અંકલેશ્વર: GIDCમાં અજાણ્યા વાહનની અડફેટે ટ્રકચાલકનું મોત નિપજ્યું

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કેડીલા કંપની નજીક અજાણ્યા વાહનની અડફેટે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું

New Update
  • અંકલેશ્વર જીઆઈડીસીમાં અકસ્માતનો બનાવ

  • કેડીલા કંપની નજીક સર્જાયો અકસ્માત

  • અજાણ્યા વાહનચાલકે રાહદારીને લીધો અડફેટે

  • અકસ્માતમાં રાહદારીનું મોત

  • મૃતક ટ્રક ચાલક હોવાનું બહાર આવ્યું

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કેડીલા કંપની નજીક અજાણ્યા વાહનની અડફેટે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે.અકસ્માતના આ બનાવમાં જીઆઇડીસીમાં આવેલી કેડીલા ફાર્મા કંપની નજીકથી આજે વહેલી સવારે એક વ્યક્તિ ચાલતો પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પૂરઝડપે જતા અજાણ્યા વાહનના ચાલકે રાહદારીને અડફેટમાં લીધો હતો જેમાં ગંભીર ઇજાના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ તરફ અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો.બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટે ખસેડ્યો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક વડોદરાનો રહેવાસી અફઝલ નામનો ઈસમ હોવાનું બહાર આવ્યું છે.આ ઉપરાંત તે ટ્રક ચલાવતો હતો. આ મામલામાં જીઆઇડીસી પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ: અષાઢી બીજે 6 સ્થળોએથી નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, પોલીસ ડ્રોન કેમેરાથી રાખશે નજર

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢી બીજના

New Update

ભરૂચમાં આવતીકાલે કરવામાં આવ્યું આયોજન

6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન

પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર

700થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે. ભરૂચ શહેરમાં ત્રણ, અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે. ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર, અને સોનેરીમહલ સુધી યોજાઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી  સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.રથયાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.