અંકલેશ્વર: GIDCમાંથી શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેમ્પો ઝડપાયો,રૂ.5 લાખનો મુદ્દામાલ જપ્ત

ટેમ્પા ચાલક જીતેન્દ્ર કુશવાહા પાસે આધાર પુરાવા ન મળી આવતા પોલીસે શંકાસ્પદ કેમિકલ અને ટેમ્પો મળી રૂ.5.07 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

New Update
  • ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની કાર્યવાહી

  • અંકલેશ્વર GIDCમાંથી ઝડપાયો ટેમ્પો

  • શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેમ્પો ઝડપાયો

  • રૂ.5 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

  • જીઆઇડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ફિકમ ચોકડી નજીકથી પોલીસે શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેમ્પા ને ઝડપી પાડી કુલ રૂપિયા 5.07 લાખનો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપનો સ્ટાફ અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે અંક્લેશ્વર જી.આઇ.ડી.સી.માં આવેલ વિહીતા કેમ કંપનીમાથી એક આઇસર ટેમ્પો નંબર- GJ-16-Z-9734 માં વગર પાસ પરમીટ કે બીલ વગર શંકાસ્પદ મટીરીયલ પ્લાસ્ટીકના બેરલો ભરીને ખાલી કરવા જનાર છે જેના આધારે પોલીસે વોચ ગોઠવી ફિકોમ ચોકડી નજીકથી બાતમી વાળો ટેમ્પો ઝડપી પાડ્યો હતો.
ટેમ્પામાં તપાસ કરતા અંદરથી શંકાસ્પદ કેમિકલ ભરેલ 36 બેરલ મળી આવ્યા હતા.આ અંગે ટેમ્પા ચાલક જીતેન્દ્ર કુશવાહા પાસે આધાર પુરાવા ન મળી આવતા પોલીસે શંકાસ્પદ કેમિકલ અને ટેમ્પો મળી રૂ.5.07 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બનાવની વધુ તપાસ જીઆઇડીસી પોલીસ ચલાવી રહી છે.
Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.