ભરૂચ: રાહુલ ગાંધી સામે બેફામ નિવેદનો કરનાર BJPના નેતાઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા કોંગ્રેસની માંગ

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન યોજાયું હતું અને રાહુલ ગાંધી સામે બેફામ નિવેદનો કરનાર ભાજપના નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી હતી.

New Update

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

એ ડિવિઝન પોલીસ મથક બહાર પ્રદર્શન યોજાયું

ભાજપના નેતાઓ સામે પોલીસ ફરિયાદની માંગ

રાહુલ ગાંધી સામે કરાયા હતા બેફામ નિવેદનો

પોલીસને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન યોજાયું હતું અને રાહુલ ગાંધી સામે બેફામ નિવેદનો કરનાર ભાજપના નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી.યુ ગડરીયાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે ભાજપ અને તેના સહયોગી દળના કેટલાક નેતાઓ દ્વારા બેફામ નિવેદનો કરવામાં આવ્યા છે. તેઓની સરખામણી આતંકવાદી સાથે કરવામાં આવી છે ત્યારે આ પ્રકારના નિવેદનો જાણી જોઈને આપવામાં આવી રહ્યા છે જેનાથી દેશમાં શાંતિ અને સલામતી જોખમાઈ છે ત્યારે આ પ્રકારના નિવેદનો કરનાર નેતાઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે. વિરોધ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, સમસાદ અલી સૈયદ, ઝુબેર પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા.
બાઈટ
Read the Next Article

અંકલેશ્વર: GIDC પોલીસે ગુમ અથવા ચોરી થયેલ રૂ.1.83 લાખની કિંમતના 12 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા

અંકલેશ્વર GIDC પોલીસે તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલ રૂ.1.83 લાખની કિંમતના 12 મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.

New Update
MixCollage-29-Jun-2025-10-11-AM-1198

અંકલેશ્વર GIDC પોલીસે તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલ રૂ.1.83 લાખની કિંમતના 12 મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા  CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી જેના આધારે અંકલેશ્વર GIDC પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.પોલીસે કેન્દ્ર સરકારના સી.ઇ.આઈ.આર.પોર્ટલના માધ્યમથી ગુમ થઇ ગયેલ મોબાઇલ ફોન એકટીવ થયા હતા જેને સ્ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે.પોલીસે રૂ.1.83 લાખની કિંમતના 12 ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ દ્વારા વર્ષ 2025માં અત્યાર સુધી રૂપિયા 6.43 લાખની કિંમતના 39 મોબાઇલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.
મોબાઈલ ચોરી થવા અથવા ગુમ થવાના બનાવમાં શું કરવું તેની માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે  સૌ પ્રથમ ગુગલ પરથી WWW.CEIR.GOV.IN પર જવાનું જેમાં ગુમ અથવા ચોરી થયેલ મોબાઈલ અંગેની માહિતી આપવાથી તમને એક આઇ.ડી.મળશે જેના આધારે તમે તમારા ચોરી થયેલ મોબાઈલનું સ્ટેટ્સ ચેક કરી શકો છો.આજ પોર્ટલ પરથી તમે  મોબાઈલ પણ બ્લોક કરાવી શકો છો