ભરૂચ: રોટરી હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો

ભરૂચના પી.ડી.શ્રોફ રોટરી હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીની અધ્યક્ષતામાં નુતન વર્ષના ઉપલક્ષમાં સ્નેહ મિલન અને યોગ સંવાદ યોજાયો

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • યોગ બોર્ડ દ્વારા આયોજન કરાયું

  • રોટરી હોલ ખાતે સ્નેહમિલન સમારોહ યોજાયો

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

  • યોગ અંગેનું સમજાવવામાં આવ્યું મહત્વ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચના રોટરી હોલ ખાતે સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના પી.ડી.શ્રોફ રોટરી હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીની અધ્યક્ષતામાં નુતન વર્ષના ઉપલક્ષમાં સ્નેહ મિલન અને યોગ સંવાદ યોજાયો હતો.
જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેનુભાવોને ખેસ પહેરાવવામાં આવ્યા હતા.યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીએ યોગનું મહત્વ,ફાયદા અને યોગને જીવનનું એક અંગ બનાવવા અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,અધિક કલેકટર એન.આર.ધાંધલ અને યોગ કોચ,યોગ ટ્રેનર,સાધકો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ: આશ્રય સોસા.થી નિકળનાર રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર ખાડા, તંત્ર સામે લોકોમાં રોષ

રથયાત્રા પૂર્વે માર્ગની કફોડી હાલત પર ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. આશ્રય સોસાયટીથી નિકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર ખાડા પડેલા હોવાથી લોકોએ નગરપાલિકા સામે ફિટકાર વરસાવ્યો

New Update
  • ભરૂચમાં આવતીકાલે નિકળશે રથયાત્રા

  • ભગવાન નિકળશે નગરચર્યાએ

  • રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર ખાડા

  • પાણી ભરાવાની પણ સમસ્યા

ભરૂચમાં જગન્નાથ રથયાત્રા પૂર્વે માર્ગની કફોડી હાલત પર ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. આશ્રય સોસાયટીથી નિકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર ખાડા પડેલા હોવાથી લોકોએ નગરપાલિકા સામે ફિટકાર વરસાવ્યો હતો.
આવતીકાલે શહેરના આશ્રય સોસાયટી નજીક આવેલા જગન્નાથ મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થવાનો છે. ભક્તિ અને શ્રદ્ધાભર્યુ આ પર્વ ઉજવવા માટે ભરૂચવાસીઓમાં ઉત્સાહની લહેર છે. જોકે યાત્રાના માર્ગની હાલત અત્યંત બિસમાર હોવાથી લોકમાત્રમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે.
રથયાત્રા જે માર્ગ પરથી પસાર થવાની છે તે માર્ગ પર અગાઉ બે વખત નવીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હોવા છતાં રસ્તાની હાલત કોઇ જ સુધરી નથી. મોટા ખાડાઓ, નીચાણવાળા ભાગોમાં પાણી ભરાવા કારણે રસ્તો જર્જરિત થયો છે.સ્થાનિક રહીશોએ પાલિકા તંત્ર સામે કટાક્ષ કરીને કહ્યું કે જેમને આવા પવિત્ર તહેવારોના માર્ગોની વ્યવસ્થા કરવા જાગૃત હોવું જોઈએ તેઓ નિંદ્રાધીન જણાય છે.