ભરૂચ: જંબુસર પાદરા રોડ પર પ્લાસ્ટિકના બેરલ બનાવતી કંપનીમાં આગનું તાંડવ, 7 કલાક બાદ આગ આવી કાબુમાં !

ભરૂચના જંબુસર અને વડોદરાના પાદરાને જોડતા રોડ પર આવેલી ટાઈમ માઉઝર કંપનીમાં આગ ફાટી નીકળી હતી. લગભગ સાત કલાકથી  વધુની જહેમત બાદ ફાયર ફાયટરોએ  આગ પર કાબૂ મેળવ્યો હતો

New Update
  • ભરૂચ જિલ્લામાં ફરીએકવાર આગનો બનાવ

  • જંબુસર પાદરા રોડ પર લાગી આગ

  • પ્લાસ્ટિકના બેરલ બનાવતી કંપનીમાં ભીષણ આગ

  • 7 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો

  • સદનસીબે કોઈ જાનહાની નહીં

Advertisment
ભરૂચના જંબુસર અને વડોદરાના પાદરાને જોડતા રોડ પર આવેલી ટાઈમ માઉઝર કંપનીમાં આગ ફાટી નીકળી હતી. લગભગ સાત કલાકથી  વધુની જહેમત બાદ ફાયર ફાયટરોએ  આગ પર કાબૂ મેળવ્યો હતો
ઔદ્યોગિક નગરી ભરૂચમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે. ભરૂચના જંબુસરથી વડોદરાના પાદરાને જોડતા રોડ પર ઉરછદ
ગામ નજીક આવેલી ટાઈમ માઉઝર નામની કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી કંપનીમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો. આ અંગેની જાણ થતાની સાથે જ વડોદરા ભરૂચ અને જંબુસરના ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા.
વિકરાળ આગના પગલે જંબુસરથી પાદરાને જોઈતો સ્ટેટ હાઇવે બંધ કરવાની ફરજ પડી હતી. ફાયર ફાઈટરોએ લગભગ સાત કલાકની જહેમત  બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.બનાવની જાણ થતાની સાથે જ  ફાયર સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ વહીવટી તંત્ર તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા બનાવવામાં કોઈ જાનહાની થઈ ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં આગ લાગવાના વારંવાર બનાવો બને છે ત્યારે ફાયર સેફ્ટી અંગે તંત્ર દ્વારા કડક પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે
Advertisment
Read the Next Article

ભરૂચમાં “વિજકાપ” : 11 KV સોનેરી મહેલ ફીડર પર અગત્યના સમારકામ હેતુ આવતીકાલે વીજ પુરવઠો મળશે નહીં..!

ભરૂચ શહેરમાં 11 KV સોનેરી મહેલ ફીડર પર અંડર ગ્રાઉન્ડ કેબલ ચાર્જ કરવાની કામગીરી તથા અગત્યનું સમારકામ કરવાનું હોવાથી સવારે 9થી બપોરે 3 કલાક સુધી વિજકાપ રેહશે

New Update
power cut
ભરૂચ શહેરના 11 KV સોનેરી મહેલ ફીડર પર અગત્યના સમારકામ હેતુ આવતીકાલે તા. 23 મેં-2025 શુક્રવારના રોજ વીજ ગ્રાહકોને 6 કલાક સુધી વીજ પુરવઠો મળશે નહીં. જેની સર્વે ગ્રાહકોએ નોંધ લેવા DGVCL દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Advertisment
આવતીકાલે તા. 23મી મેં-2025 શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. દ્વારા ભરૂચ શહેરમાં 11 KV સોનેરી મહેલ ફીડર પર અંડર ગ્રાઉન્ડ કેબલ ચાર્જ કરવાની કામગીરી તથા અગત્યનું સમારકામ કરવાનું હોવાથી સવારે 9થી બપોરે 3 કલાક સુધી શટડાઉન રાખવામાં આવ્યું છે. જેના પગલે ભરૂચ જિલ્લા પંચાયત કચેરી, મિલેનિયમ માર્કેટ, મોદી કમ્પાઉન્ડ, પરમાર બુટ હાઉસ, શાસ્ત્રી માર્કેટ, 7-X, ડુમવાડ, સોનેરી મહેલ પાણીની ટાંકી વિસ્તાર, આચારવાડ રોડ, ગોલવાડ, ભોયવાડ, એદ્રુસ રોડ, નવાડેરા, લાલભાઇની પાટ, લલ્લુભાઇ ચકલા, સોનેરી મહેલ પોલીસ સ્ટેશન તથા આજુબાજુના વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. જોકે, વીજ નિગમ દ્વારા 6 કલાક બાદ કામગીરી પૂર્ણ થયે તાત્કાલિક વીજ ગ્રાહકોને કોઈપણ જાતની જાણ કર્યા વગર વીજ પુરવઠો રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે.
Advertisment
Latest Stories