ભરૂચ: વાગરાના પણીયાદરા ગામે મહાકાય મગર આવી ચઢ્યો, વનવિભાગે કર્યું રેસ્ક્યુ !

ભરૂચના વાગરાના પણીયાદરા નજીક આવેલ યોગી સોલ્ટ ખાતેથી વન કર્મીઓએ મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું

New Update
  • ભરૂચના વાગરાના પણીયાદરા ગામનો બનાવ

  • યોગી સોલ્ટ કંપનીમાં મહાકાય મગર આવી ચઢ્યો

  • વન વિભાગને કરવામાં આવી હતી જાણ

  • વનકર્મીઓએ મગરનું કર્યું રેસ્ક્યુ ઓપરેશન

  • સુરક્ષિત જગ્યાએ છોડી મુકવા તજવીજ હાથ ધરાય

Advertisment
ભરૂચના વાગરાના પણીયાદરા નજીક આવેલ યોગી સોલ્ટ ખાતેથી વન કર્મીઓએ મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું
ભરૂચના વાગરાના પણીયાદરા સ્થિત યોગી સોલ્ટમાં મગર ઘૂસી આવ્યો હોવાની માહિતી વન વિભાગની કચેરીને મળી હતી.બનાવની જાણ થતા જ વાગરા વન વિભાગની ટીમ મગરનું રેસ્ક્યુ કરવા માટે પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ મહાકાય મગરનું સુરક્ષિત રીતે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ મગરને વાગરા વન કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણના માર્ગદર્શન હેઠળ વેટરનરી ડોકટર દ્વારા ચેકઅપ કરાવ્યા બાદ મગરને ફરી કુદરતી વાતાવરણમાં છોડી મુકવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Advertisment
Read the Next Article

ભરૂચ: ભોલાવ વિસ્તારમાં તિરંગા યાત્રા નીકળી, 1200 ફૂટ લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર

કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતકી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ દેખાડેલા અસાધારણ શૌર્ય અને બલિદાનની યાદમાં સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે

New Update
Bharuch Tiranga Yatra
  • ભરૂચના ભોલાવ વિસ્તારમાં આયોજન

  • તિરંગા યાત્રાનું આયોજન કરાયું

  • સેનાના સાહસને બિરદાવાયુ

  • 1200 ફૂટ લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર

  • મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા

Advertisment
ભરૂચના ભોલાવ વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1200 ફૂટના તિરંગા સાથે મોટી સંખ્યામાં શહેરીજોનો જોડાયા હતા જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતકી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ દેખાડેલા અસાધારણ શૌર્ય અને બલિદાનની યાદમાં સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના ભોલાવ વિસ્તારમાં આજે  વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી.
Tiranga yatra
ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી,માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ, નિરલ પટેલ, દિવ્યેશ પટેલ સહિતના આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાય હતી.
જેમાં 1200 ફૂટ લાંબા ભવ્ય તિરંગા સાથે શહેરીજનો તથા વિવિધ સમાજો અને સંગઠનોના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. યાત્રાની શરૂઆત તુલસીધામથી થઈ હતી અને ત્યાંથી સોમનાથ મહાદેવ મંદિર સુધી દેશભક્તિની ધ્વનિ ગુંજતી રહી હતી.
Advertisment