અંકલેશ્વર: કાપોદ્રા ગામે રૂ.1.40 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ખાડીબ્રિજના કાર્યનું કરાયુ ખાતર્મુહુત

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામે રૂ1.40 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ખાડીબ્રિજનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમર્હુત કરવામાં આવ્યુ હતું

New Update
  • અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામે થશે નિર્માણ

  • ખાડીબ્રિજનું નિર્માણ કરવામાં આવશે

  • સરકાર દ્વારા રૂ.1.40 કરોડ મંજુર કરાયા

  • ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુર્હુત

  • ગ્રામજનોને અવરજવારમાં રહેશે સાનુકૂળતા

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામે રૂ1.40 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ખાડીબ્રિજનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમર્હુત કરવામાં આવ્યુ હતું
અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામે આવેલ ખાડીબ્રીજ જર્જરીત થઈ  ગયો હતો.સાથે જ ચોમાસામાં ખાડીબ્રિજ પરથી પાણી ફરી વળતા ગ્રામજનોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી હતી.આ અંગે તેઓ દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને રજૂઆત કરવામાં આવી હતી. ઈશ્વરસિંહ પટેલે રાજ્ય સરકારમાં રજૂઆત કરતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા એક કરોડ ૪૦ લાખ મંજુર કરવામાં આવ્યા હતા ત્યારે આજરોજ ખાડીબ્રિજના કાર્યની ખાતમુર્હુત વિધિ યોજાય હતી.આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય આરતીબેન પટેલ, ગામના સરપંચ આયેશાબહેન, તલાટી તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.ખાડીબ્રિજના નિર્માણ બાદ ગ્રામજનોને અવરજવર કરવામાં સાનુકૂળતા રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાં માર્ગો અને બ્રિજના નિર્માણ માટે રૂપિયા 50 કરોડ મંજુર કરવામાં આવ્યા છે ત્યારે વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે
Read the Next Article

અંકલેશ્વર: હાંસોટના ઇલાવ ગામે રૂપસુંદરી નામનો સાપ નજરે પડ્યો, જીવદયા પ્રેમી દ્વારા પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મુકાયો

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સરીસૃપો દરમાંથી બહાર આવી જતા હોય છે. આવા સમયે ભરૂચના હાંસોટના તાલુકાના ઇલાવ ગામે સાપ નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી.

New Update
Screenshot_2025-07-09-07-39-15-29_92460851df6f172a4592fca41cc2d2e6

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સરીસૃપો દરમાંથી બહાર આવી જતા હોય છે. આવા સમયે ભરૂચના હાંસોટના તાલુકાના ઇલાવ ગામે સાપ નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી.

ઇલાવ ગામે રામજી મંદિર ફળિયામાં યુવાનોએ સાપ જોયો હતો આ અંગેની જાણ સાપ રક્ષણ માટે છેલ્લા ત્રણ વર્ષથી કાર્ય કરતા ગામના  જૈમીન  પરમારને કરી હતી.જૈમીન પરમારે આવી સાપનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી હતી.સાપને બહાર કાઢી જોતા તે 2 ફૂટ લાંબો અને બિનઝેરી પ્રજાત્તિનો રૂપસુંદરી તરીકે ઓળખતો સાપ હોવાનું જણાવ્યું હતું. તેનો દેખાવ ખુબ સુંદર હોય તેને રૂપસુંદરી કહેવામાં આવે છે. ગ્રામજનો તેને સૂકી સાપણ તરીકે પણ ઓળખે છે.અંગ્રેજીમાં તેને કોમન ટ્રીનકેટ સાપ તરીકે પણ ઓળખવામાં આવે છે.