New Update
/connect-gujarat/media/media_files/2025/05/23/QKp2YsMwzQpwGNrBUOSi.jpeg)
ગતરોજ સવારના સાડા ચારેક વાગ્યાના અરસામાં એક કિશોરી એક ચિઠ્ઠીમાં “હું આત્મહત્યા કરવા નર્મદા મૈયા બ્રિજ પર જાવ છું” તેમ લખી પોતાના ઘરેથી નીકળી ગઈ હતી.
જે બાબતે તેના પરીવારના સભ્યો પોલીસ સ્ટેશન ખાતે આવી જાણ કરતા પોલીસ ઇન્સ્પેકટર એ.વી.પાણમીયાએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને તાત્કાલીક કાર્યવાહી કરવા સૂચના આપતા કિશોરીની શોધ-ખોળ કરતા કીશોરી રેલ્વે સ્ટેશન પાસેથી મળી આવી હતી અને સમય સુચકતા વાપરી કિશોરીને નર્મદા નદીમાં કુદતા પહેલા બચાવી લેવામાં આવી હતી.કિશોરીને પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરતા તેને ઘરમાં માતા-પિતા તેમજ ફોઈએ ઠપકો આપતા આત્મહત્યા કરવાનું વિચારી નર્મદા નદીમાં કુદી જવા માટે ગઈ હોવાની વિગતો જણાવી હતી જેથી કિશોરીને તેના પરીવારના સભ્યોનો સર્પક કરી તેઓને સોંપવામાં આવી હતી.