ભરૂચ : ઝઘડીયાના જુના તોથીદ્રામાં ગેરકાયદે રેતી વહન અને ભાલોદમાં ગૌચરની જમીન પરના દબાણો દૂર કરવા AAPની માંગ

ભરૂચના ઝઘડીયા તાલુકાના જુના તોથીદ્રા ગામે ગૌચરની જમીન પરથી થતું ગેરકાયદે રેતી વહન અટકાવવા અને ભાલોદ ગામે ગૌચરની જમીન પરના દબાણો દૂર કરવા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

New Update
  • ઝઘડીયાના જુના તોથીદ્રાની ગૌચરની જમીનનો મામલો

  • ગૌચર જમીન પર થઈ રહ્યું છે ગેરકાયદેસર રેતી વહન

  • ભાલોદમાં ગૌચરની જમીન પરના દબાણો દૂર કરવા માંગ

  • આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરીએ રજૂઆત કરાય

  • આવેદન પત્ર આપી સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના જુના તોથીદ્રા ગામે ગૌચરની જમીન પરથી થતું ગેરકાયદે રેતી વહન અટકાવવા અને ભાલોદ ગામે ગૌચરની જમીન પરના દબાણો દૂર કરવા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

છેલ્લા કેટલા સમયથી નર્મદા નદીના પટમાં વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના અને ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના જુના તોથીદ્રા ગામની હદમાં આવતા નદી પટના વિસ્તારમાંથી ગેરકાયદે રેતી ખનન કરી ગામના ગૌચરમાંથી રસ્તો બનાવીને ઓવરલોડ વાહનો રાત-દિવસ પસાર કરવામાં આવતા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. જેના કારણે ગામમાં રસ્તાઓને મોટા પ્રમાણમાં નુકશાન પહોચતા ખેડૂતોવિદ્યાર્થીઓશિક્ષકો તેમજ ગ્રામજનોને અવરજવરમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સાથે જ રસ્તા પર ટ્રાફિકની સમસ્યાથી લઈને અકસ્માતો પણ અવારનવાર બનતા રહે છે. ભાલોદ ગામમાં કેટલાક માથાભારે ઈસમો દ્વારા ગેરકાયદે કબજો કરી ગૌચરની જમીનો પચાવી હોવાનો આક્ષેપ થયો છે. ગામમાં ગૌચરની જમીન પણ ગેરકાયદેસર દબાણોના કારણે લુપ્ત થવા પામી છે. સમગ્ર મામલે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં વહેલી તકે તોથીદ્રા ગામની ગૌચરની જમીનોને ખાલી કરાવી દબાણો દૂર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

Read the Next Article

ભરૂચ : ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ અભિયાન હેઠળ તમામ તાલુકાઓમાં કેમ્પ યોજાયો

ભારત સરકાર દ્વારા દેશના આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસની યાત્રાને વેગવંતી બનાવવા ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

New Update
MixCollage-08-Jul-2025-08-14-PM-1185

ભારત સરકાર દ્વારા દેશના આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસની યાત્રાને વેગવંતી બનાવવા ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના નેત્રંગ, વાલીયા, ઝઘડીયા, અંકલેશ્વર, હાંસોટ, ભરૂચ જેવા તમામ તાલુકાઓના કલસ્ટર હેઠળના ગામોમાં સરકારી સેવાઓના ઘરઆંગણે લાભ માટે વિશેષ બેનીફિસિયરી સેચ્યુરેશન કેમ્પ યોજાયો હતો, 
જે અંતર્ગત આજરોજ નેત્રંગ તાલુકાના નાના જાંબુડા ખાતે, હાંસોટ તાલુકાના કાંટાસાયણ પંચાયત કચેરી,ઝધડીયા તાલુકાના રાજપારડી પ્રાથમિક શાળા, અને વાલીયા તાલુકાના ડહેલી પ્રા. શાળા ખાતે બેનીફિસિયરી સેચ્યુરેશન કેમ્પ યોજાયો હતો. જેમાં લાભાર્થીઓએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સ્થળ પર જ લાભ મેળવ્યો હતો.