ભરૂચ : મહારાષ્ટ્ર વિધાનસભા અને ગુજરાતની વાવ બેઠક પર ભાજપની ભવ્ય જીત, ફટાકડા ફોડી જીતનો જશ્ન મનાવાયો…

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી વિજ્યોત્સવ મનાવવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા સીટો માટે ટ્રેન્ડ આવી ગયો છે. મહાયુતિ ગઠબંધન 200થી વધુ સીટો પર આગળ રહી છે

New Update
  • મહારાષ્ટ્ર-વાવ વિધાનસભા બેઠકની ચૂંટણીમાં ભાજપની જીત

  • ભવ્ય જીત બદલ ભારતીય જનતા પાર્ટીમાં ખુશીનો માહોલ

  • કસક સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી

  • ફટાકડા ફોડી એકમેકને મોઢું મીઠું કરાવી જીતનો જશ્ન મનાવાયો

  • મોટી સંખ્યા ભાજપના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિ

મહારાષ્ટ્ર વિધાનસભા અને ગુજરાતની વાવ બેઠકની ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત હાંસલ કરતા ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી વિજ્યોત્સવ મનાવવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા સીટો માટે ટ્રેન્ડ આવી ગયો છે. મહાયુતિ ગઠબંધન 200થી વધુ સીટો પર આગળ રહી છે. રાજ્યમાં ભાજપના ગઠબંધનની સરકાર બનશે એ નિશ્ચિત છે. તો બીજી તરફબનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ આવી ગયું છે.

કોંગ્રેસના ગુલાબસિંહને હરાવીને ભાજપના સ્વરૂપજી ઠાકોરે 2500થી વધુ મતથી જીત મેળવી છે. જોકેવાવના ઇતિહાસમાં પ્રથમવાર કોઇ ઉમેદવારે આટલી ઓછી લીડથી જીત મેળવી છેત્યારે ભરૂચ શહેરના કસક વિસ્તાર સ્થિત ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ફટાકડા ફોડી એકમેકને મોઢું મીઠું કરાવી જીતની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની ડ્રાઇવનો પ્રારંભ, ઢોર ડબ્બામાં 14 રખડતા ઢોર પુરાયા....

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

New Update
stray cattlessss

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

ભરૂચ સહિત અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ગઈ છે, ત્યારે રખડતા ઢોર મામલે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં રખડતા ઢોર પકડવાની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. જેમાં ગાય અને વાછરડા સહિત 14 રખડતા ઢોરને ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડાની રાહબરી હેઠળ સેનીટેશન ખાતાના 4 સુપરવાઈઝર અને 1 મુકાદમ સહિત 5 શ્રમિકો દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ, અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પશુ પાલકોને તાકીદ કરવામાં આવે છે કે, તમારા પશુઓને ઘરે બાંધીને રાખો અને એને જાહેર રસ્તા ઉપર રખડતા છોડવા નહીં. જો તઓને આપેલ સૂચનાનું પાલન કરવામાં આવશે નહીં, તો જે તે પશુપાલકો વિરુદ્ધ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.