ભરૂચ: જંબુસરમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ સેફટી સૂઝનું વેચાણ કરનાર 3 વેપારીઓ સામે કોપીરાઈટ એક્ટ હેઠળ કાર્યવાહી

ભરૂચના જંબુસર બજારમાં ડુપ્લીકેટ ટાઈગર બ્રાન્ડના નામવાળા ડુપ્લીકેટ સેફટી બુટ વેચવાવાળા ત્રણ દુકાનદારો સામે પોલીસે કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
  • ભરૂચના જંબુસરમાં પોલીસની કાર્યવાહી

  • ડુપ્લીકેટ સેફટી સૂઝનું થતું હતું વેચાણ

  • બ્રાન્ડેડ કંપનીના નામે બુટ વેચવામાં આવતા હતા

  • પોલીસે દરોડા પાડી 3 વેપારીઓ સામે કરી કાર્યવાહી

  • કોપીરાઈટ એક્ટ હેઠળ કરાય કાર્યવાહી

Advertisment W3.CSS
ભરૂચના જંબુસર બજારમાં ડુપ્લીકેટ ટાઈગર બ્રાન્ડના નામવાળા ડુપ્લીકેટ સેફટી બુટ વેચવાવાળા ત્રણ દુકાનદારો સામે પોલીસે કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના જંબુસર નગરમાં પોતાના અંગત સ્વાર્થને લઈને વેપારીઓ ડુપ્લીકેટ બ્રાન્ડના નામ વાળા સેફટી વેચે છે.તે અંગેની જાણ બ્રાન્ડ પ્રોટેક્ટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પ્રતિનિધિને થતા તેઓએ જંબુસર ખાતે પોલીસ બંદોબસ્ત સાથે જંબુસર બજારમાં દરોડા પાડ્યા હતા.જેમાં જંબુસર વિસ્તારમાં આવેલી સારોદવાળા ફુટવેર,અમૂલ ટ્રેડર્સ તથા ડભોઇવાલા ફુટવેરની ત્રણ દુકાનોમાં દરોડા પાડી ટાઈગર બ્રાન્ડના ડુપ્લીકેટ નામવાળા 18 સેફટી બૂટ ઝડપી પાડ્યા હતા.પોલીસે ત્રણ અલગ અલગ દુકાનોમાં મળી રૂપિયા 8100નો મુદ્દામાલ જપ્ત કરીને ત્રણેય દુકાનદારો સામે કોપી રાઇટ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ: NH 48 પર વરેડિયા ચોકડી નજીક રસ્તો ઓળંગતા જૈન સાધ્વીને ટેમ્પાએ મારી ટક્કર, સેવિકાનું મોત, સાધ્વીજી ઇજાગ્રસ્ત

સેવિકાના માથા પરથી આઇસર ટેમ્પાનું ટાયર ફરી વળતા સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત સાધ્વીજીને સારવાર અર્થે 108 માં ભરૂચ સિવિલમાં ખસેડાયા

New Update
Palej Police
રાજસ્થાનના પાલીથી જૈન સાધ્વીજી મધુ સુધાજી વિહાર માટે નીકળ્યા હતા. આજે મળસ્કે તેઓ ભરૂચ હાઇવે પર વરેડિયા સુંદર વિહાર ધામથી નીકળી અસુરીયા જૈન વિહાર ધામે જઈ રહ્યાં હતાં. તેઓ સાથે અર્ટિગાના લઈ ડ્રાઈવર વિહારમાં સાથે હતા. વરેડિયા ચોકડી વ્હિલચેરમાં સાધ્વીજીને ક્રોસ કરાવી સેવિકા ગજરા બેન મેઘવાલ પાલેજ - ભરૂચની લેન તરફ જઈ રહ્યા હતા. ત્યારે ત્રીજી લેનમાં આવેલા આઇસર ટેમ્પા ચાલકે વ્હીલચેરને અડફેટે લઈ ફંગોળી દીધી હતી.
Advertisment W3.CSS
જેમાં સાધ્વી મહારાજજી અને સેવિકા રસ્તા પર પટકાયા હતા. સેવિકાના માથા પરથી ટેમ્પાનું ટાયર ફરી વળતા સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત સાધ્વીજીને 108 માં ભરૂચ સિવિલમાં ખસેડાયા હતા. પાલેજ પોલીસ મથકે ટેમ્પા ચાલક અચ્છેલાલ યાદવ સામે ગુનો દાખલ કરાયો હતો.