ભરૂચ: ધુળેટીના દિવસે નદી-તળાવમાં ડૂબી જવાના કુલ 6 બનાવ નોંધાયા, 4ના મૃતદેહ મળ્યા-2 લોકો હજુ લાપતા

ભરૂચ જિલ્લામાં ધુળેટીના તહેવાર પર નદી-તળાવ અને કેનાલમાં ડૂબી જવાના અલગ અલગ 6 બનાવ બન્યા હતા જે પૈકી 4 લોકોના અત્યાર સુધી મૃતદેહ મળી આવ્યા છે જ્યારે 2 લોકો હજુ પણ લાપતા બન્યા છે

New Update
  • ભરૂચમાં ધુળેટીના દિવસે દુર્ઘટનાઓની વણઝાર

  • નદી તળાવમાં ડૂબી જવાના કુલ 6 બનાવ નોંધાયા

  • અત્યાર સુધી 4 લોકોના મૃતદેહ મળી આવ્યા

  • 2 લોકો હજુ પણ લાપતા

  • ફાયર વિભાગ દ્વારા શોધખોળ શરૂ કરાય

c
ભરૂચ શહેર અને જિલ્લામાં ધૂળેટી પર્વમાં નદીમાં નહેરમાં ઘણા લોકો નાહવા જતાં હોય છે તેમાં અનેક લોકો ડૂબી જવાની સંભાવનાઓ રહે છે ત્યારે ભરૂચ જિલ્લામાં નદી તળાવમાં ડૂબી જવાના કુલ 6 બનાવ બન્યા હતા. ભરૂચના નંદેલાવ ગામની વાત કરવામાં આવે તો તળાવમાં કુલ 3 બાળકો ડૂબ્યા હતા જે પૈકી 1 બાળકને બચાવી લેવાયો હતો જ્યારે 2 બાળકના મૃતદેહ ફાયર વિભાગની ટીમે બહાર કાઢ્યા હતા. આ તરફ સમની અને દયાદરા ગામે પણ ડૂબી જતા 2 લોકોના મોત નિપજ્યા હતા. આ તરફ કડોદ અને ભરૂચના મકતમપુર નજીક નર્મદા નદીમાં નહાવા ગયેલ 2 લોકો ડૂબી ગયા હતા જે અત્યાર સુધી લાપતા બન્યા છે જેમની ફાયર વિભાગ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખની છે કે નદી અને તળાવમાં લોકો જીવના જોખમે નાહવા જાય છે ત્યારે આવા તહેવારોના સમયે નદી કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે
Read the Next Article

અંકલેશ્વર: દેશના પ્રથમ પ્રાઇવેટ ટર્મિનલથી પહેલી ગુડ્ઝ ટ્રેનનું પ્રસ્થાન  ,200 એકરમાં ગ્રીનફિલ્ડ લોજીસ્ટીક પાર્ક તૈયાર કરાયો

અંકલેશ્વરના પાનોલી-ઉમરવાડા વચ્ચે વેસ્ટર્ન ડેડીકેટ ફેથ કોરિડોર પર પ્રથમ પીએમ ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલનું ઉદ્દઘાટન કરાયું હતું.મહાનુભાવોએ લીલીઝંડી બતાવી પ્રથમ ગુડ્સ ટ્રેનને રવાના કરી હતી.

New Update
  • અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ

  • દેશના પ્રથમ ટર્મિનલનું કરાયુ નિર્માણ

  • પહેલી ગુડ્સ ટ્રેનનું પ્રસ્થાન કરાયુ

  • 200 એકરમાં ગ્રીનફિલ્ડ લોજીસ્ટીક પાર્કનું નિર્માણ

  • મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરના પાનોલી-ઉમરવાડા વચ્ચે વેસ્ટર્ન ડેડીકેટ ફેથ કોરિડોર પર પ્રથમ પીએમ ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલનું ઉદ્દઘાટન કરાયું હતું.મહાનુભાવોએ લીલીઝંડી બતાવી પ્રથમ ગુડ્સ ટ્રેનને રવાના કરી હતી.
વેસ્ટર્ન ડેડીકેટ ફેથ કોરિડોરના સહયોગથી અંકલેશ્વરના પાનોલી-ઉમરવાડા વચ્ચે પ્રથમ પીએમ ગતિ મેમર્સ સાવરિયા શક્તિ દ્વારા શક્તિ કાર્ગો ટર્મિનલનું ડી.એફ.સી.સી.આઈ.એલના એમડી પ્રવીણના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.આ સિંગલ વિન્ડો સોલ્યુશન મલ્ટી મોડલ લોજીસ્ટીક પાર્કને પગલે સ્થાનિક ઉદ્યોગો તેમજ લોજીસ્ટીકને ઘણો ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.ભરૂચ દેશના ઉધોગને જળ, જમીન, હવાઈ અને રેલ માર્ગે વેગ આપવા સજ્જ બની રહ્યું છે.પાનોલીમાં હાઇવે નજીક 200 એકરમાં ભારત સરકાર માન્ય ગ્રીનફિલ્ડ સાવરિયા શક્તિ મલ્ટી મોડલ લોજેસ્ટિક પાર્ક તૈયાર થઈ ગયો છે. અહીં ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર માન્ય ભારતનું પહેલું ટર્મિનલ પણ તૈયાર થઈ ગયું છે. જ્યાં 8 લાખ સ્કવેર ફૂટમાં વેરહાઉસ ઉભું કરાઈ રહ્યું છે. જેનો લાભ પાનોલી, ઝઘડિયા, અંકલેશ્વર, વાલિયા, ભરૂચ, દહેજ જીઆઇડીસી સાથે દેશના અન્ય ઉધોગોને પણ મળશે.