ભરૂચ : આમોદની પ્રા. શાળા 2ના મકાનનું કરાશે નવીનીકરણ

ભરૂચ જિલ્લાના આમોદ નગર સહિત 2 પ્રાથમિક શાળાના મકાનનું નવીનીકરણ માટે જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

New Update
  • ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા કરાયું આયોજન

  • આમોદની 2 પ્રા. શાળાના મકાનનું નવીનીકરણ કરાશે

  • જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી રહ્યા વિશેષ ઉપસ્થિત

  • MLAએ ઉદબોધનમાં વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા

  • કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતી

ભરૂચ જિલ્લાના આમોદ નગર સહિત 2 પ્રાથમિક શાળાના મકાનનું નવીનીકરણ માટે જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ભરૂચ જિલ્લાના આમોદ પંથકની મિશ્ર શાળાના નવીનીકરણ માટે લાખો રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જે અંતર્ગત આમોદ નગર સહિત 2 પ્રાથમિક શાળાના મકાનના નવીનીકરણ માટે જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષકોએ તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી ભાવભીનું સ્વાગત કર્યુ હતું.

આ પ્રસંગે તાલુકા શિક્ષણ અધિકારી શબ્બીર સાપાતાલુકા શિક્ષક ઘટક સંઘના મંત્રી ઇલ્યાસ પટેલઆમોદ તાલુકા મહામંત્રી ડો. પ્રવિણસિંહ રાઉલજીદીપક ચૌહાણઆમોદ મહિલા મોરચાના પ્રમુખ વૈશાલી મોદીઆમોદ પાલિકા સદસ્યોશાળાના આચાર્ય ઈશાક પટેલ સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીએ પ્રાસંગિક ઉદબોધન કરી વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર : 27 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે મામલતદાર કચેરીમાં જામ્યો મેળાવડો

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણી અંગેની જાહેરાત કરવામાં આવી હતી.જેમાં આગામી તારીખ 22 જૂનના રોજ ચૂંટણી યોજાશે,

New Update
  • ગ્રામ્ય કક્ષાએ ચૂંટણીની ચહલપહલ

  • ઉમેદવારીનો અંતિમ દિવસ

  • ચૂંટણી કચેરીઓમાં લાગી ભીડ

  • સરપંચ અને સભ્યોએ નોંધાવી ઉમેદવારી

  • 11 જૂન ઉમેદવારી પરત ખેંચવાનો દિવસ 

અંકલેશ્વર તાલુકાના 27 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે,ત્યારે ઉમેદવારી ભરવાના અંતિમ દિવસે મામલતદાર કચેરીમાં મેળાવડો જામ્યો હતો.

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણી અંગેની જાહેરાત કરવામાં આવી હતી.જેમાં આગામી તારીખ 22 જૂનના રોજ ચૂંટણી યોજાશે,જ્યારે 25 જૂનના રોજ મતગણતરી કરીને પરિણામ જાહેર કરવામાં આવશે,ત્યારે અંકલેશ્વર મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે પંચાયતીરાજની ચૂંટણીનો ધમધમાટ જોવા મળ્યો હતો.આજરોજ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી ભરવાનો અંતિમ દિવસ હતો,જેના કારણે ચૂંટણી કચેરીઓમાં ઉમેદવારોનો મેળાવડો જોવા મળ્યો હતો.

અંકલેશ્વર તાલુકાના જીતાલી ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે જગદીશ પ્રભાત વસાવાએ 10 સભ્યો સાથે ફોર્મ ભર્યું હતું,જ્યારે સંજાલી ગામના સરપંચના ઉમેદવાર અતિકા સફાકત ભૈયાતે 10 સભ્યો સાથે ઉમેદવારી નોંધાવી હતી.વધુમાં કોસમડી ગ્રામ પંચાયત ચૂંટણીમાં  સરપંચના ઉમેદવાર શારદા પ્રકાશભાઈ વસાવાએ 16 સભ્યો સાથે ઉમેદવારી નોંધાવીને પોતાની જીતનો દાવો કર્યો હતો.

અંકલેશ્વરના માંડવા ગ્રામ પંચાયતમાં સરપંચ ઉમેદવાર નવીન અર્જુન પટેલે 10 સભ્યો સાથે ઉમેદવારી નોંધાવી હતી.અને ઉછાલી ગામમાં સરપંચ પદ માટે શીતલ જીતેશભાઈ પટેલે 8 સભ્યો સાથે ઉમેદવારી કરી હતી.આ ઉપરાંત જીતાલી ગામમાંથી ઉષા કિરીટભાઈ વસાવાએ  10 સભ્યો સાથે તાલુકા પંચાયત ખાતે ફોર્મ ભર્યું હતું.તો દઢાલ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે સુકા ગંભીર વસાવાએ 10 સભ્યોઅને માટીએડ ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ ઉમેદવાર માટે પંકજ ફતેસિંહ પરમારે 5 સભ્યો સાથે ઉમેદવારી નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે 11 જૂને ઉમેદવારી પરત ખેંચાયા બાદ કયા ઉમેદવાર મેદાનમાં છે તે ચિત્ર સ્પષ્ટ થશે.