ભરૂચ: વાગરાના પણીયાદરા ગામે મહાકાય મગર આવી ચઢ્યો, વનવિભાગે કર્યું રેસ્ક્યુ !

ભરૂચના વાગરાના પણીયાદરા નજીક આવેલ યોગી સોલ્ટ ખાતેથી વન કર્મીઓએ મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું

New Update
  • ભરૂચના વાગરાના પણીયાદરા ગામનો બનાવ

  • યોગી સોલ્ટ કંપનીમાં મહાકાય મગર આવી ચઢ્યો

  • વન વિભાગને કરવામાં આવી હતી જાણ

  • વનકર્મીઓએ મગરનું કર્યું રેસ્ક્યુ ઓપરેશન

  • સુરક્ષિત જગ્યાએ છોડી મુકવા તજવીજ હાથ ધરાય

ભરૂચના વાગરાના પણીયાદરા નજીક આવેલ યોગી સોલ્ટ ખાતેથી વન કર્મીઓએ મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું
ભરૂચના વાગરાના પણીયાદરા સ્થિત યોગી સોલ્ટમાં મગર ઘૂસી આવ્યો હોવાની માહિતી વન વિભાગની કચેરીને મળી હતી.બનાવની જાણ થતા જ વાગરા વન વિભાગની ટીમ મગરનું રેસ્ક્યુ કરવા માટે પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ મહાકાય મગરનું સુરક્ષિત રીતે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ મગરને વાગરા વન કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણના માર્ગદર્શન હેઠળ વેટરનરી ડોકટર દ્વારા ચેકઅપ કરાવ્યા બાદ મગરને ફરી કુદરતી વાતાવરણમાં છોડી મુકવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Read the Next Article

અમદાવાદ દુર્ઘટનામાં ભરૂચના 3 મુસાફરો પ્લેનમાં સવાર હતા, કલેકટર ગૌરાંગ મકવાણાએ કરી પુષ્ટી

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ મુસાફરો પણ પ્લેનમાં સવાર હોવાની માહિતી બહાર આવી રહી છે.વહીવટી તંત્ર દ્વારા આ મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે

New Update
  • અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના

  • લંડન જઈ રહ્યું હતું વિમાન

  • ભરૂચના 3 મુસાફરો પણ હતા સવાર

  • વહીવટી તંત્રએ કરી પુષ્ટી

  • જંબુસર- ભરૂચના 3 લોકોનો સમાવેશ

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ મુસાફરો પણ પ્લેનમાં સવાર હોવાની માહિતી બહાર આવી રહી છે.વહીવટી તંત્ર દ્વારા આ મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે
અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ AI171 આજે ટેકઓફ પછી અકસ્માતનો ભોગ બની હતી.અમદાવાદથી બપોરે 1. 38 વાગ્યે ઉપડેલી આ ફ્લાઇટમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. આમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો હતા.ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજે આ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં જિલ્લાના 5 લોકો હોવાની પુષ્ટિ આપી હતી. આ તરફ ભરૂચ કલેકટર ગૌરાંગ મકવાણાએ ટેલિફોનિક વાતચીતમાં ભરૂચના 3 મુસાફરો હોવાની અને બે મુસાફરો સાંસરોદના હોવાની પુષ્ટિ કરી છે. ભરૂચનું તંત્ર આ મુસાફરોના પરિવારોનો સંપર્ક કરી રહ્યું છે.
ભરૂચ જિલ્લાના 5 મુસાફરોના બહાર આવેલા નામોમાં જંબુસરના પટેલ સાહિલ , ભરૂચના પટેલ અલ્તાફ હુસેન, સાંસરોદના તાજુ હુસેના , તાજુ આદમ અને ભરૂચના સાજેદા મીસ્તર કાવીવાલાનો સમાવેશ થાય છે.પ્લેનમાં સવાર પૈકી પટેલ અલ્તાફહુસેન તેમના સાસુ તાજુ હુસેના અને સસરા તાજુ આદમ સાથે લંડન જઈ રહ્યા હતા. યુકે સ્થાયી થયેલ પરિવારના ત્રણ લોકો ઈદ મનાવી પરત જઈ રહ્યા હતા તે દરમ્યાન આ દુર્ઘટના સર્જાય હતી.