ભરૂચ: વાગરાના પણીયાદરા ગામે મહાકાય મગર આવી ચઢ્યો, વનવિભાગે કર્યું રેસ્ક્યુ !

ભરૂચના વાગરાના પણીયાદરા નજીક આવેલ યોગી સોલ્ટ ખાતેથી વન કર્મીઓએ મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું

New Update
  • ભરૂચના વાગરાના પણીયાદરા ગામનો બનાવ

  • યોગી સોલ્ટ કંપનીમાં મહાકાય મગર આવી ચઢ્યો

  • વન વિભાગને કરવામાં આવી હતી જાણ

  • વનકર્મીઓએ મગરનું કર્યું રેસ્ક્યુ ઓપરેશન

  • સુરક્ષિત જગ્યાએ છોડી મુકવા તજવીજ હાથ ધરાય

ભરૂચના વાગરાના પણીયાદરા નજીક આવેલ યોગી સોલ્ટ ખાતેથી વન કર્મીઓએ મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું
ભરૂચના વાગરાના પણીયાદરા સ્થિત યોગી સોલ્ટમાં મગર ઘૂસી આવ્યો હોવાની માહિતી વન વિભાગની કચેરીને મળી હતી.બનાવની જાણ થતા જ વાગરા વન વિભાગની ટીમ મગરનું રેસ્ક્યુ કરવા માટે પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ મહાકાય મગરનું સુરક્ષિત રીતે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ મગરને વાગરા વન કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણના માર્ગદર્શન હેઠળ વેટરનરી ડોકટર દ્વારા ચેકઅપ કરાવ્યા બાદ મગરને ફરી કુદરતી વાતાવરણમાં છોડી મુકવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Read the Next Article

ભરૂચ: આમોદ-જંબુસરને જોડતો જર્જરીત બ્રિજ મોટા વાહનો માટે બંધ,કલેકટર ગૌરાંગ મકવાણાએ કર્યું સ્થળ નિરીક્ષણ

આમોદ-જંબુસરને જોડતો જર્જરીત બ્રિજને તાત્કાલિક અસરથી ભારદારી વાહનોના પસાર થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કાર સહિતના નાના વાહનો જ આ બ્રિજ પરથી પસાર થઈ શકશે

New Update
  • ભરૂચના આમોદ જંબુસર વચ્ચે આવેલો છે બ્રિજ

  • ઢાઢર નદી પરનો બ્રિજ છે જર્જરીત હાલતમાં

  • કલેકટરે બ્રિજની લીધી મુલાકાત

  • બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો

  • યુદ્ધના ધોરણે સમારકામ કરાશે

ભરૂચના જંબુસર થી આમોદને જોડતા ઢાઢર નદી પરના જર્જરીત બ્રિજ પરથી ભારદારી વાહનોના પસાર થવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ સાથે જ કલેકટર ગૌરાંગ મકવાણાએ પણ જર્જરીત બ્રિજ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું.

તાજેતરમાં જ વડોદરા આણંદ વચ્ચે આવેલ મહીસાગર નદી પરનો બ્રિજ ધારાશાયી થઈ જતા 19 જેટલા લોકોના મોત નિપજ્યા છે ત્યારે ભરૂચના આમોદથી જંબુસરને જોડતો ઢાઢર નદી પરનો બ્રિજ પણ અત્યંત જર્જરીત હાલતમાં હોવાના અહેવાલ પ્રકાશિત થયા હતા. આ બાદ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે કલેકટર ગૌરાંગ મકવાણાએ આજરોજ બ્રિજ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું.

અધિકારીઓ પાસે બ્રિજની સ્થિતિ અંગેની માહિતી મેળવી હતી ત્યારબાદ તાત્કાલિક અસરથી આ બ્રિજ પરથી ભારદારી વાહનોના પસાર થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કાર સહિતના નાના વાહનો જ આ બ્રિજ પરથી પસાર થઈ શકશે. મોટા વાહનો માટે તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. બ્રિજ બંધ રહેશે તે દરમિયાન યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે જર્જરીત બ્રિજની ગંભીરતા સમજી કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.