ભરૂચ: ડો.બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ નિમિત્તે ભાજપ-કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના આજરોજ નિર્વાણ દિવસ નિમિત્તે તેઓને ભાજપ અને કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી

New Update
  • આજે ડો.બાબાસાહેબ આંબેડકરનો નિર્વાણ દિવસ

  • ભરૂચમાં યોજાયા કાર્યક્રમો

  • ભાજપ દ્વારા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરાય

  • કોંગ્રેસ કાર્યાલય પર પણ કાર્યક્રમ યોજાયો

  • આગેવાનો અને કાર્યકરો રહ્યા ઉપસ્થિત

ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના આજરોજ નિર્વાણ દિવસ નિમિત્તે તેઓને ભાજપ અને કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી
દેશના બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ રામજી આંબેડકરની આજે 6 ડિસેમ્બરે પુણ્યતિથિ છે, તેમની યાદમાં મહાપરિનિર્વાણ દિવસ ઉજવવામાં આવે છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રેલ્વે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તેમના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, મહામંત્રી નિરલ પટેલ, અનુસુચિત જાતિ મોરચાના કનુ પરમાર સહિતના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ નિમિત્તે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા,શહેર કોંગ્રેસ પ્રમુખ હરીશ પરમાર આગેવાન સલીમ અમદાવાદી, ઝુબેર પટેલ તેમજ કાર્યકરો જોડાયા હતા
Read the Next Article

ભરૂચ: સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓનું કરાયુ સન્માન

ભરૂચમાં વિપરીત પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓનું  સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું....

New Update

ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન

ફાયર વિભાગના કર્મચારીઓનું કરાયુ સન્માન

આગ સહિતની ઘટનાઓમાં બજાવે છે ફરજ

અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં વિપરીત પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓનું  સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું
ભરૂચનું સાર્થક ફાઉન્ડેશન જીવદયા સહિત વિવિધ સેવાકીય કાર્યો સાથે સંકળાયેલું છે.શહેરમાં પક્ષીઓ વીજતાર પર લટકાઈ જાય કે કોઈ પ્રાણી ગટરમાં પડી જાય ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી કરે છે. આવી આપત્તિ દરમિયાન પણ ફાયર વિભાગની ટીમ જીવ જોખમમાં મૂકી સેવા આપે છે.આ સેવાકીય કાર્યો માટે સાર્થક ફાઉન્ડેશનના સ્નેહલ શાહ સહિતની ટીમ દ્વારા નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા ઉપપ્રમુખ અક્ષય પટેલ અને ફાયર વિભાગના ચેરમેન રાકેશ કહારની ઉપસ્થિતિમાં ફાયર વિભાગના અધિકારી ચિરાગ ગઢવી અને તેમની ટીમને સન્માનપત્ર તથા શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.