સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના
શિક્ષક પિતાએ બે પુત્રો સાથે કર્યો આપઘાત
આપઘાત પાછળનું કારણ અકબંધ
પિતા પુત્રોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા
પોલીસે ઘટના અંગેની શરૂ કરી તપાસ
સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને બાદમાં તે દવા પોતે પણ પી લીધી હતી. જેમાં માતાનું મોત નીપજ્યું હતું. જ્યારે બાળક સારવાર હેઠળ છે. ત્યારે હવે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાના બે માસૂમ પુત્રો સાથે જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
સુરતના ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશ કાંતિભાઈ સોલંકી ઉં.વ. 41 મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના વતની છે,અને હાલ સુરતમાં પરિવાર સાથે રહે છે. મૃતક શિક્ષક અલ્પેશ સોલંકીએ પોતાના 2 વર્ષીય પુત્ર કર્નિશ અલ્પેશભાઈ સોલંકી અને 8 વર્ષીય પુત્ર ક્રીશીવ અલ્પેશભાઈ સોલંકી સાથે આપઘાત કરી લેતાં શોકનો માહોલ છવાયો છે. ગુરુવારે મોડી સાંજે તેમના ક્વાર્ટરમાંથી કોઈ પ્રતિસાદ ન મળતાં પાડોશીઓને શંકા ગઈ હતી. જ્યારે દરવાજો તોડીને અંદર જોયું તો ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને બાળકોના મૃતદેહ બેડ પર મૃત અવસ્થામાં મળી આવ્યા હતા, જ્યારે અલ્પેશભાઇની ડેડબોડી લટકતી હાલતમાં મળી આવી હતી.
આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પાછળ કયું કારણ જવાબદાર છે તે જાણવા પોલીસે શિક્ષકના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.
અંકલેશ્વર:સોશ્યલ મીડિયા પર આદિવાસી સમાજ અંગે અભદ્ર ટિપ્પણી કરનાર યુવાનની અટકાયત, માફી મંગતો વિડીયો પણ કર્યો જાહેર
અંકલેશ્વરમાં સોશિયલ મીડિયા પર આદિવાસી સમાજની લાગણી દુભાવનાર ઈસમની પોલીસે અટકાયત કરી હતી.લાગણી દુભાવવા બદલ યુવકે માફી માંગતો વિડીયો પણ જાહેર કર્યો હતો
અંકલેશ્વરમાં બન્યો હતો બનાવ
આદિવાસી સમાજ અંગે કરાય હતી ટિપ્પણી
સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરાય હતી
વિવાદિત પોસ્ટ કરનાર યુવનની અટકાયત
માફી માંગતો વિડીયો પણ જાહેર કર્યો
સુરત : શિક્ષક પિતાએ બે પુત્રો સાથે અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું, પોલીસે શરૂ કરી તપાસ,આપઘાતનું કારણ અકબંધ
સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી ભરૂચ | ગુજરાત | Featured
ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પરથી ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ, જાહેરનામું વધુ 3 માસ લંબાવાયું
જાહેરનામાના આદેશનું ઉલ્લંઘન કરનાર ઈસમ સામે ભારતીય ફોજદારી ધારા કલમ ૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચ | સમાચાર |
અંકલેશ્વર: આંગણવાડી કર્મચારીઓના પડતર પ્રશ્ને સરકાર સામે આંદોલનના મંડાણ, ગાંધીનગરમાં યોજાશે રેલી
અંકલેશ્વર જી.આઈ.ડી.સી. ખાતે મળેલ બેઠકમાં ભરૂચ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ સંલગ્ન ભારતીય મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્ને સરકાર સામે આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. સમાચાર
ભરૂચ: નેત્રંગના થવા ખાતે આવેલ PM SHRI કૃષ્ણ આશ્રમશાળા દેશની શ્રેષ્ઠ શાળામાં સ્થાન પામી
ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ૨૯ જુલાઈ ૨૦૨૫ ના રોજ દિલ્હી ખાતે યોજાયેલ અખિલ ભારતીય શિક્ષા સંગમ (ABSS) કાર્યક્રમમાં, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ ના પાંચ પરિવર્તનશીલ વર્ષોની ઉજવણી કરવામાં આવી હતી. : ભરૂચ | સમાચાર
અંકલેશ્વર: બી ડિવિઝન અને GIDC પોલીસે ગુમ અથવા ચોરી થયેલ 20 મોબાઈલ ફોન મૂળ માલિકને પરત કર્યા
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક દ્વારા CEIR પોર્ટલની મદદથી ગુમ અથવા ચોરી થયેલ 10 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 2.11 લાખના ફોન શોધી મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા ભરૂચ | સમાચાર
ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભા તોફાની બની, વિપક્ષે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સવાલોનો મારો ચલાવ્યો
ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા આઇકોનિક રોડ તેમજ હાઈ માસ્ટ પોલના ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે વિપક્ષની આક્રમકતાથી તોફાની બની હતી. સમાચાર
સુરત : શિક્ષક પિતાએ બે પુત્રો સાથે અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું, પોલીસે શરૂ કરી તપાસ,આપઘાતનું કારણ અકબંધ
ગુજરાતમાં સ્વાગત પોર્ટલ દ્વારા 8 લાખ કરતા વધુ નાગરિકોની સમસ્યાનું કરાયું સમાધાન
ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પરથી ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ, જાહેરનામું વધુ 3 માસ લંબાવાયું
જૂનાગઢ : બ્રાન્ડના નામે વેચાતી ડુપ્લીકેટ ચાનો જથ્થો ઝડપાયો,વાઘ બકરીના બનાવટી પેકેટ સાથે વેપારીની ધરપકડ કરતી પોલીસ
અંકલેશ્વર: આંગણવાડી કર્મચારીઓના પડતર પ્રશ્ને સરકાર સામે આંદોલનના મંડાણ, ગાંધીનગરમાં યોજાશે રેલી