ભરૂચ: ભાડભૂત બેરેજના ડાબા કાંઠાના સંપાદિત ગામના ખેડૂતોએ જંત્રીના નવા ભાવને સમર્થન જાહેર કર્યું

ભરૂચમાં ભાડભૂત બેરેજ યોજનાના સંદર્ભમાં ડાબા કાંઠાના સંપાદિત ગામોની સાયન્ટિફિક જંત્રી ડ્રાફ્ટને ખેડૂતોએ સમર્થન જાહેર કરી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું

New Update
  • ખેડૂત સમન્વય સમિતિ દ્વારા કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • જંત્રીના નવા ભાવને સમર્થન જાહેર કરાયુ

  • ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત છે ખેડૂતો

  • નવા ભાવ મુજવ વળતર ચૂકવે તો સહમતિની તૈયારી

  • રાજ્ય સરકારનો માન્યો આભાર 

ભરૂચમાં ભાડભૂત બેરેજ યોજનાના સંદર્ભમાં ડાબા કાંઠાના સંપાદિત ગામોની સાયન્ટિફિક જંત્રી ડ્રાફ્ટને ખેડૂતોએ સમર્થન જાહેર કરી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું
ભરૂચમાં ભાડભૂત બેરેજ યોજનાના ડાબા કાંઠાના સંપાદિત ગામના ખેડૂતો દ્વારા આજરોજ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર હાલમાં સરકાર દ્વારા સાયન્ટિફિક સર્વે કરી ખેડૂતો દ્વારા તેના જે જંત્રીના ભાવ કહેવામાં આવ્યા હતા એના કરતાં ઘણા ઓછા ભાવો જંત્રી નક્કી કરવામાં આવ્યા એટલે કે રિવાઈઝ કરવામાં આવ્યા છે.સરકાર  દ્વારા આજથી 10 વર્ષ પેહલાનાના ભાવો આપવાની વિચારધારા પર તેઓનો  વિરોધ હતો પરંતુ નવા જંત્રી ડ્રાફટના ભાવો સાયન્ટિફિક રીતે નક્કી કરાયા એને ધ્યાનમાં લઈ હાલમાં 2024 - જંત્રી ના ડ્રાફ્ટ અનુસાર ભાવ પ્રમાણે વળતર લેવા ખેડૂતો સહમત છે. 
Read the Next Article

ભરૂચ : અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે મોત, પોલીસે તપાસ આરંભી...

કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતા, જેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું

New Update
  • અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

  • કાર ચાલકે બાઈક સવાર યુયાવ્કને અડફેટે લેતા કરૂણ મોત

  • સ્થળ પર પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું

  • પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી ઝઘડિયાને જોડતા મુખ્ય માર્ગની કામગીરી ચાલી રહી છે. આ વચ્ચે ઉછાલી નજીક નાના પુલીયા તેમજ એપ્રોચ રોડની ચાલતી કામગીરીના પગલે માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. એટલું જ નહીંદઢાલ બ્રિજ પર પડેલા મસમોટા ખાડા અકસ્માતનું નિમિત્ત બની રહ્યા છે.

તેવામાં આજરોજ અંકલેશ્વરના ઉછાલી ગામ નજીક ભારત પેટ્રોલિયમ પાસે ઉછાલી ગામના રણુજા ફાર્મમાં રહેતા 36 વર્ષીય શ્રમિક રાજુભાઈ ચખલીયા બાઈક પર ઉછાલી નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન કાર ચાલકે બેફિકરાઈ ભરી રીતે ખાડે ગયેલા રોડ પર પણ પૂરપાટ આવતા બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતાજેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતાજ્યાં પરિવારજનો હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાય હતી. ઘટના અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલેખનીય છે કેમાર્ગના નવીનીકરણ વચ્ચે વરસાદના પગલે માર્ગ વધુ બિસ્માર બન્યો છેજેથી વાહન ચાલકો ખાડામાં પટકાઈને અકસ્માતને ભેટી રહ્યા છેત્યારે મંથર ગતિએ ચાલતા રોડના નવીનીકરણ અને પુલની કામગીરીને લઇ લોકોમાં રોષ ફેલાયો છે.