અંકલેશ્વર: અતુલ હાઉસિંગ કોલોની ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો

અંકલેશ્વરના ગડખોલ ગામ પાસે આવેલ અતુલ હાઉસિંગ કોલોની ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

  • રક્તદાતાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન

  • રેડક્રોસ બ્લડ બેંકનો સહયોગ સાંપડ્યો

  • આમંત્રીતો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરના ગડખોલ ગામ પાસે આવેલ અતુલ હાઉસિંગ કોલોની ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
અંકલેશ્વરની અતુલ લિમિટેડ,રેડક્રોસ બ્લડ બેંક ભરૂચ અને પર્યાવરણ સુરક્ષા અને માનવ કલ્યાણ એસોસિએશનના સહયોગથી અંકલેશ્વરના ગડખોલ ગામ પાસે આવેલ અતુલ હાઉસિંગ કોલોની ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં ઉત્સાહ ભેર કર્મચારીઓ અને લોકોએ રક્તદાન કર્યું હતું.આ કેમ્પમાં પ્રવિણ મોરે, જયેશ શુક્લ, સલીમ કડીવાલા,દિવ્યકાંત જોગ સહીત લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગનો સપાટો, 7 દિવસમાં ખનીજ માફિયાઓના 8 વાહનો મળી રૂ.1.90 કરોડનો.મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન

New Update
MixCollage-16-Jun-2025-09-09-PM-1828

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભુસ્તરશાસ્ત્રી  સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડેશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનોને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.