ભરૂચ: એક્સપ્રેસ વે પર આમોદ નજીક 4 વાહનો વચ્ચે અકસ્માતમાં 2 વ્યક્તિના મોત, બ્રેકડાઉન થયેલ પિકઅપ સાથે વાહનો ભટકાયા

ભરૂચના આમોદ નજીક એક્સપ્રેસ હાઈવે પર બે કાર અને પીકઅપ ટેમ્પા અને વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા હતા.બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

New Update
  • ભરૂચના આમોદ નજીક સર્જાયો અકસ્માત

  • એક્સપ્રેસ હાઇવે પર બન્યો બનાવ

  • 3 વાહનો વચ્ચે અકસ્માતમાં 2 લોકોના મોત

  • બ્રેકડાઉન થયેલ પિકઅપ સાથે વાહનો ભટકાયા

  • આમોદ પોલીસે તપાસ શરૂ કરાય

Advertisment
ભરૂચના આમોદ નજીક એક્સપ્રેસ હાઈવે પર બે કાર અને પીકઅપ ટેમ્પા અને વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા હતા.બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેપર ભરૂચના આમોદ નજીકથી પસાર થઈ રહે પિકઅપ ટેમ્પાનું ટાયર ફાટતા ચાલકે ટેમ્પો માર્ગ પર જ ઉભો રાખ્યો હતો.આ સમયે અહીંથી પસાર થતી ટ્રક બ્રેકડાઉન થયેલ પિકઅપ ટેમ્પા સાથે ભટકાય હતી જેમાં ગંભીર ઇજાના પગલે  ટેમ્પાચાલક અજય ખમાણીનું મોત નિપજ્યું હતું.આ તરફ પાછળથી  આવી રહેલ કાર પણ ઉભેલા પીકપ ટેમ્પા સાથે ભટકાઈ હતી જેમાં કારમાં સવાર બે વ્યક્તિને ઈજા પહોંચી હતી જે પૈકી ગોપાલ ભગવાન સાણી નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું.આ સમયે અન્ય એક કાર પણ પિકઅપ સાથે ભટકાઈ હતી જો કે આ કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત અંગેની જાણ થતાની સાથે જ આમોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. કારમાં સવાર પરિવાર સુરેન્દ્રનગરથી ભરૂચ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.બનાવ સંદર્ભે આમોદ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisment
Read the Next Article

અંકલેશ્વર : સુરવાડી ગામે દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ,નિયમિત પાણી ન મળતા ઉભો પાક સુકાઈ જવાની ભીતી

સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવાય જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો

author-image
By Connect Gujarat Desk
New Update
  • અનિયમિત વીજ પુરવઠાએ ખેડૂતોમાં ચિંતા વધારી

  • વીજળી ખોરવાતા સિંચાઇની સમસ્યા પણ ઘેરી બની

  • ખેતરમાં ઉભા પાકમાં પાણી આપવું બન્યું મુશ્કેલ

  • છેલ્લા દસ દિવસથી નથી મળી રહી વીજળી

  • ખેડૂતોની રજૂઆત બાદ પણ સમસ્યા યથાવત 

Advertisment W3.CSS

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે,જેના કારણે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતી વીજળી પણ ખેડૂતોને મળી રહી નથી,અને ખેતર માં ઉભો પાક સુકાઈ જવાની ભીતી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવા જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતો દ્વારા આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ખાતે રજૂઆત  બાદ પણ તેઓની સમસ્યાનું કોઈજ નિરાકરણ આવ્યું નથી.ખેતરમાં ઉભા પાકમાં સિંચાઈ માટે પાણી પણ તેઓ વીજ પુરવઠાના અભાવે આપી શકતા નથી.ત્યારે ઉભો પાક સુકાઈ ન જાય તે માટે ખેડૂતો દ્વારા પ્લાસ્ટિકના ડબ્બાથી પાકમાં પાણી નાખવાની નોબત આવી છે.