૈલીમાં પતંગિયાઓને ઉજાગર કરવું હવે માત્ર કલ્પના બની

માનવ આધુનિકતાની આંધળી  દોટના શિકાર બન્યા નિર્દોષ જીવ

પ્રકૃતિના શૃંગાર રસમાં ક્યાંક હવે ખૂટતું હોય તો તે છે રંગબેરંગી પતંગીયાઓની ઉડાઉડ..! ગ્લોબલ વોર્મીંગ અને વિજ્ઞાનિકતાની આડઅસરનો ભોગ આ નિર્દોષ જીવો બની ગયા છે. કૃષિ ક્ષેત્ર હોય કેબાગાયત ક્ષેત્ર જ્યાં જોઈએ ત્યાં ઉત્પાદકતામાં વધારો કરવાની ઘેલછાએ માઝા મૂકી છેત્યારેપતંગિયાઓની પ્રજાતિ ભૂતકાળ બની રહી છે.

આપણી જીવનશૈલીમાં પણ ભૌતિકતા વધી અને તેના પગલે પર્યાવરણ દુષિત થયું આબોહવા બગડી રહી છેત્યારે ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય અને તેમાં શૃંગાર રસનો ઉમેરો કરતા પતંગિયાની પ્રજાતિ હવે લુપ્ત થતી જોવા મળી રહી છે. સામાન્ય રીતે નિર્દોષ અને અબોલ એવી પતંગિયાઓની પ્રજાતિની લુપ્તતા પાછળ કેવળ દુષિત થયેલ આબોહવા અને કૃષિમાં જંતુનાશક દવાઓના છંટકાવનો અતિરેક જવાબદાર પરિબળ તરીકે ઉભરીને આવી રહ્યું છે.

ખેતર હોયબાગ-બગીચાઓ હોય કે. વન-વગડાની લીલોતરીઓ હોય ત્યાં પતંગિયાઓની ઉડાઉડ જોવા મળતી હોય છે. પરંતુ કાળક્રમે આ તેનીસુંદરતાની પાંખોને હવે સમેટી અલિપ્ત થઇ રહ્યું છે. એક સમય હતો જ્યારે બાળપણ પતંગિયાની ઉડાઉડને પકડવા ભાગતું હતું. પરંતુ ભૌતિકતાની આંધળી દોટે બાળપણની નિખાલસ મસ્તીનો એ સાથી હવે લુપ્ત થઇ રહ્યો છે.

કોઈ ચિત્રકાર કેકોઈ કવિ કદાચ તેની કલા શૈલીમાં પતંગિયાને ઉજાગર કરે પરંતુ તે તેમની કલ્પના માત્ર બની ગઈ છે. કેમ કેવાસ્તવમાં પતંગિયાઓની પ્રજાતિ ભૂતકાળ બની રહી છે. ખુદ માનવજાત ગ્લોબલ વોર્મિંગની આડઅસરનો ભોગ બની રહી છેતો આ તો નાજુકકુમણા અને અબોલ જીવોની તોશી વિસાત. તે તો કાળા માથાના માનવીની આંધળી દોટના શિકાર બનીને જ રહેવાનાછે.

Read the Next Article

ભરૂચ જિલ્લા જેલમાં રક્ષાબંધનની ભાવપૂર્ણ ઉજવણી કરાય, બહેનોએ બંદીવાન ભાઈઓના હાથ પર રક્ષા કવચ બાંધ્યું

ભાઈ-બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતાં રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, સેનેટરી ચેરમેન હેમાલી રાણા સહિત નગરસેવક

New Update

ભાઈ અને બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતો પર્વ

રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ સબજેલમાં ઉજવણી કરાય

પાલિકા-જનહિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના બહેનોની ઉપસ્થિતિ

નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ રહ્યા વિશેષ ઉપસ્થિત

બંદીવાનોને હાથ પર રાખડી બાંધી રક્ષા કવચ અર્પણ કર્યું

ભાઈ-બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતાં રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવસેનેટરી ચેરમેન હેમાલી રાણા સહિત નગરસેવક બહેનો તથા જનહિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ જીજ્ઞાશા ગોસ્વામીગ્રુપ લીડર નયના ખુમાણમિતાક્ષી સોલંકી અને ટ્રસ્ટની બહેનો દ્વારા ભરૂચ જિલ્લા જેલની મુલાકાત લેવામાં આવી હતી.

આ ખાસ પવિત્ર અવસરે જેલના અધિકારી-કર્મચારીઓ તેમજ બંદીવાન ભાઈઓના હાથ પર રાખડી બાંધી રક્ષાનું પવિત્ર કવચ અર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ બહેનોએ ભાઈઓનું મોઢું મીઠું કરાવી રક્ષાબંધનના તહેવારને સ્નેહથી ઉજવવામાં આવ્યો હતો. ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ તથા ટ્રસ્ટની બહેનો દ્વારા તમામ બંદીવાન ભાઈઓને ખુદને સુધારવાનો સંકલ્પ લેવા પ્રેરણા આપવામાં આવી હતી. તેમને ખોટા દૂષણોથી દૂર રહીએક સારા નાગરિક તરીકે સમાજમાં ફરીથી સ્થાન મેળવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.