-
રાજ્ય સરકાર લાગુ કરશે UCC
-
પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ લખ્યો પત્ર
-
CM ભુપેન્દ્ર પટેલને પત્ર લખી કરી રજુઆત
-
પેટા સમિતિ બનાવવાની કરી માંગ
-
UCCમાંથી આદિવાસીઓને બાકાત રાખવા ભલામણ
ગુજરાતમાં પણ હવે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે. આ માટે સરકાર દ્વારા સુપ્રીમકોર્ટના નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતિની રચનાની જાહેરાત કરી છે. સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરી આ સમિતિ પોતાનો અહેવાલ 45 દિવસમાં સરકારને સોંપશે ત્યારે આ મામલે આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યા બાદ ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને ભરૂચ ભાજપના નેતા મહેશ વસાવાએ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખી કેટલીક રજુઆત કરી છે.