ભરૂચ: ટંકારીયા ગામે અંગત અદાવતે 2 પરિવારો બાખડયા, ચપ્પુથી હુમલામાં 3 લોકો ઇજાગ્રત

બે પરિવારના લોકો એક બીજા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો જેમાં કુલ ત્રણ લોકોને ઇજાઓ પહોંચતા પાલેજ પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

New Update
  • ભરૂચ તાલુકાના ટંકારીયા ગામનો બનાવ

  • 2 પરિવાર વચ્ચે બબાલ

  • પંખો લેવા જેવી નાની બાબતે માથાકૂટ

  • ચપ્પુથી કરવામાં આવ્યો હુમલો

  • 3 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા

ભરૂચ તાલુકાના ટંકારીયા ગામમાં મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં બે પરિવારના લોકો એક બીજા પર ચપ્પુ વડે હુમલો કર્યો હોવાની માહિતી મળી છે.જેમાં કુલ ત્રણ લોકોને ઇજાઓ પહોંચતા પાલેજ પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ તાલુકાના ટંકારીયા ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો આ બનાવમાં ટંકારીયા ગામમાં રહેતા ઈમરાન અબ્દુલ કાદર પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ ઇમરાન પટેલ તેમના ગામમાં ઇલેક્ટ્રિકની દુકાન ચલાવતા ફારુક બસેરીને નવ મહિના પહેલા રિપેર કરાવવા આપેલો પંખો લેવા ગયા હતા જેમાં પંખા બાબતે બોલાચાલી થઈ હતી.
આ બાદ ઇમરાન નમાઝ પઢી પોતાના ઘરે જઈ રહ્યો હતો તે દરમ્યાન સોકત યાકુબભાઈ બસેરી અને તેનો બનેવી મહોસીન મહમદ તેમજ યુનુસ ગણપતિએ ઇમરાન પર ચપ્પુથી હુમલો કર્યો હતો જેમાં ગંભીર રીતે ઘવાયેલ ઇમરાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. 
આ તરફ  સોકત બસેરી નોંધાવેલી ફરિયાદમાં સોકત બસેરીના કાકા ફારુક બસેરી ટંકારીયા ગામમાં ઇલેક્ટ્રોનિકની દુકાન ચલાવે છે.તેમની દુકાને એક વર્ષ પહેલા અઝીમ યાકુબ હાંડલીયા નામનો વ્યક્તિ પંખો રિપેર કરવા માટે આપી ગયો હતો.ત્યાર બાદ ગતરોજ ઇમરાન પટેલ નામના વ્યક્તિએ આવીને સોકત બસેરીના કાકા ફારુક સાથે કેવો પંખો આપ્યો કે બગડી ગયો કહીને બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો.
જેની જાણ ફારુકભાઈએ સોકત બસેરી કરી હતી જેથી સોકત બસેરી અને સમીર બસેરી ઈમરાન પટેલને સમજાવવા માટે તેના ઘરે જતા હતા તે સમયે ઈમરાન તેમને મક્કા મસ્જિદ નજીક જ મળી જતાં તેઓ વાતચીત કરી રહ્યા હતા તે સમયે નજીક જ રહેતા ઈમરાનનો નાનો ભાઈ ફૈઝુ અબ્દુલ્લા કાદરે હાથમાં છરો લઈને દોડી આવતા ઇમરાને પણ પોતાની પાસેના છરો વડે બંને ભાઈઓએ સોકત અને સમીર પર હુમલો કરી દીધો હતો.
જેમાં સોકત બસેરીને હાથના ભાગે અને સમીરને પીઠના ભાગે છરો વાગતા બંનેને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનામાં પાલેજ પોલીસે બંને પક્ષે સામસામે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ: પોલીસ દ્વારા BAIL કંપનીમાં રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થાનો કરાયો નાશ !

ભરૂચ પોલીસ દ્વારા રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગસના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો, 17 ગુનામાં  ડ્રગ્સનો 600 કિલો જથ્થો ઝડપાયો હતો.રાજ્યમાં  તા.૨૧/૦૫/૨૦૨૫ થી તા.૧૯/૦૬/૨૦૨૫ સુધી નાર્કોટીકસના

New Update

ભરૂચ પોલીસની કાર્યવાહી

ડ્રગસના જથ્થાનો નાશ કરાયો

દહેજની બેઇલ કંપનીમાં નાશ કરાયો

રૂ.1.25 કરોડની કિંમતનું ઝડપાયું હતું ડ્રગસ

વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો

ભરૂચ પોલીસ દ્વારા રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગસના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો, 17 ગુનામાં  ડ્રગ્સનો 600 કિલો જથ્થો ઝડપાયો હતો.
રાજ્યમાં  તા.૨૧/૦૫/૨૦૨૫ થી તા.૧૯/૦૬/૨૦૨૫ સુધી નાર્કોટીકસના ગુન્હામાાં જપ્ત કરેલ મુદ્દામાલના નાશ-નિકાલની કાર્યવાહી કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ભરૂચ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ મયુર ચાવડા  તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય ડૉ. કુશલ ઓઝા, નાયબ પોલીસ અધિક્ષકના  માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ભરૂચના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરીના સંકલન દ્વારા ભરૂચ જિલ્લાના 7 પોલીસ પોલીસ મથકના 17 ગુનામાં ઝડપાયેલા રૂ.1.25 કરોડની કિંમતના 608 કિલો ડ્રગ્સનો દહેજમાં આવેલ બેઇલ કંપની ખાતે વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો હતો.સૌથી વધુ 576 કિલો ડ્રગ્સ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું.