અંકલેશ્વર:નહેરમાં જોખમી કેમિકલ ઠાલવવાના મામલામાં 4 દિવસથી વોટર સપ્લાય બંધ, સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે સાફ સફાઈ

અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ઉકાઈ યોજનાની નહેરમાં જોખમી રાસાયણિક કચરો ઠાલવવાના મામલામાં સતત ચાર દિવસથી નહેરમાં વોટર સપ્લાય બંધ રહ્યો છે.

New Update
  • અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક બન્યો હતો બનાવ

  • નહેરમાં ઠલવાયુ હતું જોખમી કેમિકલ

  • સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઇ છે

  • નહેરમાં 4 દિવસથી વોટર સપ્લાય બંધ

  • સિંચાઈ વિભાગ દ્વારા નહેરની સાફ સફાઈ કરાય

અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ઉકાઈ યોજનાની નહેરમાં જોખમી રાસાયણિક કચરો ઠાલવવાના મામલામાં સતત ચાર દિવસથી નહેરમાં વોટર સપ્લાય બંધ રહ્યો છે. સિંચાઈ વિભાગ દ્વારા નહેરની સફાઈ અને કેમિકલ દૂર થવાની ખાતરી કરવામાં આવી રહી છે.

અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ગત તારીખ ૧૪ ફેબ્રુઆરીએ  હેઝાડ્સ કેમિકલ વેસ્ટને ઉકાઈ યોજનાની નહેરમાં ઠાલવી દેવાયું હતું. કેમિકલ એટલું તીવ્ર હતું કે પાણીમાં તરતી માછલીઓ તરફડીને મરવા લાગી હતી જ્યારે નહેરના પાણીનો રંગ બદલાયો હતો. ઘટનાના પગલે અંકલેશ્વર શહેર અને જીઆઇડીસીને મળતો પાણી પુરવઠો અટકાવી તળાવોના ઇનલેટ વાલ્વ બંધ કરાયા હતા ત્યારે સતત ચોથા દિવસે પણ નહેરમાં વોટર સપ્લાય બંધ રહ્યો હતો.

સિંચાઈ વિભાગ દ્વારા નહેરની સફાઈ અને કેમિકલ દૂર થવાની ખાતરી કરવામાં આવી રહી છે હાલમાં જીઆઇડીસી અને શહેરમાં તળાવમાં સ્ટોર પાણીમાંથી નગરજનોને પાણી આપવામાં આવી રહ્યું છે જેનાથી જળસંકટ હજુ સુધી સર્જાયું નથી જોકે નહેર શરૂ થતા હજુ એકથી બે દિવસનો સમય લાગી શકે છે.આ તરફ આ સમગ્ર મામલા અંગે સિંચાઈ વિભાગ દ્વારા પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પોલીસે વિવિધ ટીમ બનાવી નહેરમાં જોખમી રસાયણ કચરો કોના દ્વારા ઠલવાયો તે સહિતની તપાસ કરવામાં આવી રહી છે.

Read the Next Article

ભરૂચ: આમોદ-જંબુસરને જોડતો જર્જરીત બ્રિજ મોટા વાહનો માટે બંધ,કલેકટર ગૌરાંગ મકવાણાએ કર્યું સ્થળ નિરીક્ષણ

આમોદ-જંબુસરને જોડતો જર્જરીત બ્રિજને તાત્કાલિક અસરથી ભારદારી વાહનોના પસાર થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કાર સહિતના નાના વાહનો જ આ બ્રિજ પરથી પસાર થઈ શકશે

New Update
  • ભરૂચના આમોદ જંબુસર વચ્ચે આવેલો છે બ્રિજ

  • ઢાઢર નદી પરનો બ્રિજ છે જર્જરીત હાલતમાં

  • કલેકટરે બ્રિજની લીધી મુલાકાત

  • બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો

  • યુદ્ધના ધોરણે સમારકામ કરાશે

ભરૂચના જંબુસર થી આમોદને જોડતા ઢાઢર નદી પરના જર્જરીત બ્રિજ પરથી ભારદારી વાહનોના પસાર થવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ સાથે જ કલેકટર ગૌરાંગ મકવાણાએ પણ જર્જરીત બ્રિજ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું.

તાજેતરમાં જ વડોદરા આણંદ વચ્ચે આવેલ મહીસાગર નદી પરનો બ્રિજ ધારાશાયી થઈ જતા 19 જેટલા લોકોના મોત નિપજ્યા છે ત્યારે ભરૂચના આમોદથી જંબુસરને જોડતો ઢાઢર નદી પરનો બ્રિજ પણ અત્યંત જર્જરીત હાલતમાં હોવાના અહેવાલ પ્રકાશિત થયા હતા. આ બાદ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે કલેકટર ગૌરાંગ મકવાણાએ આજરોજ બ્રિજ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું.

અધિકારીઓ પાસે બ્રિજની સ્થિતિ અંગેની માહિતી મેળવી હતી ત્યારબાદ તાત્કાલિક અસરથી આ બ્રિજ પરથી ભારદારી વાહનોના પસાર થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કાર સહિતના નાના વાહનો જ આ બ્રિજ પરથી પસાર થઈ શકશે. મોટા વાહનો માટે તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. બ્રિજ બંધ રહેશે તે દરમિયાન યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે જર્જરીત બ્રિજની ગંભીરતા સમજી કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.