ભરૂચ : મહારાષ્ટ્ર વિધાનસભા અને ગુજરાતની વાવ બેઠક પર ભાજપની ભવ્ય જીત, ફટાકડા ફોડી જીતનો જશ્ન મનાવાયો…

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી વિજ્યોત્સવ મનાવવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા સીટો માટે ટ્રેન્ડ આવી ગયો છે. મહાયુતિ ગઠબંધન 200થી વધુ સીટો પર આગળ રહી છે

New Update
  • મહારાષ્ટ્ર-વાવ વિધાનસભા બેઠકની ચૂંટણીમાં ભાજપની જીત

  • ભવ્ય જીત બદલ ભારતીય જનતા પાર્ટીમાં ખુશીનો માહોલ

  • કસક સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી

  • ફટાકડા ફોડી એકમેકને મોઢું મીઠું કરાવી જીતનો જશ્ન મનાવાયો

  • મોટી સંખ્યા ભાજપના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિ

મહારાષ્ટ્ર વિધાનસભા અને ગુજરાતની વાવ બેઠકની ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત હાંસલ કરતા ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી વિજ્યોત્સવ મનાવવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા સીટો માટે ટ્રેન્ડ આવી ગયો છે. મહાયુતિ ગઠબંધન 200થી વધુ સીટો પર આગળ રહી છે. રાજ્યમાં ભાજપના ગઠબંધનની સરકાર બનશે એ નિશ્ચિત છે. તો બીજી તરફબનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ આવી ગયું છે.

કોંગ્રેસના ગુલાબસિંહને હરાવીને ભાજપના સ્વરૂપજી ઠાકોરે 2500થી વધુ મતથી જીત મેળવી છે. જોકેવાવના ઇતિહાસમાં પ્રથમવાર કોઇ ઉમેદવારે આટલી ઓછી લીડથી જીત મેળવી છેત્યારે ભરૂચ શહેરના કસક વિસ્તાર સ્થિત ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ફટાકડા ફોડી એકમેકને મોઢું મીઠું કરાવી જીતની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.