ભરૂચ: ભાડભૂત બેરેજના ડાબા કાંઠાના સંપાદિત ગામના ખેડૂતોએ જંત્રીના નવા ભાવને સમર્થન જાહેર કર્યું

ભરૂચમાં ભાડભૂત બેરેજ યોજનાના સંદર્ભમાં ડાબા કાંઠાના સંપાદિત ગામોની સાયન્ટિફિક જંત્રી ડ્રાફ્ટને ખેડૂતોએ સમર્થન જાહેર કરી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું

New Update
  • ખેડૂત સમન્વય સમિતિ દ્વારા કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • જંત્રીના નવા ભાવને સમર્થન જાહેર કરાયુ

  • ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત છે ખેડૂતો

  • નવા ભાવ મુજવ વળતર ચૂકવે તો સહમતિની તૈયારી

  • રાજ્ય સરકારનો માન્યો આભાર 

ભરૂચમાં ભાડભૂત બેરેજ યોજનાના સંદર્ભમાં ડાબા કાંઠાના સંપાદિત ગામોની સાયન્ટિફિક જંત્રી ડ્રાફ્ટને ખેડૂતોએ સમર્થન જાહેર કરી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું
ભરૂચમાં ભાડભૂત બેરેજ યોજનાના ડાબા કાંઠાના સંપાદિત ગામના ખેડૂતો દ્વારા આજરોજ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર હાલમાં સરકાર દ્વારા સાયન્ટિફિક સર્વે કરી ખેડૂતો દ્વારા તેના જે જંત્રીના ભાવ કહેવામાં આવ્યા હતા એના કરતાં ઘણા ઓછા ભાવો જંત્રી નક્કી કરવામાં આવ્યા એટલે કે રિવાઈઝ કરવામાં આવ્યા છે.સરકાર  દ્વારા આજથી 10 વર્ષ પેહલાનાના ભાવો આપવાની વિચારધારા પર તેઓનો  વિરોધ હતો પરંતુ નવા જંત્રી ડ્રાફટના ભાવો સાયન્ટિફિક રીતે નક્કી કરાયા એને ધ્યાનમાં લઈ હાલમાં 2024 - જંત્રી ના ડ્રાફ્ટ અનુસાર ભાવ પ્રમાણે વળતર લેવા ખેડૂતો સહમત છે. 
Read the Next Article

ભરૂચ : આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પરથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો, પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચ આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી આમોદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે

New Update
guj

ભરૂચ આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.

ઘટનાસ્થળે પહોંચેલી આમોદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને મૃતદેહની ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે. જો કોઈ વ્યક્તિને આ મૃતદેહ વિશે માહિતી હોય અથવા ઓળખ કરી શકે, તો તેમણે તાત્કાલિક આમોદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.આમોદ પોલીસે જણાવ્યું કે મૃતકના સગા–સંબંધીઓ સુધી માહિતી ઝડપથી પહોંચે તે માટે લોક સહકાર જરૂરી છે.