ભરૂચ : પોંકના પાકનું ઉત્પાદન ઓછું અને ભાવ આસમાને પહોચતા ખેડૂતોએ આ વર્ષે વાવણી કરવાનું ટાળ્યું..!

કમોસમી વરસાદ અને પૂરની અસરના કારણે આ વર્ષે પોંકના ઉત્પાદન પર મોટી અસર થઈ છે, ત્યારે પાક ઓછો અને ભાવ વધારા સામે ખેડૂતો સહિત પોંક રસિકોમાં નિરાશા સાંપડી

New Update
  • લાંબા સમયગળાનો કમોસમી વરસાદ અને પૂરની અસર

  • પોંકના પાક અને ઉત્પાદન પર જોવા મળી ગંભીર અસર

  • આ વર્ષે પાક ઓછો અને ભાવ આસમાને પહોચ્યા : ખેડૂત

  • અતિવૃષ્ટિ બની પોંકના ભાવ વધારાનું મુખ્ય કારણ : ખેડૂત

  • પોંકના સ્વાદ રસિકોમાં પણ જોવા મળી રહી છે નિરાશા

ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદ અને પૂરની અસરના કારણેઆ વર્ષેપોંકના ઉત્પાદન પર મોટી અસર થઈ છેત્યારે પાક ઓછો અને ભાવ વધારા સામે ખેડૂતોસહિતપોંક રસિકોમાં નિરાશા સાંપડી છે.

ભરૂચ જિલ્લામાં દર વર્ષ કરતા આ વર્ષે લાંબા સમયગળાનો વરસાદ અને પૂર આવવાના કારણે નદી કિનારા વિસ્તાર પ્રભાવિત થયા હતા. જેના કારણે જ્યાં મુખ્ય વિસ્તારમાં પોંકની વાવણી થાય છેતે મોડી થઈ હતીઅને ઘણાખરા ખેડૂતોએ વાવણી કરવાનું પણ ટાળ્યું હતું. આ કારણોસર જે 20 કિલો વાવણી કરવાનો ભાવ રૂ. 1500 હતોતે વધીને રૂ. 4000 જેટલો થયો છે.

જોકેહવે પોંકનું ઉત્પાદન કરતાં અનેક ખેડૂતોને ફાયદો થશે તેમ તેઓ જણાવી રહ્યા છે. પરંતુ આ તરફ વાવણી ખરીદીનો ભાવ વધવાથી પોંકનો કિલોનો ભાવ પણ આસમાને પહોચ્યો છે.  દર વર્ષે જે પોંકની કિંમત 500 રૂપિયા પ્રતિ કિલો હતી. તે આજે 1 હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. આથી પોંક રસિકોમાં પણ નિરાશા જોવા મળી રહી છે.

Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.