અંકલેશ્વર: યુવા રાણા સમાજ ટ્રસ્ટ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સેમિનાર યોજાયો

અંકલેશ્વર યુવા રાણા સમાજ ટ્રસ્ટ  દ્વારા  સમાજના ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓએ સમાજના અનુભવી શિક્ષકોએ પરીક્ષાલક્ષી માર્ગ દર્શન પૂરું પાડ્યું 

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • યુવા રાણા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજન

  • બોર્ડના વિદ્યાર્થીઓ માટે સેમિનાર યોજાયો

  • માર્ગદર્શક સેમિનારનું આયોજન કરાયું

  • અનુભવી શિક્ષકો દ્વારા માર્ગદર્શન અપાયું

અંકલેશ્વર યુવા રાણા સમાજ ટ્રસ્ટ  દ્વારા  સમાજના ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓએ સમાજના અનુભવી શિક્ષકોએ પરીક્ષાલક્ષી માર્ગ દર્શન પૂરું પાડ્યું 
અંકલેશ્વરના જલારામ મંદિરના હોલ ખાતે યુવા રાણા સમાજના પ્રમુખ ગૌરાંગ રાણા, મહામંત્રી નિલેષ રાણા આશિષ રાણા ઉપપ્રમુખ રિતેશ રાણા મિતેષ રાણા સહિતના સભ્યો દ્વારા રાણા સમાજના ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓનું મનોબળ વધારવા માટે પરીક્ષાલક્ષી માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો જેમાં સમાજના અનુભવી શિક્ષકોએ વિદ્યાર્થીઓને જરૂરી માહિતી આપી હતી.આ સેમીનારમાં સમાજના વડીલો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.