New Update
કલકત્તામાં ટ્રેઇની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરના મામલામાં ભરૂચની એમ.એસ.કે.લો કોલેજ અને એમ.કે.કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા મૌન રેલી કાઢવામાં આવી હતી
કલકત્તામાં ટ્રેઇની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરનો મામલો સામે આવ્યો છે.જેના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાય રહ્યા છે ત્યારે ભરૂચની એમ.એસ.કે.લો કોલેજ અને એમ.કે.કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા પણ આ બાબતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.કોલેજની વિદ્યાર્થીનીઓ અને સ્ટાફ દ્વારા લો કોલેજથી શીતલ સર્કલ અને પરત કોલેજ સુધી મૌન રેલી કાઢવામાં આવી હતી.આ અંગે વિદ્યાર્થીનીઓના જણાવ્યા અનુસાર આવું જઘન્ય કૃત્ય કરનાર આરોપીઓને ડાયરેકટ ફાંસીની સજા મળવી જોઈએ એવી માંગ કરવામાં આવી છે