ભરૂચ : વરસાદી અને પૂરના પાણીથી ખેતી-પાકને નુકશાન, શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

ભરૂચ જિલ્લાના આમોદ અને અંકલેશ્વર તાલુકાના વિવિધ ગામોના ખેતરોમાં વરસાદી અને પૂરના પાણી ભરાય જતાં ખેતીને નુકશાન થયું છે

New Update

ભરૂચ જિલ્લાના આમોદ અને અંકલેશ્વર તાલુકાના વિવિધ ગામોના ખેતરોમાં વરસાદી અને પૂરના પાણી ભરાય જતાં ખેતીને નુકશાન થયું છેજ્યારે જિલ્લામાં શાકભાજીની આવક ઘટતા હવે શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

ભરૂચ શહેર તથા જીલ્લામાં ભારે વરસાદ અને નદીમાં આવેલ પાણીના પૂરની અસર શાકભાજી ઉપર પડી છે. ઠેર ઠેર ખેતરોમાં ભરાયેલા વરસાદી અને પૂરના પાણીના કારણે નષ્ટ થઈ જતાં શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. જેના કારણે શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. દુધીગલકાભીંડાધાણાતુવેરરીંગણકારેલાવટાણાતુરિયા સહિતના શાકભાજીના ભાવ 100 રૂપિયાની આસપાસ પહોંચી ગયા છે. શાકભાજીના વેપાર એ જણાવ્યું હતું કેભરૂચ જિલ્લામાં ભારે વરસાદ સાથે નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે જિલ્લાભરમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. આ સાથે જ શાકભાજીના ભાવમાં પણ વધારો નોંધાયો છે. આ બાબતે ગૃહણીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કેચોમાસા દરમિયાન ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે શાકભાજીના ભાવ આસમાને ચડ્યા છેત્યારે ઘરનું બજેટ પણ ખોરવાઈ રહ્યું હોવાનું પણ ગૃહિણીઓ જણાવી રહી છે.

Read the Next Article

ભરૂચ : માછી સમાજના આગેવાન કમલેશ મઢીવાલા 20 કાર્યકરો સાથે AAPમાં જોડાયા !

ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે માછી સમાજના આગેવાન અને સામાજિક કાર્યકર કમલેશ મઢી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે.આવનારા સમયમાં રાજ્યમાં

New Update

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની તૈયારી

આપમાં આગેવાનો જોડાયા

માછી સમાજના આગેવાને આપનો ખેસ પહેર્યો

આપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

વિવિધ પ્રશ્ને ચલાવી છે લડત

ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે માછી સમાજના આગેવાન અને સામાજિક કાર્યકર કમલેશ મઢી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે.

આવનારા સમયમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણી યોજનાર છે ત્યારે ભરૂચ જિલ્લામાં અત્યારથી જ ચહલપહલ જોવા મળી રહી છે. ભરૂચમાં માછી સમાજના આગેવાન, સમાજ સેવક અને વ્યવસાયે ધારાશાસ્ત્રી એવા કમલેશ મઢીવાલા તેમની 20થી વધુ લોકોની ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.સર્કિટ હાઉસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના દક્ષિણ ઝોનના પ્રભારી રામ ધડુક, પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા, ભરૂચ જિલ્લા આપના પ્રમુખ પિયુષ પટેલ તેમજ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજીએ તેઓને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર આપ્યો હતો. કમલેશ 

મઢીવાલા ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્તો તેમજ માછી સમાજના વિવિધ પ્રશ્નો અને ઔદ્યોગિક વિસ્તારના લોકોના વિવિધ પ્રશ્નો માટે છેલ્લા કેટલાય સમયથી લડત ચલાવી રહ્યા હતા ત્યારે તેઓએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. આવનારા સમયમાં તેઓ રાજકીય પ્લેટફોર્મ પરથી લોકોના પ્રશ્નો ઉજાગર કરશે તેવો દાવો કરવામાં આવ્યો છે.