ટ્રાફિક પોઈન્ટ પર પોલીસ “તૈનાત” : ભરૂચ શહેરમાં ટ્રાફિકજામની સમસ્યાને હળવી કરતાં પોલીસ જવાનો…

ભરૂચ શહેરમાં ટ્રાફિકજામની પરિસ્થિતીને પહોચી વળવા પોલીસ વિભાગ સજ્જ બન્યું છે, ત્યારે શહેરના વિવિધ પોઈન્ટ ઉપર તૈનાત પોલીસ જવાનો ટ્રાફિકજામની સમસ્યાને હળવી કરતાં નજરે પડ્યા હતા. 

New Update

ભરૂચ શહેરમાં ટ્રાફિકજામની પરિસ્થિતીને પહોચી વળવા પોલીસ વિભાગ સજ્જ બન્યું છેત્યારે શહેરના વિવિધ પોઈન્ટ ઉપર તૈનાત પોલીસ જવાનો ટ્રાફિકજામની સમસ્યાને હળવી કરતાં નજરે પડ્યા હતા.

Advertisment

ભરૂચ શહેર અને જિલ્લા માટે ટ્રાફિકનો પ્રશ્ન જાણે સામાન્ય બની ગયો છે. પછી તે નેશનલ હાઇવે હોય કેશહેરના માર્ગો હોય. ગત 2 દિવસ ભરૂચ શહેરમાં વરસેલા અવિરત વરસાદના પગલે ઠેર ઠેર જળ બંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. જેના કારણે શહેરના સેવાશ્રમ રોડકસક સર્કલ સહિતના અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ધોવાઈ જતાં વધુ એકવાર લોકોને ટ્રાફિકજામનું ગ્રહણ નડ્યું છે. તેવામાં આજે ઉઘાડ નીકળતા પોલીસ તંત્ર સાબદું બની ટ્રાફિકજામની સમસ્યાના નિવારણ માટે કામે લાગ્યું છે. વહેલી સવારથી જ ટ્રાફિકજામની પરિસ્થિતીને પહોચી વળવા શહેરના કોલેજ રોડ તેમજ કસક સર્કલ સહિતના વિવિધ પોઈન્ટ ઉપર પોલીસ જવાનો તૈનાત થઈ ટ્રાફિકજામની સમસ્યાને હળવી કરતાં નજરે પડ્યા હતા. તો બીજી તરફલોકો પણ સાથ સહકાર આપે તેવી પોલીસ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ: વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિવસ નિમિત્તે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન, VHPએ સ્થાપનાના 6 દાયકા પૂર્ણ કર્યા

ભરૂચમાં વિશ્વ હિન્દુ પરિષદના 61મા સ્થાપના દિવસ નિમિત્તે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યુ આયોજન

  • વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજન

  • સ્થાપના દિવસની ઉજવણી કરાય

  • ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન

  • આગેવાનો અને કાર્યકરો રહ્યા ઉપસ્થિત

Advertisment
ભરૂચમાં વિશ્વ હિન્દુ પરિષદના 61મા સ્થાપના દિવસ નિમિત્તે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા
વિશ્વ હિન્દુ પરિષદના 61મા સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ શહેરમાં ભવ્ય ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમોની શ્રેણી શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત આજે ભરૂચ શહેરમાં શંભુ ડેરી નજીક આવેલ રેવા સેવા સમન્વય  સમિતિ સંઘ કાર્યાલય  ખાતે ભક્તિભાવથી સત્યનારાયણ ભગવાનની પાવન કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પાવન પ્રસંગે 
ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ,મુક્તેશ્વર સ્વામી, વાલ્મિકી સમાજ ઘોઘારાવ મંદિરના ગાદીપતિ જય મહારાજ, રમેશ રાવલ,વીએચપીના ધર્મેશ પટેલ, જિલ્લા મંત્રી રાહુલ પટેલ, શહેર પ્રમુખ હેમંત જાદવ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ 1964માં સ્થાપિત થયેલી વિશ્વ હિન્દુ પરિષદે છેલ્લા છ દાયકાથી વધુ સમયગાળામાં સમાજ સમરસતા, ધાર્મિક જાગૃતિ, ગૌસંરક્ષણ, સેવા કાર્યો તેમજ રાષ્ટ્રીય એકતાના ક્ષેત્રે અવિરત યોગદાન આપ્યું છે. 
#Bharuch #CGNews #Foundation Day #VHP #Vishwa Hindu Parishad #Satyanarayana Katha
Latest Stories