New Update
/connect-gujarat/media/media_files/2025/08/16/mgr-ncue-2025-08-16-12-05-56.png)
ભરૂચ નજીકથી વહેતી નર્મદા નદીમાં મગરનો વસવાટ જોવા મળે છે ત્યારે મગરના આતંકનો વિડીયો સામે આવ્યો છે.
ભરૂચના ઝઘડિયાના જૂને તરસાલી ગામે નર્મદા નદી કિનારે મગરે શ્વાનનો શિકાર કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જૂની તરસાલી ગામે નર્મદા નદી કિનારે બે શ્વાન રમી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ નદીમાંથી આવી ચઢેલ મગર બે પૈકી એક શ્વાનને અંદર ખેંચી ગયું હતું અને શિકાર કર્યો હતો.આ ઘટનાના પગલે ગ્રામજનોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.આ અગાઉ પણ ઝઘડિયા પંથકમાં અનેક વાર મગરના હુમલાના બનાવો સામે આવ્યા છે ત્યારે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.