ભરૂચ : વરસાદી અને પૂરના પાણીથી ખેતી-પાકને નુકશાન, શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

ભરૂચ જિલ્લાના આમોદ અને અંકલેશ્વર તાલુકાના વિવિધ ગામોના ખેતરોમાં વરસાદી અને પૂરના પાણી ભરાય જતાં ખેતીને નુકશાન થયું છે

New Update

ભરૂચ જિલ્લાના આમોદ અને અંકલેશ્વર તાલુકાના વિવિધ ગામોના ખેતરોમાં વરસાદી અને પૂરના પાણી ભરાય જતાં ખેતીને નુકશાન થયું છેજ્યારે જિલ્લામાં શાકભાજીની આવક ઘટતા હવે શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

Advertisment

ભરૂચ શહેર તથા જીલ્લામાં ભારે વરસાદ અને નદીમાં આવેલ પાણીના પૂરની અસર શાકભાજી ઉપર પડી છે. ઠેર ઠેર ખેતરોમાં ભરાયેલા વરસાદી અને પૂરના પાણીના કારણે નષ્ટ થઈ જતાં શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. જેના કારણે શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. દુધીગલકાભીંડાધાણાતુવેરરીંગણકારેલાવટાણાતુરિયા સહિતના શાકભાજીના ભાવ 100 રૂપિયાની આસપાસ પહોંચી ગયા છે. શાકભાજીના વેપાર એ જણાવ્યું હતું કેભરૂચ જિલ્લામાં ભારે વરસાદ સાથે નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે જિલ્લાભરમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. આ સાથે જ શાકભાજીના ભાવમાં પણ વધારો નોંધાયો છે. આ બાબતે ગૃહણીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કેચોમાસા દરમિયાન ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે શાકભાજીના ભાવ આસમાને ચડ્યા છેત્યારે ઘરનું બજેટ પણ ખોરવાઈ રહ્યું હોવાનું પણ ગૃહિણીઓ જણાવી રહી છે.

Advertisment
Read the Next Article

ભરૂચ : DGVCL દ્વારા માતરીયા ઇન્ટેકવેલ પર  કામગીરીને પગલે વીજ અને  પાણી પુરવઠો રહેશે બંધ

ભરૂચ શહેરના માતરીયા ઇન્ટેકવેલ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરીને પગલે વીજ સપ્લાય બંધ રહેશે,જેના કારણે શહેરીજનોને અપાતો પાણી પુરવઠો પણ ખોરવાશે.

New Update
power cut

ભરૂચ શહેરના માતરીયા ઇન્ટેકવેલ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરીને પગલે વીજ સપ્લાય બંધ રહેશે,જેના કારણે શહેરીજનોને અપાતો પાણી પુરવઠો પણ ખોરવાશે.

Advertisment

aa

ભરૂચ નગરપાલિકા દ્વારા એક અખબારી યાદી જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે તારીખ 30-05-2025ને શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી માતરીયા ઇન્ટેકવેલ ઉપર અપાતો વીજ પુરવઠો સવારના 7 કલાકથી બપોરેના 1 કલાક સુધી બંધ રાખવામાં આવશે.જેના કારણે શુક્રવારના રોજ સવારના 7 કલાકથી તમામ ટાંકી પરથી અપાતો પાણી પુરવઠો પણ બંધ રહેશે.જોકે તારીખ 31-05-2025ને શનિવારના રોજ તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી પુરવઠો રાબેતા મુજબ મળશે.

Advertisment