ભરૂચ: ધુળેટીના દિવસે નદી-તળાવમાં ડૂબી જવાના કુલ 6 બનાવ નોંધાયા, 4ના મૃતદેહ મળ્યા-2 લોકો હજુ લાપતા

ભરૂચ જિલ્લામાં ધુળેટીના તહેવાર પર નદી-તળાવ અને કેનાલમાં ડૂબી જવાના અલગ અલગ 6 બનાવ બન્યા હતા જે પૈકી 4 લોકોના અત્યાર સુધી મૃતદેહ મળી આવ્યા છે જ્યારે 2 લોકો હજુ પણ લાપતા બન્યા છે

New Update
  • ભરૂચમાં ધુળેટીના દિવસે દુર્ઘટનાઓની વણઝાર

  • નદી તળાવમાં ડૂબી જવાના કુલ 6 બનાવ નોંધાયા

  • અત્યાર સુધી 4 લોકોના મૃતદેહ મળી આવ્યા

  • 2 લોકો હજુ પણ લાપતા

  • ફાયર વિભાગ દ્વારા શોધખોળ શરૂ કરાય

Advertisment
c
ભરૂચ શહેર અને જિલ્લામાં ધૂળેટી પર્વમાં નદીમાં નહેરમાં ઘણા લોકો નાહવા જતાં હોય છે તેમાં અનેક લોકો ડૂબી જવાની સંભાવનાઓ રહે છે ત્યારે ભરૂચ જિલ્લામાં નદી તળાવમાં ડૂબી જવાના કુલ 6 બનાવ બન્યા હતા. ભરૂચના નંદેલાવ ગામની વાત કરવામાં આવે તો તળાવમાં કુલ 3 બાળકો ડૂબ્યા હતા જે પૈકી 1 બાળકને બચાવી લેવાયો હતો જ્યારે 2 બાળકના મૃતદેહ ફાયર વિભાગની ટીમે બહાર કાઢ્યા હતા. આ તરફ સમની અને દયાદરા ગામે પણ ડૂબી જતા 2 લોકોના મોત નિપજ્યા હતા. આ તરફ કડોદ અને ભરૂચના મકતમપુર નજીક નર્મદા નદીમાં નહાવા ગયેલ 2 લોકો ડૂબી ગયા હતા જે અત્યાર સુધી લાપતા બન્યા છે જેમની ફાયર વિભાગ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખની છે કે નદી અને તળાવમાં લોકો જીવના જોખમે નાહવા જાય છે ત્યારે આવા તહેવારોના સમયે નદી કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે
Advertisment
Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડમાં હાંસોટના 4 ગામોમાં પોલીસની તપાસ, પંચકેસ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરાય

ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય 

New Update
  • ભરૂચમાં બહાર આવ્યું મનરેગા કૌભાંડ

  • 3 તાલુકાના ગામોમાં કૌભાંડ આચરાયું

  • પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

  • ગામોમાં પંચકેસ સહિતની પ્રક્રિયા શરૂ કરાય

  • 9 પોલીસકર્મીઓનો તપાસ ટીમમાં સમાવે સમાવેશ થાય છે 

Advertisment

 

ભરૂચ જિલ્લામાં બહાર આવેલ મનરેગા કૌભાંડમાં પોલીસની ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના 4 ગામોમાં તપાસ કરી પંચકેસ સહિતની કાર્યવાહી કરી હતી ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય  હતી.આ બે એજન્સીઓમાં વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એજન્સીનો સમાવેશ થાય છે. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. જેમાં 3 અધિકારીઓ અને 6 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આ અંગે તપાસ અધિકારી આર.એમ.વસાવાએ જણાવ્યુ હતું કે ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના સમલી, કંટીયાજાળ, બોલાવ અને સુણેવખુદ ગામમાં તપાસ કરવામાં આવી હતી.પોલીસકર્મીઓ દ્વારા પંચકેસ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.ભરૂચ જિલ્લાના કુલ 56 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ આચરાયુ હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે જેમાં હાંસોટ તાલુકાના સૌથી વધુ ગામોનો સમાવેશ થાય છે.

Advertisment