ભરૂચ:GMDC દ્વારા વાલિયાના 18 ગામોની સંપાદિત થનાર જમીન મુદ્દે ખેડૂતો દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે ખેડૂત પ્રતિનિધિ નરેન્દ્રસિંહ આડમાર, યોગેન્દ્રસિંહ જસવંતસિંહ સંગડોટ સહીત ખેડૂતો દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • વાલિયાના ખેડૂતો દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • GMDC દ્વારા 18 ગામોની જમીન કરવામાં આવશે સંપાદન

  • યોગ્ય વળતર સહિતની કરવામાં આવી માંગ

  • માંગ ન સંતોષાય તો આંદોલનની ચીમકી

ભરૂચના વાલીયા તાલુકાના ૧૮ ગામોની ખેડૂતોની જમીન GMDC  દ્વારા સંપાદિત કરવા મુદ્દે ખેડૂતોએ કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું 
ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે ખેડૂત પ્રતિનિધિ નરેન્દ્રસિંહ આડમાર, યોગેન્દ્રસિંહ જસવંતસિંહ સંગડોટ સહીત ખેડૂતો દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ખેતીલાયક જમીન GMDC  દ્વારા સંપાદન થવાની છે.૨૦૧૧માં સરકાર દ્વારા જંત્રી નક્કી થયેલ હતી.જેમાં સરકાર દ્વારા વર્ષ-૨૦૨૩માં ૧૦૦ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.સરકાર દ્વારા મુસદ્દારૂપ જંત્રીના ૨૦૨૪ના નવા ડ્રાફટ મુજબ તેમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે.વાલિયા તાલુકાના કેટલાક ગામોમાં GMDC હેઠળ સંપાદન કરવામાં આવનાર જમીનોની જંત્રીમાં ઘટાડો કર્યો છે.તો કેટલાકમાં ગામોમાં જંત્રીમાં આંશિક વધારો કર્યો છે.જેને પગલે અન્યાય થઇ રહ્યો હોવાની બુમરાણ વચ્ચે સંપાદન થનાર જમીનોના જંત્રીના ભાવો વધારવા સાથે યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. 
Read the Next Article

અંકલેશ્વર: રામકુંડ ખાતે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરાયુ

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

New Update
MixCollage-08-Jul-2025-08-38-PM-8313

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે.

જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
જેમાં સંતોને પ્રસાદી જમાડીતેઓને ભેટ સ્વરૂપે છત્રી આપવામાં આવી હતી. આ ભંડારાનો 350થી વધુ સાધુ સંતોએ લાભ લીધો હતો.