ભરૂચ અને નેશનલ હાઈવેના માર્ગો બિસ્માર બનતા ટ્રાફિકની સમસ્યા વિકટ બની

ભરૂચ જિલ્લામાં મુશળધાર વરસાદને પગલે દરેક રસ્તાના ખસ્તાહાલ થઇ ગયા છે,ક્યા રસ્તા પરથી પસાર થવું એ વાહન ચાલકો માટે પેચીદો પ્રશ્ન બની ગયો છે.

New Update

ભરૂચ શહેર તેમજ નેશનલ હાઇવેના માર્ગો અત્યંત બિસ્માર બનતા ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બની રહી છે,અને વાહન ચાલકો માટે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

ભરૂચ જિલ્લામાં મુશળધાર વરસાદને પગલે દરેક રસ્તાના ખસ્તાહાલ થઇ ગયા છે,ક્યા રસ્તા પરથી પસાર થવું એ વાહન ચાલકો માટે પેચીદો પ્રશ્ન બની ગયો છે. નર્મદા ચોકડી,એબીસી સર્કલ,શ્રવણ ચોકડી,જંબુસર બાયપાસનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે,જ્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ને જોડતા મુખ્ય માર્ગ પર પણ ખાડા પડી ગયા છે.તેમજ નેશનલ હાઇવે પણ હવે ખાડા તંત્રથી બાકાત નથી રહ્યો! જેના કારણે વાહનચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે,અને ટ્રાફિકજામમાં પોતાનો અમૂલ્ય સમય વેડફાઇ રહ્યો છે.જ્યારે ટ્રાફિક સમસ્યાને કંટ્રોલ કરવું પોલીસ માટે પણ પડકારજનક બની ગયું છે.

Read the Next Article

ભરૂચ: જે.પી. કોલેજમાં રક્તદાન શિબિર યોજાય, વિદ્યાર્થીઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું

New Update
  • ભરૂચમાં આવેલી છે જે.પી.કોલેજ

  • કોલેજમાં રક્તદાન શિબિર યોજાય

  • ભારતીય નવનિર્માણ સંઘ દ્વારા આયોજન

  • યુનિટી બ્લડ બેંકનો સહયોગ સંપડ્યો

  • વિદ્યાર્થીઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
ભરૂચના ભારતીય નવનિર્માણ સંઘ અને યુનિટી બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. શિબિરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને માનવ સેવા માટે રક્તદાન કર્યું હતું.આ પ્રસંગે સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટી, ભાજપ યુવા મોરચાના પ્રમુખ વૃષભ પટેલ, કોલેજના આચાર્ય નિતિન પટેલ તેમજ કોલેજ પરિવાર ઉપસ્થિતિ રહયો હતો. ડોક્ટરો દ્વારા વિદ્યાર્થીઓને રક્તદાનના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Latest Stories