અંકલેશ્વર:સોશ્યલ મીડિયા પર આદિવાસી સમાજ અંગે અભદ્ર ટિપ્પણી કરનાર યુવાનની અટકાયત, માફી મંગતો વિડીયો પણ કર્યો જાહેર

અંકલેશ્વરમાં સોશિયલ મીડિયા પર આદિવાસી સમાજની લાગણી દુભાવનાર ઈસમની પોલીસે અટકાયત કરી હતી.લાગણી દુભાવવા બદલ યુવકે  માફી માંગતો વિડીયો પણ જાહેર કર્યો હતો

New Update
  • અંકલેશ્વરમાં બન્યો હતો બનાવ

  • આદિવાસી સમાજ અંગે કરાય હતી ટિપ્પણી

  • સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરાય હતી

  • વિવાદિત પોસ્ટ કરનાર યુવનની અટકાયત

  • માફી માંગતો વિડીયો પણ જાહેર કર્યો

અંકલેશ્વરમાં સોશિયલ મીડિયા પર આદિવાસી સમાજની લાગણી દુભાવનાર ઈસમની પોલીસે અટકાયત કરી હતી.લાગણી દુભાવવા બદલ યુવકે  માફી માંગતો વિડીયો પણ જાહેર કર્યો હતો
અંકલેશ્વરમાં આદિવાસી સમાજના યુવાનો અને બહેનો અંગે અભદ્ર ટિપ્પણી પીન્કેશ નામના ઈસમે કરી હતી જે સોશિયલ મીડિયા પર મુકતા જ વિવાદ ઉભો થયો હતો અને આદિવાસી સમાજ ના યુવાનો માં રોષ ફેલાયો હતો તેમના દ્વારા આ મુદ્દે ઈસમ ને જાહેર માં માફી માગવી ની માગ કરી હતી જો કે યુવક જાહેર માં ના આવતા અંતે શનિવાર ના રોજ રેલી યોજી અને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે લેખિત અરજી આપી યુવક સામે પગલાં ભરવા માંગ કરી હતી.જે બાદ પોલીસ દ્વારા પુરાવા આધારે યુવકને ઝડપી પાડવા ની કવાયત શરુ કરતા મૂળ અંદાડા અને હાલ હાંસોટ રોડ પર સંબંધી ને ત્યાં રહેતા પીન્કેશ પટેલ ની પોલીસે અટક કરી ગતરોજ પોલીસ મથકે લઇ આવી હતી આ અંગે આદિવાસી સમાજ ને જાણ થતા જ ટોળે ટોળા જામ્યા હતા. પોલીસ મથકે લઇ આવતા જ આદિવાસી સમાજ ના યુવાનો દ્વારા જય આદિવાસી અને જય ભીમના નારા લગાવવામાં આવ્યા હતા
Read the Next Article

સુરત : શિક્ષક પિતાએ બે પુત્રો સાથે અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું, પોલીસે શરૂ કરી તપાસ,આપઘાતનું કારણ અકબંધ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને

New Update

સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના

શિક્ષક પિતાએ બે પુત્રો સાથે કર્યો આપઘાત

આપઘાત પાછળનું કારણ અકબંધ

પિતા પુત્રોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા 

પોલીસે ઘટના અંગેની શરૂ કરી તપાસ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને બાદમાં તે દવા પોતે પણ પી લીધી હતી. જેમાં માતાનું મોત નીપજ્યું હતું. જ્યારે બાળક સારવાર હેઠળ છે. ત્યારે હવે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાના બે માસૂમ પુત્રો સાથે જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સુરતના ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશ કાંતિભાઈ સોલંકી ઉં.વ. 41 મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના વતની છે,અને હાલ સુરતમાં પરિવાર સાથે રહે છે. મૃતક શિક્ષક અલ્પેશ સોલંકીએ પોતાના 2 વર્ષીય પુત્ર કર્નિશ અલ્પેશભાઈ સોલંકી અને 8 વર્ષીય પુત્ર ક્રીશીવ અલ્પેશભાઈ સોલંકી સાથે આપઘાત કરી લેતાં શોકનો માહોલ છવાયો છે. ગુરુવારે મોડી સાંજે તેમના ક્વાર્ટરમાંથી કોઈ પ્રતિસાદ ન મળતાં પાડોશીઓને શંકા ગઈ હતી. જ્યારે દરવાજો તોડીને અંદર જોયું તો ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને બાળકોના મૃતદેહ બેડ પર મૃત અવસ્થામાં મળી આવ્યા હતાજ્યારે અલ્પેશભાઇની ડેડબોડી લટકતી હાલતમાં મળી આવી હતી.

આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પાછળ કયું કારણ જવાબદાર છે તે જાણવા પોલીસે શિક્ષકના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.