ભરૂચ : નબીપુર નજીક આઇસર ટેમ્પોની કેબિનમાં આગ લાગતાં દોડધામ, ચાલકની સમય સૂચકતાથી મોટી જાનહાનિ ટળી

ભરૂચ નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નં. 48 પર નબીપુર નજીક એક આઇસર ટેમ્પોની કેબિનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.

New Update
  • નબીપુર નજીક NH 48 પર બની આગની ઘટના

  • આઇસર ટેમ્પોની કેબિનમાં આગ લાગતાં દોડધામ

  • બનાવના પગલે ફાયર ફાઇટરો ઘટનાસ્થળે દોડ્યા

  • પાણીનો મારો ચલાવી મેળવી લીધો આગ પર કાબૂ

  • ચાલકની સમય સૂચકતાથી મોટી જાનહાનિ ટળી ગઈ

ભરૂચ નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નં. 48 પર નબીપુર નજીક એક આઇસર ટેમ્પોની કેબિનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.

ભરૂચ નજીક નેશનલ હાઇવે નં. 48 પર સુરત તરફ જતા એક આઇસર ટેમ્પોની કેબિનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટના નબીપુર વિસ્તાર નજીક બની હતીજ્યાં ટેમ્પો ચાલકની સમય સૂચકતાએ મોટી જાનહાનિ ટળી હતી. ટેમ્પોની કેબિનમાં આગ લાગતાં જ ચાલકે તરત વાહન રોકી દીધું અને કેબિનમાંથી બહાર નીકળી ગયો હતો. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટર્સે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનાના પગલે હાઇવે પર કેટલાક સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય હતી. સ્થાનિક પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી વાહનોની અવરજવર સુચારુ બનાવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.