ભરૂચ : ઝઘડીયાના જુના તોથીદ્રામાં ગેરકાયદે રેતી વહન અને ભાલોદમાં ગૌચરની જમીન પરના દબાણો દૂર કરવા AAPની માંગ

ભરૂચના ઝઘડીયા તાલુકાના જુના તોથીદ્રા ગામે ગૌચરની જમીન પરથી થતું ગેરકાયદે રેતી વહન અટકાવવા અને ભાલોદ ગામે ગૌચરની જમીન પરના દબાણો દૂર કરવા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

New Update
  • ઝઘડીયાના જુના તોથીદ્રાની ગૌચરની જમીનનો મામલો

  • ગૌચર જમીન પર થઈ રહ્યું છે ગેરકાયદેસર રેતી વહન

  • ભાલોદમાં ગૌચરની જમીન પરના દબાણો દૂર કરવા માંગ

  • આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરીએ રજૂઆત કરાય

  • આવેદન પત્ર આપી સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ

Advertisment W3.CSS

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના જુના તોથીદ્રા ગામે ગૌચરની જમીન પરથી થતું ગેરકાયદે રેતી વહન અટકાવવા અને ભાલોદ ગામે ગૌચરની જમીન પરના દબાણો દૂર કરવા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

છેલ્લા કેટલા સમયથી નર્મદા નદીના પટમાં વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના અને ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના જુના તોથીદ્રા ગામની હદમાં આવતા નદી પટના વિસ્તારમાંથી ગેરકાયદે રેતી ખનન કરી ગામના ગૌચરમાંથી રસ્તો બનાવીને ઓવરલોડ વાહનો રાત-દિવસ પસાર કરવામાં આવતા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. જેના કારણે ગામમાં રસ્તાઓને મોટા પ્રમાણમાં નુકશાન પહોચતા ખેડૂતોવિદ્યાર્થીઓશિક્ષકો તેમજ ગ્રામજનોને અવરજવરમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સાથે જ રસ્તા પર ટ્રાફિકની સમસ્યાથી લઈને અકસ્માતો પણ અવારનવાર બનતા રહે છે. ભાલોદ ગામમાં કેટલાક માથાભારે ઈસમો દ્વારા ગેરકાયદે કબજો કરી ગૌચરની જમીનો પચાવી હોવાનો આક્ષેપ થયો છે. ગામમાં ગૌચરની જમીન પણ ગેરકાયદેસર દબાણોના કારણે લુપ્ત થવા પામી છે. સમગ્ર મામલે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં વહેલી તકે તોથીદ્રા ગામની ગૌચરની જમીનોને ખાલી કરાવી દબાણો દૂર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

 

Read the Next Article

ભરૂચ: ઐતિહાસિક ઈદગાહ મેદાનમાં બકરી ઇદની નમાઝ અદા કરાય, મુસ્લિમ બિરાદરોએ અલ્લાહની બંદગી ગુજારી

બકરી ઇદ નિમિતે મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી.ઇસ્લામ ધર્મના પવિત્ર બકરી ઇદના પર્વની આજરોજ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે.

New Update
  • ભરૂચમાં આજરોજ બકરી ઈદના પર્વની ઉજવણી

  • ઇદની નમાઝ અદા કરાય

  • ઐતિહાસિક ઈદગાહ મેદાન ખાતે નમાઝ અદા કરવામાં આવી

  • મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા

  • એકમેકને ઈદના પર્વની પાઠવી શુભકામના

Advertisment W3.CSS
ભરૂચ શહેર તથા જિલ્લામાં બકરી ઇદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી મુસ્લિમ બિરાદરોએ ઇદની નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજરી હતી
ભરૂચ શહેર તથા જિલામાં આજરોજ બકરી ઇદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી.ઇસ્લામ ધર્મના પવિત્ર બકરી ઇદના પર્વની આજરોજ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે.
ભરૂચ શહેર અને જીલ્લામાં વસતા મુસ્લિમ બિરાદરો દ્વારા પણ બકરી ઇદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.ભરૂચના વેજલપુર નજીક આવેલ ઐતિહાસિક ઇદગાહ મેદાન ખાતે મુસ્લિમ બિરાદરોએ સવારના સમયે નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી અને એકમેકને ઇદના પર્વની શુભકામના પાઠવી હતી.