ભરૂચ: ભાજપના નેતા મહેશ વસાવાએ UCC અંગે CMને લખ્યો પત્ર, આદિવાસીઓના અધિકારો ખતમ કરવાનું ગણાવ્યું ષડયંત્ર !

ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને ભરૂચ ભાજપના નેતા મહેશ વસાવા એ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને અંગે પત્ર લખ્યો છે જેમાં તેઓએ વિવિધ રજૂઆતો કરી છે

New Update
  • રાજ્ય સરકાર લાગુ કરશે UCC

  • પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ લખ્યો પત્ર

  • CM ભુપેન્દ્ર પટેલને પત્ર લખી કરી રજુઆત

  • પેટા સમિતિ બનાવવાની કરી માંગ

  • UCCમાંથી આદિવાસીઓને બાકાત રાખવા ભલામણ

Advertisment
ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને ભરૂચ ભાજપના નેતા મહેશ વસાવા એ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને અંગે પત્ર લખ્યો છે જેમાં તેઓએ વિવિધ રજૂઆતો કરી છે અને સાથે જ UCCની કોઈ જરૂર ન હોવાનું નિવેદન આપ્યું છે.

ગુજરાતમાં પણ હવે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે. આ માટે સરકાર દ્વારા સુપ્રીમકોર્ટના નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતિની રચનાની જાહેરાત કરી છે. સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરી આ સમિતિ પોતાનો અહેવાલ 45 દિવસમાં સરકારને સોંપશે ત્યારે આ મામલે આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યા બાદ ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને ભરૂચ ભાજપના નેતા મહેશ વસાવાએ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખી કેટલીક રજુઆત કરી છે.

મહેશ વસાવાએ સી.એમ.ભુપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર સરકારે UCC અંગે ૪૫ દિવસમાં રિપોર્ટ સોંપવામાં આવે એવી જાહેરાત કરવામાં આવી છે પરંતુ તેઓની માંગ છે કે ૬૦ દિવસમાં રીપોર્ટ સોંપવામાં આવે અને,  ST, SC, O.B.C પીછડા વર્ગ અને અન્ય સમાજની ગુજરાતની  પેટા સમિતી બનાવી જોઈએ એવી માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ઉતરાખંડનો જે મુસદ્દો છે એને પણ જાહેર કરવામાં આવે જેથી લોકો U.C.C ના મુસદાને સમજી શકે અને ગુજરાતમાં U.C.C ના મુસદ્દાનો  અભીપ્રાય આપી શકે.સાથે જ આદિવાસીઓને સવીધાનથી સંરક્ષિત રાખવામાં આવ્યા છે જેથી યુનિફોર્મ સિવિલ કોડ U.C.C ના માધ્યમથી કોઇ પણ જાતનો ફેરફાર કરવામાં ન આવે તેવી તેઓ દ્વારા રજુઆત કરવામાં આવી છે. મહેશ વસાવાએ આ અંગે કહ્યું હતું કે UCCની કોઈ જરૂર નથી આદિવાસીઓના અધિકારીઓ ખતમ કરવાનું આ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
Advertisment
Read the Next Article

ભરૂચ : ઇતિહાસના સાક્ષી, અવગણનાના શિકાર બન્યા નર્મદા ઘાટ,પર્યટન સ્થળ તરીકે  પુનઃવિકાસની ઉઠી પોકાર

સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબ, ભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓ, પવિત્ર સ્નાન, તહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા.

author-image
By Connect Gujarat Desk
New Update
  • નર્મદા ઘાટ બન્યા દુર્દશાનો શિકાર

  • ઇતિહાસના સાક્ષી ઘાટોની અવગણના

  • પવિત્ર ઘાટ પર સંતો અને ઋષિઓએ કર્યા છે તપ

  • વારાણસી મુજબ જ નર્મદા ઘાટનાં વિકાસનો પોકાર

  • પર્યટન સ્થળ તરીકે ઘાટનાં વિકાસ માટે ઉઠી માંગ 

Advertisment

ભરૂચના નર્મદા કિનારાનાં ઘાટ આજે પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યા છે. સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓપવિત્ર સ્નાનતહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા. આ ઘાટો પર સંતો અને ઋષિઓએ તપ કર્યા હતા,તો કેટલાક ઘાટો ઐતિહાસિક યુદ્ધો અને યાત્રાઓના સાક્ષી રહ્યા છે. આજના સમયમાં આ ઘાટો તૂટી ગયેલી પાળીઓકચરો અને પાણીના ભરાવા સહિત ગંદકી જેવી સમસ્યાઓથી ઘેરાયેલા છે.

ભરૂચની જનતાનું કહેવું છે કે સરકાર દ્વારા 'સ્ટેચ્યુ ઓફ યુનિટીજેવા વિશ્વવિખ્યાત પ્રોજેક્ટ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યોપણ એ જ નર્મદા નદીના પવિત્ર ઘાટો આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. ત્યાં લાઇટિંગ,પીવાનું પાણી,શૌચાલય કે બેસવાની વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ નથી.

સ્થાનિક સામાજિક કાર્યકરોઐતિહાસિક રસ ધરાવતા લોકો અને ધાર્મિક સંગઠનો સરકારને આગ્રહ કરી રહ્યા છે કે નર્મદા ઘાટોનું દસ્તાવેજી કરણ કરવામાં આવેઅને તેમની પૌરાણિક તથા ઐતિહાસિક મહત્તાને પ્રકાશમાં લાવીને ઘાટોનું સૌંદર્યકરણ કરવામાં આવે. સાથે જ ઘાટોની કથાઓ અને ઇતિહાસ દર્શાવતું દ્રશ્ય અને ઓડિયો માર્ગદર્શન દિવાલ ચિત્રો અને સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ કરવાથી ધાર્મિક પર્યટન વધારી શકાય તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે. 

Advertisment