અંકલેશ્વર: ગડખોલની માયાનગરી સોસા.ના મકાનમાં રૂ.13.66 લાખના માલમત્તાની ચોરી કરનાર આરોપી ઝડપાયો

રૂપિયા 13.66 લાખના સોના ચાંદીના દાગીના સહિતના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ જવાના મામલામાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

New Update
  • અંકલેશ્વરમાં બન્યો હતો બનાવ

  • ગડખોલની માયાનગરી સોસા.માં થઇ હતી ચોરી

  • રૂ.13.66 લાખના માલમત્તાની થઈ હતી ચોરી

  • ક્રાઇમ બ્રાન્ચે આરોપીની કરી ધરપકડ

  • સિકલીગર ગેંગનો આરોપી ઝડપાયો

અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ માયાનગરી સોસાયટીના મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા 13.66 લાખના સોના ચાંદીના દાગીના સહિતના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ જવાના મામલામાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ માયાનગરી સોસાયટીના મકાન નંબર બી- 13માં રહેતા ચંદ્રેશ્વર યાદવ હાલ નિવૃત્તિ જીવન ગુજારે છે અને તેમના પુત્ર અમદાવાદ ખાતે નોકરી કરે છે. ગત તારીખ 12મી મેની રાત્રીએ તેઓ તેમના મકાનના ગ્રાઉન્ડ ફ્લોરના દરવાજાનું તાળુ મારી ઉપરના માળે સુવા ગયા હતા તે દરમિયાન રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમે મકાનમાં પ્રવેશ કરી કબાટમાં મુકેલ રૂપિયા 13.66 લાખના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
આ અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમ્યાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ચોરીના ગુનામાં સંડોવાયેલ અને હાંસોટના લલિતસાગર વિસ્તારમાં રહેતા અમરજીતસિંગ સુરજીતસિંગ સિકલીગરની ધરપકડ કરી તેને બી ડિવિઝન પોલીસ મથકને હવાલે કર્યો છે.આરોપી ચોરીના અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ એ સહિતની દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Read the Next Article

ભરૂચ : માધ્યમિક શાળાના કર્મચારીઓની કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીની 58મી સામાન્ય સભા યોજાઈ

ધી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીની 58મી સામાન્ય સભા મળી હતી.જેમાં અમદાવાદ ખાતેના પ્લેન દુર્ઘટનાનાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

New Update
  • કર્મચારીઓની કો-ઓપ.ક્રેડીટ સોસા.ની 58મી સામાન્ય સભા

  • ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના સભાખંડ ખાતે યોજાય સામાન્ય સભા

  • અમદાવાદ પ્લેન ક્રેશનાં મૃતકોને પાઠવી શ્રદ્ધાંજલિ

  • બાળકોને શૈક્ષણિક કીટનું પણ કરાયું વિતરણ

  • નિવૃત સભાસદોનું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કરાયું સન્માન   

ભરૂચની ડિસ્ટ્રિક્ટ બેંકના સભાખંડ ખાતે ઘી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીની 58મી સામાન્ય સભા મળી હતી.

ભરૂચની ડિસ્ટ્રિક્ટ બેંકના સભાખંડ ખાતે ધી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીની 58મી સામાન્ય સભા મળી હતી.જેમાં અમદાવાદ ખાતેના પ્લેન દુર્ઘટનાનાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી,આ ઉપરાંત  બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ સામાન્ય સભામાં નિવૃત્ત થયેલા સભાસદોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.અને સભામાં સંસ્થાના સભ્યો સાથે વિકાસ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ પ્રસંગે ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળ પ્રમુખ પ્રવીણસિંહ રણા,કિરીટસિંહ ધરિયા,અજય રણા,ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર રવિન્દ્ર રણા સહિત ગુજરાત રાજ્ય સહકારી સંઘ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.