New Update
-
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ
-
ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ સજ્જ
-
આરોગ્યકર્મીઓની રજા રદ્દ
-
સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ શરૂ કરાયો
-
આગામી સમયમાં મેગા રક્તદાન કેમ્પ યોજાશે
ભરૂચ ભારત પાકિસ્તાન વચ્ચે યુધ્ધનો તણાવભર્યો માહોલ સર્જાયો છે ત્યારે ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્રની સૂચનાથી ભરૂચની સીવીલ હોસ્પિટલમાં ઇમર્જન્સી વોર્ડ પણ સજ્જ કરવામાં આવ્યો છે.જ્યાં કોઈ પણ પરીસ્થીતીને પહોંચી વળવા હાલમાં 150 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને સમગ્ર દેશમાં હાલમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં પણ હાલમાં યુધ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ સરકારી અધિકારીઓની રજાઓ કેન્સલ કરી દેવમાં આવી છે સાથે કોઈ પણ સ્થિતિમાં હેડકવોટર્સ નહી છોડવા માટેની પણ આદેશ અપાયા છે.
આ સાથે ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા પણ સરકારી હોસ્પિટલ્સને આદેશ આપવામાં આવ્યા છે.ભરૂચ જિલ્લામાં આવેલ સિવિલ હોસ્પિટલ અને અન્ય સરકારી હોસ્પિટલમાં વીજળી માટે અન્ય સ્ત્રોતની વ્યવસ્થા રાખવી,બ્લડ ડોનેશન કેમ્પ યોજવા, જરૂરી દવાનો સ્ટોક રાખવા સૂચના આપીને ખાનગી હોસ્પિટલના ડૉક્ટર્સ સાથે સંકલન સાધવા તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
આ સાથે જ આગમી 15 મી એ મેગા રકતદાન શિબિરનું પણ આયોજન કર્યું છે. સિવિલ હોસ્પિટલમાં અને ખાનગી હોસ્પિટલ અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે પણ ચર્ચા કરવામાં આવી છે ત્યારે ભેસણ યુદ્ધની પરિસ્થિતિ સર્જાય તો ભરૂચ જિલ્લામાં આરોગ્ય તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે
જ્યારે ભરૂચની ડો.કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ- સિવિલ હોસ્પિટલના ચીફ મેડિકલ ડાયરેક્ટર ડૉ.મિતેશ.સી.શાહે માહિતી આપતા જણાવ્યું હતું.કે,ભરૂચ ખાતે આવેલી હોસ્પિટલમાં હાલમાં ચાલી રહેલા તણાવ ભરેલી પરિસ્થિતિ ડો.કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સાતમા માળે સ્પેશિયલ વોર્ડ બનાવવા આવ્યો છે જેમાં હાલમાં 150 બેડની વ્યવસ્થા કરીને સ્ટાફ સાથેની તમામ તૈયારીઓ ચાલી રહી છે અને જો કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો તેને પહોચી વળવા માટેની તૈયારીઓ કરાઈ છે.
Latest Stories