ભરૂચ : પોંકના પાકનું ઉત્પાદન ઓછું અને ભાવ આસમાને પહોચતા ખેડૂતોએ આ વર્ષે વાવણી કરવાનું ટાળ્યું..!

કમોસમી વરસાદ અને પૂરની અસરના કારણે આ વર્ષે પોંકના ઉત્પાદન પર મોટી અસર થઈ છે, ત્યારે પાક ઓછો અને ભાવ વધારા સામે ખેડૂતો સહિત પોંક રસિકોમાં નિરાશા સાંપડી

New Update
  • લાંબા સમયગળાનો કમોસમી વરસાદ અને પૂરની અસર

  • પોંકના પાક અને ઉત્પાદન પર જોવા મળી ગંભીર અસર

  • આ વર્ષે પાક ઓછો અને ભાવ આસમાને પહોચ્યા : ખેડૂત

  • અતિવૃષ્ટિ બની પોંકના ભાવ વધારાનું મુખ્ય કારણ : ખેડૂત

  • પોંકના સ્વાદ રસિકોમાં પણ જોવા મળી રહી છે નિરાશા

ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદ અને પૂરની અસરના કારણેઆ વર્ષેપોંકના ઉત્પાદન પર મોટી અસર થઈ છેત્યારે પાક ઓછો અને ભાવ વધારા સામે ખેડૂતોસહિતપોંક રસિકોમાં નિરાશા સાંપડી છે.

ભરૂચ જિલ્લામાં દર વર્ષ કરતા આ વર્ષે લાંબા સમયગળાનો વરસાદ અને પૂર આવવાના કારણે નદી કિનારા વિસ્તાર પ્રભાવિત થયા હતા. જેના કારણે જ્યાં મુખ્ય વિસ્તારમાં પોંકની વાવણી થાય છેતે મોડી થઈ હતીઅને ઘણાખરા ખેડૂતોએ વાવણી કરવાનું પણ ટાળ્યું હતું. આ કારણોસર જે 20 કિલો વાવણી કરવાનો ભાવ રૂ. 1500 હતોતે વધીને રૂ. 4000 જેટલો થયો છે.

જોકેહવે પોંકનું ઉત્પાદન કરતાં અનેક ખેડૂતોને ફાયદો થશે તેમ તેઓ જણાવી રહ્યા છે. પરંતુ આ તરફ વાવણી ખરીદીનો ભાવ વધવાથી પોંકનો કિલોનો ભાવ પણ આસમાને પહોચ્યો છે.  દર વર્ષે જે પોંકની કિંમત 500 રૂપિયા પ્રતિ કિલો હતી. તે આજે 1 હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. આથી પોંક રસિકોમાં પણ નિરાશા જોવા મળી રહી છે.

Read the Next Article

ભરૂચ: સોમવારે CM ભુપેન્દ્ર પટેલ કંબોઈ ખાતે સ્તંભેશ્વર મહાદેવના કરશે દર્શન, અંકલેશ્વરમાં વિકાસના કાર્યોનું લોકર્પણ ખાતમુહૂર્ત કરશે

આગામી સોમવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભરૂચ જિલ્લાના જંબુસરની મુલાકાત તથા અંકલેશ્વર ખાતે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત - લોકાર્પણ કરવાના છે.

New Update
Stambheshwar Mahadev
આગામી સોમવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભરૂચ જિલ્લાના જંબુસરની મુલાકાત તથા અંકલેશ્વર ખાતે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત - લોકાર્પણ કરવાના છે. જેને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિવિધ લાયઝન અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જિલ્લા કલેક્ટર  ગૌરાંગ મકવાણાએ મુખ્યમંત્રીના કાર્યક્રમ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે અધિકારીઓ- સાથે ચર્ચા કરી જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું  હતું.
આ કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થાપન, સ્થળ, સુરક્ષા, પાર્કિંગ વગેરેને લઇને સંબંધિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા સાથે જરૂરી સુચના આપી તેમજ તમામ કાર્યક્રમોની વિગતો મેળવી બેઠક વ્યવસ્થા, પાર્કિગ, લોકાર્પણ/ ખાતમૂર્હત, સભા સહિતના કાર્યક્રમોની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા, નિવાસી અધિક કલેકટર એન આર ધાધલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.