અંકલેશ્વર: કાપોદ્રા ગામે રૂ.1.40 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ખાડીબ્રિજના કાર્યનું કરાયુ ખાતર્મુહુત

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામે રૂ1.40 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ખાડીબ્રિજનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમર્હુત કરવામાં આવ્યુ હતું

New Update
  • અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામે થશે નિર્માણ

  • ખાડીબ્રિજનું નિર્માણ કરવામાં આવશે

  • સરકાર દ્વારા રૂ.1.40 કરોડ મંજુર કરાયા

  • ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુર્હુત

  • ગ્રામજનોને અવરજવારમાં રહેશે સાનુકૂળતા

Advertisment
અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામે રૂ1.40 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ખાડીબ્રિજનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમર્હુત કરવામાં આવ્યુ હતું
અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામે આવેલ ખાડીબ્રીજ જર્જરીત થઈ  ગયો હતો.સાથે જ ચોમાસામાં ખાડીબ્રિજ પરથી પાણી ફરી વળતા ગ્રામજનોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી હતી.આ અંગે તેઓ દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને રજૂઆત કરવામાં આવી હતી. ઈશ્વરસિંહ પટેલે રાજ્ય સરકારમાં રજૂઆત કરતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા એક કરોડ ૪૦ લાખ મંજુર કરવામાં આવ્યા હતા ત્યારે આજરોજ ખાડીબ્રિજના કાર્યની ખાતમુર્હુત વિધિ યોજાય હતી.આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય આરતીબેન પટેલ, ગામના સરપંચ આયેશાબહેન, તલાટી તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.ખાડીબ્રિજના નિર્માણ બાદ ગ્રામજનોને અવરજવર કરવામાં સાનુકૂળતા રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાં માર્ગો અને બ્રિજના નિર્માણ માટે રૂપિયા 50 કરોડ મંજુર કરવામાં આવ્યા છે ત્યારે વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે
Advertisment
Read the Next Article

ભરૂચ : ઇતિહાસના સાક્ષી, અવગણનાના શિકાર બન્યા નર્મદા ઘાટ,પર્યટન સ્થળ તરીકે  પુનઃવિકાસની ઉઠી પોકાર

સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબ, ભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓ, પવિત્ર સ્નાન, તહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા.

author-image
By Connect Gujarat Desk
New Update
  • નર્મદા ઘાટ બન્યા દુર્દશાનો શિકાર

  • ઇતિહાસના સાક્ષી ઘાટોની અવગણના

  • પવિત્ર ઘાટ પર સંતો અને ઋષિઓએ કર્યા છે તપ

  • વારાણસી મુજબ જ નર્મદા ઘાટનાં વિકાસનો પોકાર

  • પર્યટન સ્થળ તરીકે ઘાટનાં વિકાસ માટે ઉઠી માંગ 

Advertisment

ભરૂચના નર્મદા કિનારાનાં ઘાટ આજે પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યા છે. સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓપવિત્ર સ્નાનતહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા. આ ઘાટો પર સંતો અને ઋષિઓએ તપ કર્યા હતા,તો કેટલાક ઘાટો ઐતિહાસિક યુદ્ધો અને યાત્રાઓના સાક્ષી રહ્યા છે. આજના સમયમાં આ ઘાટો તૂટી ગયેલી પાળીઓકચરો અને પાણીના ભરાવા સહિત ગંદકી જેવી સમસ્યાઓથી ઘેરાયેલા છે.

ભરૂચની જનતાનું કહેવું છે કે સરકાર દ્વારા 'સ્ટેચ્યુ ઓફ યુનિટીજેવા વિશ્વવિખ્યાત પ્રોજેક્ટ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યોપણ એ જ નર્મદા નદીના પવિત્ર ઘાટો આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. ત્યાં લાઇટિંગ,પીવાનું પાણી,શૌચાલય કે બેસવાની વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ નથી.

સ્થાનિક સામાજિક કાર્યકરોઐતિહાસિક રસ ધરાવતા લોકો અને ધાર્મિક સંગઠનો સરકારને આગ્રહ કરી રહ્યા છે કે નર્મદા ઘાટોનું દસ્તાવેજી કરણ કરવામાં આવેઅને તેમની પૌરાણિક તથા ઐતિહાસિક મહત્તાને પ્રકાશમાં લાવીને ઘાટોનું સૌંદર્યકરણ કરવામાં આવે. સાથે જ ઘાટોની કથાઓ અને ઇતિહાસ દર્શાવતું દ્રશ્ય અને ઓડિયો માર્ગદર્શન દિવાલ ચિત્રો અને સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ કરવાથી ધાર્મિક પર્યટન વધારી શકાય તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે. 

Advertisment