અંકલેશ્વર: કેમિકલ કાંડ બાદ નહેરમાં પાણી પુરવઠો શરૂ,સામાજિક કાર્યકર્તા દ્વારા કસુરવાર ઉદ્યોગ સંચાલકો સામે કડક કાર્યવાહીની માંગ

નહેરમાં હેઝાડ્સ વેસ્ટ ઠાલવી 1 લાખ લોકોના જીવનું જોખમ ઉભું કરનાર 5 આરોપીની ધરપકડ બાદ નહેરની સાફ સફાઈ થતા આજથી નહેરમાં પાણી પુરવઠો ફરી શરૂ કરવામાં આવ્યો

author-image
By Connect Gujarat Desk
New Update
  • અંકલેશ્વરમાં બન્યો હતો ચકચારી બનાવ

  • નહેરમાં કેમિકલ યુક્ત પાણી ઠલવાયું હતું

  • સિંચાઈ વિભાગ દ્વારા નહેરની સાફ સફાઈ પૂર્ણ કરાય

  • 5 દિવસ બાદ નહેરમાં પાણી પુરવઠો શરૂ કરાયો

  • અત્યાર સુધી 5 લોકોની થઈ છે ધરપકડ

Advertisment

 

 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના બાકરોલ નજીક ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં હેઝાર્ડસ વેસ્ટ ઠાલવવામાં આવ્યો હતો. જોકેનહેરની સાફ સફાઈ થતા આજથી નહેરમાં પાણી પુરવઠો ફરી શરૂ કરવામાં આવ્યો છેત્યારે નગરપાલિકા દ્વારા પાણીની યોગ્ય તપાસ બાદ શહેરીજનોને પાણી પુરવઠો આપવામાં આવશે. તો બીજી તરફ મામલે કસૂરવાર ઉદ્યોગ સંચાલકો સામે સામાજિક કાર્યકર્તા દ્વારા કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

ગત તારીખ 14 ફેબ્રુઆરીએ નહેરનું પાણી અચાનક લીલા રંગનું બનવા સાથે માછલીઓ ટપોટપ મરવા લાગતા ચિંતા સાથે નહેર વિભાગનોટીફાઈડ એરિયા ઓથોરીટી અને નગરપાલિકાએ તપાસ શરૂ કરી હતી. બાકરોલ નજીક નહેરમાં હેઝાર્ડસ કેમિકલ વેસ્ટ ઠલવાયું હોવાનું બહાર આવતા પોલીસ તપાસ શરૂ કરાઈ હતી.

આજે 5 દિવસ બાદ નહેરમાં પાણી પુરવઠો ફરી શરૂ કરી શકાયો છે. આ દરમિયાન સિંચાઈ વિભાગ દ્વારા નહેરની સાફ સફાઈ કરવામાં આવી હતી અને કેમિકલ ન હોવાની ખાતરી થતાં પુન: પાણી પુરવઠો શરૂ કરવામાં આવ્યો છે.બીજી તરફ જીપીસીબીએ પણ કડકાઈનો કોરડો વીંઝ્યો છે.

જીપીસીબીએ નહેરમાં કેમિકલ ઠાલવનાર કંપની કયૂ.સી.લેબ પ્રાઈવેટ લિમિટેડને કલોઝર નોટિસ ફટકારી 25 લાખનો દંડ ચૂકવવા આદેશ કર્યો છે.ઉલ્લેખનીય છે કે કંપનીના કર્મચારીઓ સહિત અત્યાર સુધી 5 લોકોની ધરપકડ કરાઈ છે. આગામી દિવસમાં આ મામલામાં સંડોવાયેલ અન્ય લોકોની પણ ધરપકડ થઈ શકે છે. 

Advertisment

જ્યારે ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં પાણી પુરવઠો શરૂ કરવામાં આવ્યો છે,ત્યારે અંકલેશ્વર નગરજનોએ પાણી માટે હજી થોડો સમય રાહ જોવી પડશે,નગરપાલિકા દ્વારા ગામ તળાવમાં પાણી પુરવઠો મળ્યા બાદ પાણીની યોગ્ય રીતે ચકાસણી કરીને પાણી પુરવઠો રાબેતા મુજબ શરૂ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

તો બીજી તરફ અંકલેશ્વરના ઉમરવાડા ખાતે રહેતા સામાજિક કાર્યકર અને પર્યાવરણ પ્રેમી જુનેદ યુસુફ પાંચભાયા દ્વારા પણ જિલ્લા કલેકટર,પોલીસ તંત્ર તેમજ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને લેખિતમાં અરજી કરીને રજૂઆત કરી છે,જેમાં તેઓએ નહેરના પાણીમાં ઝેરી કેમિકલ ઠાલવનાર તત્વો અને જવાબદાર કયુ.સી.લેબ પ્રા.લી.ના સંચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે,વધુમાં તેઓએ કંપનીનું લાઇસન્સ પણ રદ કરવા માટે રજૂઆત કરી છે.

Advertisment
Read the Next Article

ભરૂચ : તમામ તાલુકા મથકો પર સિવિલ ડિફેન્સની તાલીમનો આજથી પ્રારંભ, ઉત્સાહભેર લોકો જોડાયા

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચ સહિત તમામ તાલુકા મથકો ઉપર આજથી સિવિલ ડિફેન્સની તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઇ રહ્યા છે.

New Update

ભરૂચ વહીવટી તંત્ર દ્વારા કરાયુ આયોજન

Advertisment

સિવિલ ડિફેન્સ અંગેની તાલીમ યોજાય

તમામ તાલુકા મથકો પર આયોજન

લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો

અધિકારીઓએ પણ આપી હાજરી

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચ સહિત તમામ તાલુકા મથકો ઉપર આજથી સિવિલ ડિફેન્સની તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઇ રહ્યા છે.
Advertisment
ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ તાલુકા મથકો સહિત આજરોજ ભરૂચ ગ્રામ્ય અને શહેર તાલુકા માટે સિવીલ ડીફેન્સ કાર્યક્રમનું આયોજન જે.પી. આર્ટસ કોલેજ ભોલાવ ખાતે કરાયું હતું.આ તાલીમમાં નાયબ કલેક્ટર નીકુંજ પેટલ દ્નારા ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તાલીમનો મુખ્ય હેતુ આપતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોને સ્વ બચાવની પધ્ધતિઓથી વાકેફ કરવાનો છે. સ્વરક્ષણથી સમાજ રક્ષણ અને દેશના રક્ષણ કાજે અમૂલ્ય તકનો લાભ લઇ તાલીમમાં જોડાવા માટે તેમણે આહવાન કર્યું હતું.આ તાલીમમાં પ્રાંત અધિકારી મનીષા મનાણી, ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી, તાલુકા વિકાસ અધિકારી લાડુમોર, તેમજ એનસીસી કેડેટ્સ, વિદ્યાર્થીઓ, ઉપસ્થિત રહ્યા હતા.
Advertisment