ભરૂચ: ભાડભૂત બેરેજના ડાબા કાંઠાના સંપાદિત ગામના ખેડૂતોએ જંત્રીના નવા ભાવને સમર્થન જાહેર કર્યું

ભરૂચમાં ભાડભૂત બેરેજ યોજનાના સંદર્ભમાં ડાબા કાંઠાના સંપાદિત ગામોની સાયન્ટિફિક જંત્રી ડ્રાફ્ટને ખેડૂતોએ સમર્થન જાહેર કરી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું

New Update
  • ખેડૂત સમન્વય સમિતિ દ્વારા કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • જંત્રીના નવા ભાવને સમર્થન જાહેર કરાયુ

  • ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત છે ખેડૂતો

  • નવા ભાવ મુજવ વળતર ચૂકવે તો સહમતિની તૈયારી

  • રાજ્ય સરકારનો માન્યો આભાર 

ભરૂચમાં ભાડભૂત બેરેજ યોજનાના સંદર્ભમાં ડાબા કાંઠાના સંપાદિત ગામોની સાયન્ટિફિક જંત્રી ડ્રાફ્ટને ખેડૂતોએ સમર્થન જાહેર કરી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું
ભરૂચમાં ભાડભૂત બેરેજ યોજનાના ડાબા કાંઠાના સંપાદિત ગામના ખેડૂતો દ્વારા આજરોજ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર હાલમાં સરકાર દ્વારા સાયન્ટિફિક સર્વે કરી ખેડૂતો દ્વારા તેના જે જંત્રીના ભાવ કહેવામાં આવ્યા હતા એના કરતાં ઘણા ઓછા ભાવો જંત્રી નક્કી કરવામાં આવ્યા એટલે કે રિવાઈઝ કરવામાં આવ્યા છે.સરકાર  દ્વારા આજથી 10 વર્ષ પેહલાનાના ભાવો આપવાની વિચારધારા પર તેઓનો  વિરોધ હતો પરંતુ નવા જંત્રી ડ્રાફટના ભાવો સાયન્ટિફિક રીતે નક્કી કરાયા એને ધ્યાનમાં લઈ હાલમાં 2024 - જંત્રી ના ડ્રાફ્ટ અનુસાર ભાવ પ્રમાણે વળતર લેવા ખેડૂતો સહમત છે. 
Read the Next Article

ભરૂચ: મામલતદાર કચેરીમાં રૂ.25 લાખના ખર્ચે નિર્માણ પામેલ કોર્પોરેટ કક્ષાના જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન, 95 ગામના લોકોનો મળશે લાભ

જનસેવા કેન્દ્રમાં રાજ્ય સરકારની 600થી વધુ યોજનાઓ લોકો સુધી સરળ રીતે પહોંચે તે માટે કામ કરાશે.આ ઉપરાંત ભરૂચ તાલુકાના 95 જેટલા ગામના લોકોને જનસેવા કેન્દ્રનો લાભ થશે

New Update
  • ભરૂચ મામલતદાર કચેરીમાં નિર્માણ કરાયુ

  • જન સેવા કેન્દ્રનું નવીનીકરણ કરાયુ

  • રૂ.25 લાખનો ખર્ચ કરાયો

  • મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન

  • 95 ગામના લોકોને થશે લાભ

ભરૂચ મામલતદાર કચેરી ખાતે રૂપિયા 25 લાખના ખર્ચે નવનિર્માણ પામેલ જનસેવા કેન્દ્રનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુંmઆ પ્રસંગે મહાનુભાવોએ હાજરી આપી હતી.
રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વહીવટના સરળીકરણ માટે દરેક તાલુકા મથકોએ જનસેવા કેન્દ્ર કાર્યરત છે ત્યારે ભરૂચ મામલતદાર કચેરી ખાતે રૂપિયા 25 લાખના ખર્ચે નવનિર્માણ પામેલ કોર્પોરેટ કક્ષાના જનસેવા કેન્દ્રનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, કલેક્ટર ગૌરાંગ મકવાણા, અધિક કલેકટર એન. આર. ધાંધલ, ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ જનસેવા કેન્દ્રમાં રાજ્ય સરકારની 600થી વધુ યોજનાઓ લોકો સુધી સરળ રીતે પહોંચે તે માટે કામ કરાશે.આ ઉપરાંત ભરૂચ તાલુકાના 95 જેટલા ગામના લોકોને જનસેવા કેન્દ્રનો લાભ થશે
Latest Stories