અંકલેશ્વર: કાપોદ્રા ગામે રૂ.1.40 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ખાડીબ્રિજના કાર્યનું કરાયુ ખાતર્મુહુત

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામે રૂ1.40 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ખાડીબ્રિજનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમર્હુત કરવામાં આવ્યુ હતું

New Update
  • અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામે થશે નિર્માણ

  • ખાડીબ્રિજનું નિર્માણ કરવામાં આવશે

  • સરકાર દ્વારા રૂ.1.40 કરોડ મંજુર કરાયા

  • ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુર્હુત

  • ગ્રામજનોને અવરજવારમાં રહેશે સાનુકૂળતા

Advertisment
અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામે રૂ1.40 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ખાડીબ્રિજનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમર્હુત કરવામાં આવ્યુ હતું
અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામે આવેલ ખાડીબ્રીજ જર્જરીત થઈ  ગયો હતો.સાથે જ ચોમાસામાં ખાડીબ્રિજ પરથી પાણી ફરી વળતા ગ્રામજનોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી હતી.આ અંગે તેઓ દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને રજૂઆત કરવામાં આવી હતી. ઈશ્વરસિંહ પટેલે રાજ્ય સરકારમાં રજૂઆત કરતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા એક કરોડ ૪૦ લાખ મંજુર કરવામાં આવ્યા હતા ત્યારે આજરોજ ખાડીબ્રિજના કાર્યની ખાતમુર્હુત વિધિ યોજાય હતી.આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય આરતીબેન પટેલ, ગામના સરપંચ આયેશાબહેન, તલાટી તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.ખાડીબ્રિજના નિર્માણ બાદ ગ્રામજનોને અવરજવર કરવામાં સાનુકૂળતા રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાં માર્ગો અને બ્રિજના નિર્માણ માટે રૂપિયા 50 કરોડ મંજુર કરવામાં આવ્યા છે ત્યારે વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે
Advertisment
Read the Next Article

ભરૂચ: વાગરમાં જવેલર્સની આંખમાં મરચાની ભૂકીનાંખી લૂંટ, જુઓ લૂંટના CCTV

વાગરાની ઓમ જવેલર્સ નામની દુકાનમાં બુકાનીધારી અજાણ્યો ઈસમ પ્રવેશ્યો હતો અને તેણે જ્વેલર્સને વાતોમાં ભોળવી મરચાની ભૂકી નાખી સોનાના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયો

New Update
  • ભરૂચના વાગરાનો ચકચારી બનાવ

  • જવેલરી શોપમાં લૂંટ

  • બુકાનીધારી ઇસમે ચલાવી લૂંટ

  • જવેલર્સની આંખમાં મરચાની ભૂકી નાંખી

  • સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા

Advertisment
ભરૂચના વાગરામાં આવેલ જવેલરી શોપમાં ધોળા દિવસે લૂંટના બનાવથી ચકચાર મચી જવા પામી છે.લૂંટના બનાવના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે ભરૂચના વાગરામાં જ્વેલરી શોપમાં લૂંટના બનાવથી ચકચાર મચી જવા પામી છે.
વાગરાના ભરચક એવા બજાર વિસ્તારમાં આવેલી ઓમ જવેલર્સ નામની દુકાનમાં બુકાનીધારી અજાણ્યો ઈસમ પ્રવેશ્યો હતો તેણે જ્વેલર્સને વાતોમાં ભોળવી મરચાની ભૂકી નાખી સોનાના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો.બનાવની જાણ થતાની સાથે જ વાગરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ફરાર લૂંટારુને ઝડપી પાડવા ચક્રોગતિમામ કર્યા હતા.ધોળે દિવસે જ બજાર વિસ્તારમાં લૂંટના બનાવથી ખળભળાટ મચી જવા પામ્યો છે.
Advertisment